________________
૪૦૪
પ્રતિક્રમણ
હોય અને પુણ્ય કર્યું હોય.
દાદાશ્રી : અરે, અતિક્રમણ તો પેલાના હિત માટે કરતો હોય.
પ્રશ્નકર્તા : પણ તમે કહો છો ને કે સામાના હિતને માટે કરેલું અતિક્રમણ ગુનામાં નથી આવતું.
દાદાશ્રી : તે પુણ્ય આપે, ગાયકવાડ સરકારના ઘેરે બળદ તરીકે
આવે.
(૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન
૪૦૩ માટે એથી મોટું અતિક્રમણ કરે.
પ્રશ્નકર્તા : એટલે આંટીઓ વધતી જ જાય.
દાદાશ્રી : અરે, આંટી એવી વધે તે ફરી ઠેકાણું જ ના પડે. રાતદહાડો બૂમાબૂમ કરાવડાવે. એટલે પછી મનુષ્યોમાં આંટીઓ છૂટતી નથી. માટે એ છૂટવા માટે ચાર પગમાં જવું પડે છે.
પ્રશ્નકર્તા : એટલે પહેલું અતિક્રમણ બંધ થાય. અતિક્રમણ થોડો ટાઈમ બંધ થાય ત્યાં સુધી પેલો ભોગવી આવે.
દાદાશ્રી : ના. ભોગવે એટલે પેલું બધું ધોવાઈ જાય પછી. અતિક્રમણ કર્યા હતાં તેનું એ પ્રતિક્રમણ કરે.
પ્રશ્નકર્તા : એટલે ચાર પગમાં બીજાં અતિક્રમણ તો કરે નહીં, ભોગવવા જાય.
દાદાશ્રી : બીજી કશી ભાંજગડે નહીં. ભોગવવાને માટે જ ભોગવે, બસ. એ ભોગવે એટલે પછી પાછો આવે. એવું કશું નહીં કે ત્યાં ને ત્યાં ચોંટી રહે છે. એ કહેશે, મારે હવે અહીંના અહીં ચોંટી રહેવું છે, તોય ચોંટવા ના દે. હિસાબ ચૂકતે થઈ ગયો કે જાવ અહીંથી. ચાલ્યા જાવ.
પ્રશ્નકર્તા : અતિક્રમણ બહુ કર્યા હોય તો પશુયોનિમાં જ જાય ? - દાદાશ્રી : વધુ અતિક્રમણનું ફળ જ પશુયોનિ. અને બહુ મોટાં અતિક્રમણ થાય, એથી પણ મોટાં તો પછી નર્કયોનિ.
પ્રશ્નકર્તા: કેટલાક પશુઓને માણસો કરતાંય બહુ સારી રીતે રાખે છે.
દાદાશ્રી : એ તો કોઈ પુણ્યશાળી હોય કે પછી અતિક્રમણ વાળાય પુણ્યશાળી હોયને પાછા.
પ્રશ્નકર્તા : એટલે બન્ને કર્મ સાથે કર્યો હોય, અતિક્રમણ કર્યું
ઋણ પ્રમાણે ભોગવટો આ ભ્રષ્ટાચાર કરે એ બધું પાશવતા કહેવાય. એ બધું ભોગવવા જાનવરના અવતારમાં જવું તો પડે ને ?
પ્રશ્નકર્તા : સારું-ખરાબ ગમે તે બધું ઋણ ચૂકવીને જવાનું ને ?
દાદાશ્રી : હા, ઋણ તો બધું ચૂકવવું જ પડશે ને ? આપણે આ જ્ઞાન લીધા પછી ઋણ ના બંધાય એવો રસ્તો આપણી પાસે છે જ. આપણે જેટલા શુદ્ધાત્મામાં રહીએ તેટલું બિલકુલ ઋણ બંધાતું નથી. અને શુદ્ધાત્મામાંથી ચૂક્યા અને અતિક્રમણ થયું તો તેનું પ્રતિક્રમણ કરવાથી બધું ધોવાઈ જાય છે. એટલે આપણે જાગૃત રહીએ તો ! બાકી આ જ્ઞાન લીધા પહેલાં જે કર્મ બંધાયેલાં છે તે અમુક કર્મો ઓગળી ગયાં, ખલાસ થઈ ગયાં અને જે કર્મોનો ગઠ્ઠો થઈ ગયો હોય, જામી ગયેલાં હોય તે કર્મો તો ભોગવવા જવું પડે. પણ તે બહુ લાંબું નથી હોતું.
પ્રશ્નકર્તા : આપ મળ્યા પહેલાં તો જાતજાતનાં દોષો કરેલા તેનું શું કરવું ?
દાદાશ્રી : એનું જાણું પ્રતિક્રમણ કરવું. જાથું એટલે ભેળસેળવાળું. રોજ અડધો કલાક કરવું. નાનપણમાં કો'ક છોકરાને પથરો માર્યો હતો તેનું પ્રતિક્રમણ કરી નાખો. પ્રતિક્રમણ કરો એટલે પુદ્ગલ શુદ્ધ થઈ જાય.