________________
વાણીનો સિદ્ધાંત
૩૫૫
૩૫૬
વાણીનો સિદ્ધાંત
પ્રશ્નકર્તા : તે તત્ત્વદ્રષ્ટિએ આ સ્યાદ્વાદ અને અનેકાંત, બન્ને સરખું જ ને ?
દઈને આગળ ચાલવા માંડીએ. અમે તમને સમજ પાડીએ. પણ જો તમે તમારી પકડ પકડો તો અમે તરત છોડી દઈએ. અમે જાણીએ કે આમને દેખાતું નથી, તો આપણે ક્યાં સુધી બેસી રહીએ ? બેસી ના રહેવું જોઈએ ને? કારણ કે એને આગળ દેખાતું જ નથી ને !
સર્વેની દ્રષ્ટિએ સમાવે ચાવાદ આપણા ઘરમાં એક જ જાતના માણસો હોય તો શું થાય ? ઘરમાં સ્ત્રી વેપારી, ધણી વેપારી, છોકરાં વેપારી, છોકરી વેપારી, પછી ઘરમાં શું થાય ? એટલે જુદું જુદું જોઈએ તો સંસાર ચાલે. પ્રકૃતિ દરેકની જુદી હોય. તે ભગવાને કહેલું કે ભઈ, બધાની પ્રકૃતિ ફેર હોય. પણ એ એનું દ્રષ્ટિબિન્દુ છે અને દ્રષ્ટિબિન્દુના આધારે એ ચાલ્યા કરે છે.
હવે પોતપોતાના દ્રષ્ટિબિન્દુને સાચું ઠેરવવું, એને એકાંતિક કહેવાય. જ્યારે વીતરાગ ધર્મ અનેકાંત કહેવાય. બધાં દ્રષ્ટિબિન્દુને પોતે સમાવી લે, એનું નામ વીતરાગ ધર્મ. શુભ ‘એકાંતિક” કહેવાય. શુદ્ધ ‘અનેકાંત” કહેવાય. અનેકાંતથી મોક્ષ. અનેકાંત એટલે આગ્રહ નહીં, દરેક સત્યને સ્વીકારે. વીતરાગ માર્ગ અનેકાંત સ્યાદ્વાદ હોય.
અનેકાંત એજ ચાલ્વાદ ? પ્રશ્નકર્તા : એકાંતિક માર્ગે છેલ્લો મોક્ષમાર્ગ નથી સમજાતો.
દાદાશ્રી : એકાંતિક તો આખું જગત સમજે છે, પણ અનેકાંત નથી સમજ્યા અને સ્વાવાદ જ્યારે સમજે, ત્યાર પછી મોક્ષમાર્ગ હાથમાં આવે.
પ્રશ્નકર્તા : અનેકાંત એટલે સ્યાદ્વાદ જ ને ?
દાદાશ્રી : અનેકાંત એ સ્યાદ્વાદમાં સમાય. પણ અનેકાંતમાં સ્યાદ્વાદ ના સમાય. એ સ્યાદ્વાદ એ એવડો મોટો શબ્દ છે કે જેની મહીં અનેકાંત પણ સમાઈ જાય, નિષ્પક્ષપાતી ય સમાઈ જાય. નિષ્પક્ષપાતી દુનિયામાં છે ખરા. પણ છતાં એ સ્વાદુવાદ ના કહેવાય. નિષ્પક્ષપાતી વિચારના માણસો હોય છે ખરાં અને એ વિચારનાં એટલે એવું બોલે ય ખરાં, છતાં પણ એ સ્વાવાદ ના કહેવાય.
દાદાશ્રી : ના, સરખું નહીં. લોકો આમ સરખું કહેશે પણ હું સરખું માનું નહીંને, કારણ કે અનેકાંતનો અર્થ શું થાય છે ? એ નિરાગ્રહી કહેવાય છે. આ હિંદુસ્તાનમાં જેટલાં બધા માર્ગ છે ધર્મમાં, એ બધા એકાંતિક કહેવાય. એકાંતિક એટલે અમુક પ્રકારનો આગ્રહ નક્કી કરેલો હોય કે આટલી જ આપણી ભૂમિકા અને આવી જ માન્યતા આપણી, એ એકાંતિક, પોતાનું જુદું અને સામાનું જુદું. અને અનેકાંત એટલે આગ્રહ નહીં, નિરાગ્રહી વાણી. નિરાગ્રહ એ સાદ્વાદમાં સમાય. સ્યાદ્વાદ નિરાગ્રહમાં ના સમાય ! સ્યાદ્વાદ એક મોટી વસ્તુ છે.
એટલે અનેકાંત એ જુદી વસ્તુ છે અને સ્યાદ્વાદ એ જુદી વસ્તુ છે. અનેકાંત આગ્રહ ઉપર આધાર રાખે છે અને ચાદ્દવાદ એ વાદ ઉપર ચાલે છે. વાદ એટલે વચન.
ભગવાનના સ્યાદ્વાદને આ લોકોએ એકાંતિક કર્યો. ભગવાનનું સ્યાદ્વાદ આવું નહોતું. ભગવાનનું સ્વાવાદ એટલે શું ? આ ધર્મમાં આટલાં સુધીની જ વાત સમજાવે છે અને આ બીજો ધર્મ આટલે સુધીની વાત સમજાવે છે. એ બધા ધર્મ એમની બાઉન્ડ્રીમાં જ છે, એના યુપોઈન્ટમાં જ છે અને તે પાછું એમાં જુદા છે નહીં. એક જ કોલેજના ‘સ્ટાન્ડર્ડો’ છે આ બધા. પણ તે આ દરેક ધર્મોવાળાએ પછી ‘આ અમારું ને પેલું તમારું કરી નાખ્યું. આ અમારું-તમારું આવ્યું ત્યાં સ્યાદ્વાદ ના કહેવાય. આત્મા પ્રાપ્ત થાય ત્યાર પછી અનેકાંત શરૂ થાય છે.
સ્યાદ્વાદ ત્યાં નિષ્પક્ષતા ! પ્રશ્નકર્તા: આપ એવું કહેતા હતા કે દુનિયાના તમામ ધર્મો અમને માન્ય છે. અમે એક્સેપ્ટ કરીએ છીએ. દુનિયાના તમામ સંપ્રદાયોના જ્ઞાનોને સાદ્ વિજ્ઞાન એક્સેપ્ટ કરે છે.