________________
૨૧
સેવા-પરોપકાર
દાદાશ્રી : ભૌતિક સમૃદ્ધિ આ દુનિયામાં કોઈએ કરેલી ખરી ? બધા લોકો ભૌતિક સમૃદ્ધિ પાછળ પડ્યા છે. થઈ ગઈ ખરી કોઈની ?
પ્રશ્નકર્તા : અમુક, કો'કની જ થાય છે, બધાની નથી થતી.
દાદાશ્રી : માણસના હાથમાં સત્તા નથી એ. જ્યાં સત્તા નહીં હોય ત્યાં નકામી બૂમાબૂમ કરવી, એનો અર્થ શું છે ? મીનીંગલેસ !
પ્રશ્નકર્તા: જ્યાં સુધી એની કોઈ કામના છે, ત્યાં સુધી અધ્યાત્મમાં કઈ રીતે જઈ શકે ?
દાદાશ્રી : હા, કામના હોય એ બરાબર છે. કામના હોય, પણ આપણા હાથમાં સત્તા નથી એ.
પ્રશ્નકર્તા: એ કામના કઈ રીતે મટે ?
દાદાશ્રી : એની કામના માટે એવું બધું આવે જ પાછું. તમારે બહુ એની માથાકુટ નહીં કરવાની. આધ્યાત્મિક ર્યા કરો. આ ભૌતિક સમૃદ્ધિ તો બાય પ્રોડક્ટ છે. તમે આધ્યાત્મિકનું પ્રોડકશન માંડો, આ બાજુ દિશામાં જાવ અને આધ્યાત્મિકનું પ્રોડક્શન માંડો, એટલે ભૌતિક સમૃદ્ધિઓ, બાય પ્રોડક્ટ, તમને ફ્રી ઓફ કોસ્ટ મળે.
પ્રશ્નકર્તા આધ્યાત્મિક રીતે જવું હોય તો શું કહેવા માંગો છો ? કઈ રીતે જવું? - દાદાશ્રી : ના, પણ પહેલું આ સમજમાં આવે છે કે આધ્યાત્મિકનું તમે પ્રોડક્શન કરો તો ભૌતિક એ બાય પ્રોડક્ટ છે, એવું તમને સમજમાં આવે છે ?
પ્રશ્નકર્તા : એમ માનું છું તમે કહો છો, એ મને સમજમાં નથી આવતું.
દાદાશ્રી : એટલે માનો તો પણ આ બધું બાય પ્રોડક્ટ છે. બાય
સેવા-પરોપકાર પ્રોડક્ટ એટલે ફ્રી ઓફ કોસ્ટ. આ સંસારના વિનાશી સુખો બધું ફ્રી ઓફ કોસ્ટ મળેલું છે. આધ્યાત્મિક સુખને પ્રાપ્ત કરવા જતાં રસ્તાનું આ બાય પ્રોડક્શન મળ્યું છે આ.
પ્રશ્નકર્તા : આપણે ઘણા લોકો એવા જોયા છે કે જે લોકો આધ્યાત્મિકમાં જતા નથી, પણ ભૌતિક રીતે બહુ સમૃદ્ધ છે તો એમાં એ સુખી છે.
દાદાશ્રી : હા, પણ એ અધ્યાત્મમાં જતા નથી દેખાતા, પણ એમણે અધ્યાત્મ કર્યું છે તેનું ફળ છે આ.
પ્રશ્નકર્તા: એટલે આ જન્મમાં અધ્યાત્મ કરે એટલે આવતા જન્મમાં ભૌતિક સુખ મળે ?
દાદાશ્રી : હા, તેનું ફળ આવતા ભવમાં મળે તમને. ફળ દેખાય અત્યારે અને અત્યારે અધ્યાત્મમાં ના પણ હોય.
કાર્યનો હેતુ, સેવા કે લક્ષ્મી ?
દરેક કામનો હેતુ હોય કે શા હેતુથી આ કામ કરવામાં આવે છે ! એમાં ઉચ્ચ હેતુ જો નક્કી કરવામાં આવે, એટલે શું કે આ દવાખાનું કાઢવું છે, એટલે પેશન્ટો કેમ કરીને આરોગ્યતા પ્રાપ્ત કરે, કેમ કરીને સુખી થાય, કેમ એ લોકો આનંદમાં આવે, કેમ એમની જીવનશક્તિ વધે, એવો આપણો ઉચ્ચ હેતુ નક્કી કર્યો હોય અને સેવાભાવથી જ એ કામ કરવામાં આવે ત્યારે એનું બાય પ્રોડક્શન કર્યું ? લક્ષ્મી ! એટલે લક્ષ્મી એ બાય પ્રોડક્ટ છે, એને પ્રોડક્શન ના માનશો. જગત આખા એ લક્ષ્મીને જ પ્રોડક્શન કરી એટલે પછી એને બાય પ્રોડકશનનો લાભ મળતો નથી.
એટલે સેવાભાવ એકલો જ તમે નક્કી કરો તો એમાં બાય પ્રોડક્શનમાં લક્ષ્મી તો પછી વધારે આવે. એટલે લક્ષ્મીને જો બાય