SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિમંત્ર ત્રિમંત્ર હમણાં આ નવકાર મંત્રનો અર્થ તમને સમજણ પાડું તો તમે જ કહો કે આ તો આપણો જ મંત્ર છે ! એનો અર્થ સમજો તો તમે છોડો જ નહીં. આ તો તમે એમ જ જાણો છો કે આ શિવનો મંત્ર છે કે આ વૈષ્ણવનો મંત્ર છે. પણ એનો અર્થ સમજવાની જરૂર છે. તો એનો અર્થ હું તમને સમજાવું. પછી તમે એવું કહો જ નહીં. તમો અરિહંતાણં.. પ્રશ્નકર્તા: ‘નમો અરિહંતાણં’ એટલે શું? તેનો અર્થ વિગતવાર સમજાવો. કે “અમારા ચોવીસ તીર્થકરો અને એક બાજુ વાંચે છે ‘નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં'. આપણે તેમને કહીએ, ‘આ બે છે ?” ત્યારે એ કહે, ‘હા, બે છે.” મેં કહ્યું, ‘અરિહંત દેખાડો જોઈએ.” ત્યારે કહે, ‘આ ચોવીસ.” અલ્યા, એ તો સિદ્ધ થયા છે. અત્યારે સિદ્ધ છે એ તો. તમે સિદ્ધને અરિહંત કહો છો પાછાં ? શાને અરિહંત કહેતા હશે આ લોકો ? પ્રશ્નકર્તા : એ ચોવીસ તીર્થંકરો તો બધાં સિદ્ધ થઈ ગયા. દાદાશ્રી : “નમો અરિહંતાણે.' અરિ એટલે દુશ્મનો અને હંતાણે એટલે હણ્યા છે જેણે, એવાં અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું. જેમણે બધા દુશ્મનોને નાશ કરી નાખ્યા છે, ક્રોધ-માન-માયાલોભ-રાગ-દ્વેષરૂપી દુશ્મનોને નાશ કર્યા છે એ અરિહંત કહેવાય. દુશ્મનોને નાશ કર્યા ત્યાંથી પૂર્ણાહુતિ થતાં સુધીનાં અરિહંત કહેવાય. એ પૂર્ણ સ્વરૂપ ભગવાન કહેવાય ! એ પછી ગમે તે ધર્મના હોય, હિન્દુ હોય કે જૈન હોય કે ગમે તે કોમના હોય, આ બ્રહ્માંડમાં ગમે ત્યાં હોય, પણ એ અરિહંત ભગવાન જ્યાં હોય, તેમને નમસ્કાર કરું છું. પ્રશ્નકર્તા : અરિહંત દેહધારી હોય ? દાદાશ્રી : હા, દેહધારી જ હોય. દેહધારી ના હોય તો અરિહંત કહેવાય જ નહીં. દેહધારી ને નામધારી, નામ સાથે હોય. પ્રશ્નકર્તા અરિહંત ભગવાન એટલે કે ચોવીશ તીર્થકરોને ઉદેશીને વાપર્યો છે કે શું ? દાદાશ્રી : ના, વર્તમાન તીર્થકર જ અરિહંત ભગવાન કહેવાય. મહાવીર ભગવાન છે તે ત્યાં આગળ મોક્ષમાં જઈને બેઠા. આમ કહે છે દાદાશ્રી : તો પછી તમે કહેતા નથી લોકોને કે ભઈ, આ સિદ્ધ થયેલાને અરિહંત શું કામ કહો છો ?! આ તો બીજા પદમાં, સિદ્ધાણંમાં જાય. અરિહંતનું પદ ખાલી રહ્યું, તેની આ ઉપાધિ છેને ! તેથી અમે કહીએ કે અરિહંતને મૂકો. સીમંધર સ્વામીને મૂકો. શા હારુ કહીએ છીએ તમને સમજાયું ? પેલા ચોવીસ તીર્થંકર ભગવંતો અરિહંત કહેવાય કે સિદ્ધ કહેવાય ? એ અત્યારે એમની દશા સિદ્ધ છે કે અરિહંત છે ? પ્રશ્નકર્તા: અત્યારે સિદ્ધમાં છે. દાદાશ્રી : સિદ્ધ છેને ? તમને ખાતરી છેને ? સો ટકાની ને ? પ્રશ્નકર્તા : હા, સો ટકાની. દાદાશ્રી : તો પછી એ સિદ્ધાણંમાં મૂકેલાં છે. સિદ્ધાણંમાં પહોંચી ગયું. ત્યાર પછી અરિહંતમાં કોણ હવે ? અરિહંત એટલે હાજર હોવા જોઈએ. વાત ગમી ? અત્યારે માન્યતા અવળી ચાલ્યા કરે છે. ચોવીસ તીર્થકરોને અરિહંત કહેવામાં આવે છે. પણ જો વિચારવામાં આવે તો એ લોકો તો સિદ્ધ થઈ ગયા છે. તે ‘નમો સિદ્ધાણં' બોલીએ, તેમાં એ આવી જ જાય છે તો અરિહંતનું ખાનું બાકી રહે છે, અરિહંતનો ભાગ બાકી રહે છે. એટલે આખો નમસ્કાર મંત્ર એ પૂર્ણ થતો નથી અને અપૂર્ણ રહેવાથી એનું ફળ મળતું નથી. માટે અત્યારે વર્તમાન તીર્થંકર હોવાં જોઈએ. વર્તમાન તીર્થકર સીમંધર સ્વામી એમનાં નામથી એમને માની
SR No.008874
Book TitleTrimantra
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2000
Total Pages29
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size406 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy