________________
વાણીનો સિદ્ધાંત
૨૦૫
તે ખૂબ જબરજસ્ત નીકળે છે અને લોકોના રોગો ય સપાટાબંધ નીકળી જાયને પાછું !
એક શબ્દથી કેટલા જણના રોગ જતા રહે ?
[3]
અક્રમ જ્ઞાતીતી કરુણામયી વાણી
કડક શબ્દો, વીતરાગતાથી ! પ્રશ્નકર્તા : ચક્રવર્તી રાજા જ્યારે તીર્થંકર ભગવાન પાસે જાય ત્યારે કેવી વાણી નીકળતી હશે ? ચક્રવર્તીના માન ગળાઈ જાય !
દાદાશ્રી : હા, માન ગળાઈ જાય. ભગવાનની વાણી તો બહુ સુંદર ને ! ભગવાનની વાણીને કેમ પહોંચી વળાય !
પ્રશ્નકર્તા ઃ અહીયાં ય ભલભલાનાં માન ગળાઈ જ જાય છે ને ! દાદાશ્રી : હા, બધાનાં ગળાઈ જાય.
પ્રશ્નકર્તા : અહીં પેલા ભાઈ આવ્યા હતા. પહેલા કહે છે, હું પગે ના લાગું પણ છેવટે પગે લાગીને ગયા.
દાદાશ્રી : અને પગે અડીને ગયા ને ઉપરથી પાછું બીરુદ આપતા ગયા, દ્વન્દાતીત.
આ ટેપરેકર્ડ તો સાંધા તોડી નાખે ! એ તો ઘણાં ફેરો નીકળે છે
પ્રશ્નકર્તા : ઘણાના જાય.
દાદાશ્રી : ઘણા લોકોના જતા રહે, એક શબ્દથી જ. ખાલી વાક્યો બોલવાથી જ રોગ જતા રહે.
પ્રશ્નકર્તા : તમે વાક્ય જોશથી બોલો છો એટલે મહીં બરાબર ઘૂસી જાય છે.
દાદાશ્રી : મારું ગળું બેસી ગયું છે. હવે મારાથી એવું જોશથી નથી બોલાતું. પહેલાં તો જોશથી બોલતો હતો ને, તે આ ‘સ્લેબ’ ઊંચી-નીચી થાય એવું બોલતો હતો. પણ હવે તો બોલતાં પહેલાં મહીં બેસી જાય. કંઈક ઉંમરની અસર દાખવી હવે.
એટલા માટે તો ઘણી જગ્યાએ હું ધંધો કરતો હતો ત્યારે, જોરથી નહોતો બોલતો. મારું જોશથી બોલવું એટલે સામાનો આત્મા નીકળી જાય એવું. એટલે જોશથી ન હતો બોલતો. કંઈક ભાંજગડ થઈ હોય તો સાચવી સાચવીને જવું પડે. જોશથી બોલાય નહીં. તો ય પણ એક જગ્યાએ જોશથી બોલી ગયો હતો, એક શીખ ઉપર ! એક ભાઈ હતા, તે કહે, ‘ના બોલશો, ના બોલશો.’ એ શીખને જો જરા વધારે બોલ્યો હોત તો તેનો આત્મા ત્યાં ને ત્યાં નીકળી જવાનો હતો ! ત્યાં આગળ મેં જાણી લીધું કે આનો આત્મા નીકળી જશે તો આપણા માથે પડશે. અમારા કંટ્રાક્ટમાં ચાલીસ હજાર રૂપિયાની આઈટમ એણે અમને આપવાની હતી. પણ તે આખો ય ફરી ગયો. બહુ મોટી કંપનીનો માણસ હતો. અમારા કામનું મેનેજમેન્ટ એના હાથમાં હતું. તે બધાંને ય આવું ફસાવ ફસાવ કરે. મેં તેને કહ્યું, ‘કઈ જાતનો નંગોડ છું, મેં તું ! તારી કંપનીની આબરૂ બગાડવા આવ્યો છે ? પછી એ કહે, હું બધા પૈસા આપી દઉં. પણ દાદાજીને બોલાવો મારી પાસે.” પછી હું ત્યાં ગયો. ત્યારે તેણે કહ્યું, ‘મારી ચા પીવો !” અલ્યા, હું ચા નથી પીતો ! તો ય એ કહે,