________________
૨૦૮
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૨૦૯
પાંસરા કરી આપે. પણ એ તો એ મહાવીર ભગવાનને પાંસરા કરવા આવ્યો હોય. સ્વતંત્ર છે ને ! દરેક જીવ સ્વતંત્ર છે !
પ્રશ્નકર્તા : એમાં મહાવીર સ્વામીની પાસે આવ્યો હોય, દેશના સાંભળતો હોય. દર્શન કરતો હોય, પણ પોતાની આડાઈ ન છોડતો હોય.
દાદાશ્રી : આડાઈ કોઈ દહાડો છોડે જ નહીં ને. પ્રશ્નકર્તા : તો મહાવીર ભગવાન કશું કરી શકે નહીં.
દાદાશ્રી : આ હિન્દુસ્તાનના લોકો આડાઈ છોડે નહીં. એટલે અહીંના, દેશના ડોકટરો શું કહે છે ? જન્મે છે ત્યારે એ કેટલાંક મહીં આડી હોય છે. આ આડાઈઓનો પાર નહીં ને ! આડાઈઓ જ છે બધી !
અમે કડકે ય બોલીએ. એ તમને ખંખેરીએ છીએ. આ કોટ છે એને અમથો આમ આમ કરીએ, તેમાં કંઈ ધૂળ જતી રહે છે ? એને તો આમ, આમ, સારું કરીને ખંખેરીએ એટલે ધૂળ ઊડી જાય. તમારી ધૂળ ઊડાડવાની છે એટલે ખંખેરીએ છીએ આ. નહીં તો અમને આ કડક બોલવાનું ગમતું નથી. કોટને ખંખેરવો જોઈએ કે હાથ અડાડવો જોઈએ આમ ?
પ્રશ્નકર્તા : ના, ના. ખંખેરવો જ જોઈએ.
દાદાશ્રી : હવે ખરું સમજ્યા. આ દવા ય હલાવીને પીવી પડે. દવા હલાવીએ એમાં કંઈ આપણે હિંસક થઈ ગયા? દવા હલાવીને પછી પીવો ! એવું આ હલાવું છું તમને. ગમે છે હું હલાવું છું તે ? પ્રશ્નકર્તા : હા, ગમે છે. ગમે છે એટલે તો આવ્યો, દાદા.
આવેશમાં પણ સ્યાદ્વાદ ! પ્રશ્નકર્તા : કાલે બહુ ફોર્સબંધ વાણી નીકળી હતી ?
દાદાશ્રી : આવેશ, પણ સ્યાદ્વાદ હોય બધું. આવેશમાં કોઈ પણ સાવાદ રાખી શકે જ નહીં. એ ફક્ત જ્ઞાનીઓનાં જ કામ. બીજા કોઈનાં કામ નહીં આમાં. બીજો હાથ ઘાલે તો ઉલ્ટો હાથ બળી જાય. એ જ્ઞાનીઓનાં કામ. કારણ કે આવેશપૂર્વક બોલે તો મારમારો થાય. આ તો ઠપકો આપવાનો ને ધર્મ પ્રાપ્ત કરાવવાનો. જગતમાં કોઈ જગ્યાએ ઠપકો આપીને જ્ઞાન પ્રાપ્ત કરાવે નહીં. ‘આવો શેઠ, આવો શેઠ કરે. પછી ભલે ને ગમે તેવો શેઠિયો વાંકો હોય ! કારણ કે ‘આવો શેઠ ના કહે' તો કોઈ સાંભળે નહીં. પેલો શેઠ જતો રહે.
પ્રશ્નકર્તા : ભગવાનની વાણી સાંભળે તો આંતરીક ફેરફાર ના થાય ?
દાદાશ્રી : આંતરીક ફેરફાર તો, એ સાંભળનારમાં કષાય રૂપી પથ્થર ઉપર પડ્યો છે, તે ઊંચકીને એ પોતે બહાર ફેંકી દે, ત્યારે થાય. એટલે ખટપટીયા વીતરાગ એ પથ્થર કાઢી આપે પછી થાય.
પ્રશ્નકર્તા : એટલે અમારા રોગ જવાનું મુખ્ય કારણ આ બન્યું? દાદાશ્રી : હા. નહીં તો રોગ જાય જ નહીં ને.
એટલે તો ભગવાને જ કહ્યું કે, “અમારા તો ૧૦૮ ગુણ છે પણ ખટપટીયા વીતરાગનાં ૧૦૦૮ ગુણ હોય.” એટલે અમને તો બહુ ગુણ હોય. ભગવાને કહ્યું કે, “બુદ્ધિકળા ને જ્ઞાનકળા, બન્ને જ્ઞાની પાસે હોય અને અમારી પાસે જ્ઞાનકળા એકલી જ હોય.” છતાં ભગવાન જ્ઞાનકળા દેખાડે નહીં, એ એકલાં જાણે. અને ખટપટીયા વીતરાગ તો બુદ્ધિકળા એટલે તમે ફસાયા હો ત્યાં બુદ્ધિથી કાઢી આપે. અને જ્ઞાનકળાથી ફીટ કરી આપે.
આડાઈથી અટકયો મોક્ષ ! પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનનાં એણે દર્શન કર્યા, એમની વાણી સાંભળી તો ય એને આવું કેમ રહી ગયું ?
દાદાશ્રી : એ તો એ પાંસરો થાય તો ભગવાન મહાવીર પાંસરો કરે. એ કહે કે “સાહેબ મારે પાંસરા થવું છે.' તો ભગવાન મહાવીર
એટલે આ તો ખાલી અહીં બેસી રહે તો ય કલ્યાણ થઈ જાય. સાંભળ સાંભળ કરે તો ય અહીં કલ્યાણ થઈ જાય.