________________
વાણીનો સિદ્ધાંત
૩૩૫
૩૩૬
વાણીનો સિદ્ધાંત
માણસોને. અમને એમ લાગે, ખાતરી લાગે ચોગરદમની, ત્યારે અમે વચનબળ વાપરીએ, નહીં તો વાપરીએ નહીં. ઘણાં લોકો આવે, એક્સેપ્ટ (સ્વીકાર) કરે, પણ બધા ના પામે.
વયતબળથી વિરમે વિષયો. પ્રશ્નકર્તા : પણ દેહની સાથે જે કર્મ ચાર્જ થઈને આવેલા હોય, તે ફેરફાર તો ના થાય ને ?
દાદાશ્રી : ના, કશો ફેરફાર ના થાય. છતાં વિષય એવી વસ્તુ છે ને, કે જ્ઞાની પુરુષની આજ્ઞાથી આ એકલું જ ફેરફાર થાય. છતાં આ વ્રત બધાને ના અપાય. અમે અમુકને જ આ આપેલું છે. જ્ઞાનીની આજ્ઞાથી બધું જ ફેરફાર થઈ જાય. સામાએ ખાલી નિશ્ચય જ કરવાનો કે ગમે તે થાય, પણ મારે આ જોઈતું જ નથી. તો તેને પછી અમે આજ્ઞા આપીએ છીએ અને અમારું વચનબળ કામ કરે છે. આજ્ઞા આપીએ એટલે પછી એનું ચિત્ત બીજે ના જાય.
જો એ લોકોના નિશ્ચય તૂટે તો ?
દાદાશ્રી : એવું કશું તૂટતું જ નથી. એવું બને જ નહીં અને એ તો અહીંથી નીચે ગબડી પડીએ તો મરી જ જઈએ ને ? એમાં એવો વિચાર કરીએ છીએ કે આમ પડીએ તો શું થાય ?
પ્રશ્નકર્તા : એના કર્મના ઉદયમાં ભોગ હોય, તો એ પછી એમાં જોડાય કે ના જોડાય ? અધવચ્ચે કર્મનો ઉદય આવી જાય તો શું કરે ?
દાદાશ્રી : ના, જ્ઞાનીઓનું વચનબળ શું કહેવાય છે, કે ભયંકર કર્મોને તોડી નાખે. પોતાનો નિશ્ચય જો ના ડગે તો ભયંકર કર્મોને તોડી નાખે. એટલે એ વચનસિદ્ધિ કહેવાય જ્ઞાનીઓની. પણ તે વ્રત આપે નહીં કોઈને. આ કંઈ લાડવા ખાવાના ખેલ નથી. અમે તો બધી રીતે એની ચોગરદમની ટેસ્ટ કરીને પછી જ આપીએ. બ્રહ્મચર્યવ્રત આમ ના અપાય. એ અપાય એવું નથી, એ આપવા જેવી ચીજ નથી. આ બ્રહ્મચર્યવ્રત કોઈને અપાય નહીં. આ તો અમે એકાદ વર્ષ માટે કે બે વર્ષ માટે જ આપીએ છીએ. કાયમ આપવા માટે તો મારે કેટલી બધી પરીક્ષા કરવી પડે ! અમારું વચનબળ બ્રહ્મચર્ય પળાવે એવું છે, બધા અંતરાયો તોડી નાખે, તારી ઇચ્છા જોઈએ. તારી ઇચ્છા પ્રતિજ્ઞામાં પરિણમવી જોઈએ. હા, પછી તને અંતરાય આવે તો એ બધું અમારું વચનબળ તોડી નાખશે.
અમારામાં સર્વ પ્રકારના ત્યાગ છે. એટલે જેને કંઈ પણ જોઈતું હોય તો તેને અમારા વચનબળથી પ્રાપ્ત થઈ જાય એવું છે. અત્યાર સુધી થયેલા તમામ દોષો હું ધોઈ નખાવડાવું હતું. હવે દેવું કાઢી આપતા હોય તો સારું કે નહીં ? પછી નવેસરથી દેવું કરો નહીં, પણ અત્યાર સુધીનું દેવું કાઢી નાખ્યું એટલે બધી ભાંજગડ ઊડી ગઈ ને ?! નહીં તો એક ફેર દેવું થાય એટલે એ વધારે ને વધારે દેવામાં ઉતારે. શું કહે કે હશે, આટલાં નાદાર થયા તો આટલાં વધારે. પછી સરવાળે શું આવે ? દુકાન હરાજ થાય.
આ ‘જ્ઞાન’ આપણું એવું છે કે સર્વ વિકારોનો નાશ થાય છે. અમે વ્રતની વિધિ કરીએ છીએ ત્યારે અમારું વચનબળ કામ કરે છે, એનો નિશ્ચય ડગવો ના જોઈએ.
પ્રશ્નકર્તા : આ જે નિશ્ચયબળ છે, તે ‘વ્યવસ્થિત'ના હાથમાં છે કે એમના પોતાના હાથમાં છે ?
દાદાશ્રી : ‘વ્યવસ્થિત’ જોવાનું નહીં. ‘વ્યવસ્થિત’ એનું નામ જ કહેવાય કે તમારું નિશ્ચયબળ અને અમારું વચનબળ, એ બે ભેગું થયું કે એની મેળે ‘વ્યવસ્થિત’ ચેન્જ થાય. જ્ઞાનીનું વચનબળ એકલું જ ‘વ્યવસ્થિત'ને ચેન્જ કરે એવું છે. એ સંસારમાં જવા માટે આડી દિવાલ જેવું છે. એક ફેર આડી દીવાલ નાખી આપે કે ફરી સંસારમાં જઈ શકે જ નહીં.
પ્રશ્નકર્તા: આપે કહ્યું ને, કે તમારો નિશ્ચય ને અમારું વચનબળ. એ બેમાં તમારો નિશ્ચય ના તૂટે તો અમારું વચનબળ કામ કર્યા કરે, પણ
ખરી રીતે આ વિજ્ઞાન એવું છે કે ‘તમે આમ કરો કે તેમ કરો’ એવું કશું બોલાય નહીં. પણ આ તો કાળ એવો છે અને આ જીવોના