SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) નહોય “એ” પ્રતિક્રમણ મહાવીરનાં ! ૪૯ પ્રતિક્રમણ મળે માલ શું પ્રતિક્રમણથી પ્રશ્નકર્તા : અક્રમ વિજ્ઞાન પણ પેલા બાવીસ તીર્થકરોના જેવી સ્થિતિમાં લાવી આપે છેને ? દાદાશ્રી : એટલી બધી સ્થિતિમાં ના લાવે પણ આ તો અક્રમ વિજ્ઞાન મોક્ષ ફળ આપે ! પેલું મોક્ષ આપે એવું નથી. એટલો ફેર છે. પ્રશ્નકર્તા : કયું ? દાદાશ્રી : આ આપણું અક્રમ મોક્ષ આપે એવું છે અને પેલું તો જાગૃતિ એકલી જ, એટલે પુણ્ય બાંધે મોક્ષની. પેલું જાગૃતિ જ લાવે દાદાશ્રી : ના. આ જૂનાનું પ્રતિક્રમણ કરે ને નવા અતિક્રમણ ઊભાં થાય છે પાછાં મોહનાં. મોહ બંધ થયેલો નહીં ને ! મોહ ચાલુ ને ! દર્શનમોહ એટલે જૂનાં બધાં પ્રતિક્રમણ કરે ને એ વિલય થઇ જાય અને નવાં ઊભાં થાય. પુર્વે બંધાય, પ્રતિક્રમણ કરીએ તે ઘડીએ. પ્રશ્નકર્તા : એટલે દોષોનાં પડો, આવરણો પાતળાં પડતાં જાય ને ? પ્રશ્નકર્તા : પણ તીર્થકરોના આશ્રયે એ હતા ? દાદાશ્રી : તીર્થકરોના આશ્રયે ગયા એટલે તો મોક્ષમાં પહોંચી જાય. બીજા બધા લોકો છે તે પુર્વે બાંધે બધા. પ્રશ્નકર્તા : પણ પ્રતિક્રમણથી એને મોક્ષમાર્ગ ખુલ્લો નથી થતો? દાદાશ્રી : દોષો જ નાશ થતા જાય. પ્રશ્નકર્તા : તો પછી બીજા કયા દોષ ઊભા થતા જાય એને ? દાદાશ્રી : બધા. દર્શનમોહ એટલે દોષ ઊભા થયા જ કરે અને પ્રતિક્રમણ એને કાઢ્યા કરે. પ્રશ્નકર્તા : એટલે પ્રતિક્રમણ એને ધર્મધ્યાનમાં રાખે ? દાદાશ્રી : બધું ધર્મધ્યાન શી રીતે થઈ શકે ? શુક્લધ્યાન, તો હોય જ નહીં ત્યાં, ધર્મધ્યાનેય ક્યાંથી હોય ? પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ એ ધર્મધ્યાનમાં ના કહેવાય ? દાદાશ્રી : એ પ્રતિક્રમણ જુદી જાતનું છે. પ્રશ્નકર્તા : એ શું છે ? દાદાશ્રી : એ પ્રતિક્રમણ જે મોહ હોય એનો નાશ કરે છે. ફરી એ મોહ ઉત્પન્ન ના થાય એમાં. અને દર્શન મોહનીય બીજો મોહ ઉત્પન્ન થવા દે. અને પ્રતિક્રમણ એ ફરી પાછો નાશ કરે. દર્શન મોહનીયથી પાછો ફરી મોહ ઊભો થાય. પ્રતિક્રમણથી ફરી નાશ કરે. એ કર્યા જ કરે. દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : એવું કેમ ? એ કાળમાં નહીં ? દાદાશ્રી : પ્રતિક્રમણ મોક્ષમાર્ગ નથી. પ્રશ્નકર્તા : પણ એનો આખો જે હેતુ છે તે એને આ રસ્તા પર લાવે ? દાદાશ્રી : આત્મજ્ઞાન એ મોક્ષમાર્ગ છે. આત્મજ્ઞાન થયા પછીનાં પ્રતિક્રમણ મોક્ષમાર્ગ આપે, પછી બધી સાધનાઓ મોક્ષમાર્ગ આપે. પ્રશ્નકર્તા : તો એને આત્મજ્ઞાન થવાનું કારણ બની શકે એ પ્રતિક્રમણ ? પ્રશ્નકર્તા : મોહ ઘટાડવાની જે પ્રક્રિયા છે. એને દોષ ઘટાડવા જેવું કહો છો ? દાદાશ્રી : આખા જગતના પરમાણુ છે એટલા બધા દોષ છે.
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy