SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૨૦૭ ૨૦૬ વાણીનો સિદ્ધાંત ના, ના, તમે પીવો. હું પૈસા બધા આપી દેવડાવું છું.' એની મેળે જ આપી દેવડાવ્યા. ડફોળ કહેતાં, ગઈ ડફોળાઈ ! હવે અમારાથી એવું નીકળી ગયેલું. તે એક ભાઈને ‘ડફોળ છું' બોલાયું, તે પછી એણે મને કહ્યું, ‘દાદા, મને તો બહુ ફાયદો થઈ ગયો. દાદાજી, હવે બીજું કંઈક હજુ બોલો.” ત્યારે મેં કહ્યું, “ના, એ મારાથી ના બોલાય.” એ પછી લોભ કરવા ગયો. એની ડફોળાઈ નીકળી ગયા પછી મારે બીજું કરવાનું હોય કે ના હોય ? અને તું કહે કે “મને બીજું બોલો.' તો કંઈ હું નવરો છું ?! એ તો તારી પુણ્ય હતી, તેથી નીકળી ગયો એ શબ્દ, નહીં તો નીકળે નહીં.” અમારે મોઢે ખરાબ શબ્દ હોય કેમ કરીને ? અમારી લેંગ્વજમાં કોઈને ખરાબ શબ્દ એવો ભારે ના હોય. એ છે જ્ઞાતીતી કરુણા ! આ જે ટેપરેકર્ડ બોલે છે, એમાં કેટલા રાગ-દ્વેષ હશે ? પ્રશ્નકર્તા ઃ હોય જ નહીં ને રાગ-દ્વેષ. દાદાશ્રી : હા. નહીં તો કડક શબ્દ હોય તો દ્વેષ એની પાછળ હોય. મીઠા શબ્દ હોય તો, રાગ એની પાછળ હોય. તો આ કડક શા માટે નીકળે ? પ્રશ્નકર્તા : એનો રોગ કાઢવા માટે, સામાનું કલ્યાણ કરવા માટે. દાદાશ્રી : એક છે તે મોટા વકીલ હતા. એ શું કહે છે ? આ દાદાને મારે કોઈ પણ જાતનું ઋણાનુબંધ નથી, કોઈ પણ જાતની લેવાદેવા નથી. ધન્ય છે આ દાદાને, કેટલી કરુણા વરસે છે. મારા પોતાના હિતને માટે આ શું બોલી રહ્યા છે ! કેટલું મગજ ઉપર બોજો આપી રહ્યા છે ! ત્યારે એ સમજદારને શું કહેવું પછી ? આનું નામ કરુણા કહેવાય. લોકો કેમ કલ્યાણ પામે ? તો તે કઠણ શબ્દથી થાય તો કઠણથી, મોળા શબ્દથી તો મોળાથી, ચીકણા શબ્દ તો ચીકણા, કોઈ પણ રીતે જેનાથી થાય તેનાથી કલ્યાણ કરવું. પ્રશ્નકર્તા : જે પાણીથી મગ ચડે એ પાણીથી ચડાવો. દાદાશ્રી : તે તાનસાનું પાણી જો આવે તો એનાથી ચડાવો, એ ના મળે તો કુવો હોય, તો એનાથી ચડાવો. એ ના મળે તો કો'કનું છે તે ઢોરોને પાણી પાવાનું, તો તે પાંચ-પાંચ દહાડાથી પડી રહ્યું હોય એનાથી ચડાવો. અને તે ના મળે તો ગટરના પાણીથી ચડાવો. કોઈ પણ પાણીથી મગ ચડાવવા સાથે કામ છે. મગ ના પાડે, નહીં ?! ત્યારે ઝંઝટ બધી ચડાવનારને છે ? એટલે આ કરુણા કહેવાય. એક ખરાબ વિચાર પણ મને નથી, કારણ કે નિર્દોષ દ્રષ્ટિથી જોઉં છું. તમને શિખવાડું ય છું કે નિર્દોષ છે અને એઝેક્ટલી એવું છે જ. કોઈ કહેશે, ‘પ્રફ આપો.” તો સો ટકા મુફ આપવા તૈયાર છું. આ જે એ પોતે આપી શકે એમ છે ત્યારે એમની પ્રતીતિમાં શું હશે ? પ્રતીતિમાં નહીં, વર્તનમાં પણ એવું જ હોય. તો તમને પ્રતીતિ બેસશે, તો ય બહુ થઈ ગયું. વર્તન નહીં આવે તો વાંધો નથી. પ્રશ્નકર્તા : પ્રતીતિ બેસી જ ગયેલી છે, દાદા. બધાને બેસી જ ગયેલી છે. બધા ય જાણે છે જગત નિર્દોષ છે, લગભગ. દાદાશ્રી : એ જ આ હું કહું છું. પુરાવા હું આપવા લોકોને તૈયાર છું. હું પુરાવો સો ટકા આપવા તૈયાર છું. એ પોતે કહે કે ના, ‘એ કમ્પલીટ પુરાવો છે આ !” દબડાવીને નહીં. તે ઘડીએ બહુ ડાહી ભાષા વાપરું, કારણ કે પુરાવો આપવાનો છે ને ? એ ભાષા ય મને આવડે છે ને આ ય આવડે છે, બન્ને ય આવડે છે. બીજી ભાષા નહીં આવડતી હોય મને, મીઠી ? પ્રશ્નકર્તા : બહુ મીઠી આવડે છે. આપને દાદા, ઘણી મીઠી આવડે છે. દાદાશ્રી : બધું આવડે. કારણ કે આ મારી વાણી નથી, આ ટેપરેકર્ડ છે ! કોટકે ખંખેરીએ તો ? અહીં છેલ્લા પ્રકારના ખુલાસા થાય, તદન છેલ્લા પ્રકારના અને
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy