SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] અંતઃકરણમાં ડખલ કોની ? સહજતા માણસ સારી રીતે આપે છે. દાદાશ્રી : એ પ્રેક્ટિકલ થયેલા છે. બીજા લોકોનું કામ નહીં. બીજા લોકો તો ઇમોશનલ થઈ જાય. પ્રેક્ટિકલ થયેલા જડ થઈ ગયેલા હોય. જ્ઞાતા-દ્રષ્ટા ત્યાં સહજતા પ્રશ્નકર્તા અમારે વ્યવહારમાં સફળ થવા માટે કઈ દિશામાં જવાનું ? દાદાશ્રી : તમારે છે તો અહીં આગળ ઇમોશનલ થાય નહીં એવી દિશામાં જવાનું. પેલા તો ઇમોશનલથીય આગળ જડ થયેલા. એમને ઇમોશનલ ના હોય. પ્રશ્નકર્તા: હા પણ જીતે છે તે એવાં લોકો વ્યવહારમાં. એ સફળ થવા માટે જડ થવાનું ? દાદાશ્રી : એ નફફટ થઈ ગયા. પ્રશ્નકર્તા : એટલે અમારે સફળ થવા માટે નફફટ થવાનું? દાદાશ્રી : ના, તમારે નફફટ થવાનું તો પછી નીચે જશો. તમારે તો જ્ઞાતા-દ્રષ્ટા થવાનું છે. પ્રશ્નકર્તા : એટલે અમે ઇમોશનલપણું છોડી દઈએ એમ ? દાદાશ્રી : છોડી દેવાનું નહીં. એમ કશું છૂટે નહીં. જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા એટલે બધું છૂટી જવાનું. છોડ્યું છૂટે નહીં. જ્ઞાતા-દ્રષ્ટા થઈએને તો છૂટી જાય. એક જ દા'ડો, રવિવારને દા'ડે, એક દા'ડો શુદ્ધાત્માની ખુરશી ઉપર બેસી જોઈએ, બધું સરસ ચાલશે ! જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું ફક્ત. ચંદુભાઈ શું કરે છે એ જોયા કરવાનું. પ્રશ્નકર્તા : હવે ચંદુભાઈ ખોટું કરે કે સાચું કરે એ જોવાનું ? દાદાશ્રી : ખોટું કરે કે ના કરે, એ ખોટું કે ખરું હોતું જ નથી. હવે ખોટું-ખરું સમાજને આધીન છે. ભગવાનને ત્યાં ખોટું-ખરું નથી. નફો-ખોટેય નથી ભગવાનને ત્યાં. પ્રશ્નકર્તા: તો અમારે સમાજ અને વ્યવહારના આધીન એવો જે ભાવ છે, અમારા જીવનનો વ્યવહાર ભાગ, તે કેવો રાખવો ? દાદાશ્રી : વ્યવહાર લોકો વખાણે, આદર્શ કહે એવો રાખવો. ‘ભઈ, આ ચંદુભાઈની વાત કરશો નહીં, બહુ સારા માણસ છે” કહેશે. આ તો પોતાના ઘરમાં સારા નહીં દેખાતાં. મૂઆ, પાડોશી સારા ના કહે એનો વાંધો નહીં પણ ઘરમાંય સારા દેખાતા નથી. પ્રશ્નકર્તા: પણ એનો ઉપાય શો ? દાદાશ્રી : આ કહ્યું તે જ, જ્ઞાતા-દ્રષ્ટા રહો. પ્રશ્નકર્તા : અમે જ્ઞાતા-દ્રષ્ટા તો રહીએ પણ ચંદુભાઈથી કામ ઊલટાં થતાં હોય, સુલટાં થતાં હોય અને પરિણામ બધા ખોાં આવતાં હોય તો આપણે એ સાચવવા શું કરવાનું ? દાદાશ્રી : કશું સુધારી શકતો નથી. બગાડશો ઊલટાનું. બગડેલું એંસી ટકા છે તે નેવું ટકા કરશો. પ્રશ્નકર્તા ઃ ચંદુભાઈનું સુપરવિઝન કરવાનું અને ગાઈડન્સ આપવાનું, કશું કરવાનું નથી ? દાદાશ્રી : સુપરવિઝન એટલે ખાલી જોવાનું અને જાણવાનું. ગાઈન્ડસબાઈન્ડસ કશું આપવાનું નહીં. પ્રશ્નકર્તા : સુધારવાનું કે કોઈ કર્તાપદ લેવાનું નથી, સુધારવાનો કોઈ અવકાશ જ નથી ? દાદાશ્રી : સુધરે જ નહીં. સુધારવા જાય તો પોતે બગડે છે, ઊલટો. આ પુરુષોને એક દિવસ રસોડું સોંપોને, બધું જ બગાડી નાખે. કઢી-શાક બગાડે, પછી દાળ બગાડે, મરચું, મીઠું, શાકેય બગાડે, બધું બગાડી નાખે. કારણ કે મનમાં અક્કલવાળો, તે આમ વધુ પડશે, આમ થશે, તેમ થશે.
SR No.008871
Book TitleSahajta
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2010
Total Pages95
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size66 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy