________________
(૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન
૪૦
ક્રિયા બંધ થઈ ગઈ છે અને પ્રજ્ઞાની ક્રિયા ચાલુ થઈ ગઈ છે. ‘અજ્ઞા’ની ક્રિયા શું કરે ? અજ્ઞા એ નિરંતર સંસાર જ વીંટાળ વીંટાળ કરે, નવો નવો રોજ રોજ (સંસાર) ઊભો જ કરી આપે.
‘હાર્ડવેર' પ્રતિક્રમણતું
આખી જિંદગીનાં પ્રતિક્રમણ તમે કરો છો, ત્યારે તમે નથી મોક્ષમાં કે નથી સંસારમાં. આમ તો તમે પાછલાનું બધું વિવરણ કરો છો પ્રતિક્રમણ વખતે. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધાના ફોન-બોન બંધ હોય, અંતઃકરણ બંધ હોય. તે વખતે માત્ર પ્રજ્ઞા એકલી જ કામ કરતી હોય છે. આત્માય આમાં કશું કરતો નથી. આ દોષ થયો પછી ઢંકાઈ જાય. પછી બીજો લેયર (પડ) આવે. એમ લેયર ઉપર લેયર આવે. પછી મરણ વખતે છેલ્લા કલાકમાં આ બધાનું સરવૈયું આવે.
ભૂતકાળના દોષો બધા વર્તમાનમાં દેખાય એ જ્ઞાનપ્રકાશ છે, એ મેમરી (સ્મૃતિ) નથી.
પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણથી આત્મા ઉપર ઈફેક્ટ (અસર) થાય ખરી ? દાદાશ્રી : આત્મા ઉપર તો કશી ઈફેક્ટ અડે જ નહીં. ઈફેક્ટ થાય તો સંશી કહેવાય. આ તો આત્મા છે એ હંડ્રેડ પરસેન્ટ ડીસાઈડેડ છે. જ્યાં મેમરી ના પહોંચે ત્યાં આત્માના પ્રભાવથી થાય છે. આત્મા અનંત શક્તિવાળો છે એ એની પ્રશાશક્તિ પાતાળ ફોડીને દેખાડે છે. આ પ્રતિક્રમણથી તો પોતાને હલકા થયેલા ખબર પડે, કે હવે હલકો થઈ ગયો અને વેર તૂટી જાય, નિયમથી જ તૂટી જાય. અને પ્રતિક્રમણ કરવા માટે પેલો સામો ભેગો ના થાય તેનો વાંધો નથી. આમાં રૂબરૂની સહીઓની જરૂર નથી. જેમ આ કોર્ટમાં રૂબરૂની સહીઓની જરૂર છે એવી જરૂર નથી. કારણ કે આ ગુના રૂબરૂથી થયેલા નથી. આ તો લોકોની ગેરહાજરીમાં ગુના થયેલા છે. આમ લોકોની રૂબરૂમાં થયા છે પણ રૂબરૂની સહીઓ નથી કરેલી. સહીઓ અંદરની છે, રાગ-દ્વેષની સહીઓ છે.
પ્રતિક્રમણ
કોઈ દહાડો એકાંતમાં બેઠા હોઇએ, અને કંઈક પ્રતિક્રમણનું કે એવું બધું કરતાં કરતાં કરતાં થોડો આત્માનો અનુભવ જામી જાય મહીં, એ સ્વાદ આવી જાય, તે અનુભવ કહેવાય.
દોષતે સ્વીકાર્યો, કે ગયો એ
૪૧૦
છેવટે કોઈનીય ભૂલ ના દેખાય. પહેલાં દેખાય પછી પ્રતિક્રમણ કરે. પછી કોઈનીય ભૂલ ના દેખાય, એવું જો આખી રાત રહે અને ચોપડા બીડાઈ ગયા તો કામ થઈ ગયું. તમારે પછી તે દિવસ માટેનો આવતા ભવની જવાબદારીનો ભો રહ્યો નહીં. બીજે દિવસે એવી રીતે
વર્તવું જોઈએ. અને એવું સર્વ સમાધાની જ્ઞાન છે આ તો. આમાં કશું બાકી રહે નહીં. દોષ થાય ને એનાં પ્રતિક્રમણ કરે તો એ બધું ચોખ્ખું કરી નાખે. પ્રતિક્રમણ એટલે લીધેલું પાછું આપી દેવું. પ્રતિક્રમણ કર્યું એટલે ચોપડા ચોખ્ખા ! એટલે તમે દોષનો સ્વીકાર કર્યો. સ્વીકાર કર્યો
એટલે યુ આર નોટ રિસ્પોન્સિબલ. (તમે જવાબદાર નથી.) આ તો વિજ્ઞાન કહેવાય. તરત જ ફળ આપે, કેશ ઈન હેન્ડ (રોકડું). ધીમે ધીમે થઈ જાય એ તો. અમે કહ્યું એવું એકદમ ના થાય. દોષનો સ્વીકાર કરો, કે ધોવાઈ જાય. પ્રતિક્રમણ કરો એટલે ધોવાઈ જાય.
ત્યારે થશે સાચું પ્રતિક્રમણ
જ્યારે ઘરનાં માણસો નિર્દોષ દેખાય ત્યારે સમજવું કે તમારું પ્રતિક્રમણ સાચું છે. ખરેખર નિર્દોષ જ છે, જગત આખુંય નિર્દોષ જ છે. તમારા દોષોએ કરીને તમે બંધાયેલા છો, એમના દોષથી નહીં. તમારા પોતાના દોષથી જ બંધાયેલા છો. હવે એવું જ્યારે સમજાશે ત્યારે કંઈક ઉકેલ આવશે !
દૃષ્ટિ તિજદોષ ભણી
કો'કની ભૂલ દેખાવાથી સંસાર ઊભો થાય ને પોતાની ભૂલ દેખાવાથી મોક્ષ થાય.
પ્રશ્નકર્તા : ‘રિલેટિવ’ તો દેખીતું દોષિત દેખાયને ?