________________
(૨૪) જીવનભરના વહેણમાં, તણાતાને તારે જ્ઞાન
૩૯૭
૩૯૮
પ્રતિક્રમણ
હું કહેતો હતો ને ના માન્યું, ને હવે ડાહી થઈ !” મેર ચક્કર, અવળો અર્થ કર્યો એને ? પછી ડફળાવી મારે બિચારીને. એના કરતાં ના કરશો. આ લોક તો બધાં અણસમજુ. એ તો કોક જ ખાનદાન માણસ હોય તે નરમ થઈ જાય અને પેલો તો કહેશે, ‘હવે ભાન થયું ? હું ક્યારનો કહું છું, માનતી નહોતી.” એ શું કહેશે એય મને ખબર હોય અને તમને શું થયું તેય મને ખબર હોય. નાટક, ડ્રામા ! એટલે આવું પ્રતિક્રમણ અમે કરી નાખીએ.
બુદ્ધિવાળા જગતમાં અમે કેટલું ધોયેલું ત્યારે ચોપડો છૂટેલો. અમે કેટલાય કાળથી ધોતા આવેલા ત્યારે ચોપડો છો. તમને તો મેં રસ્તો દેખાડ્યો. એટલે જલદી છૂટી જાય. અમે તો કેટલાક કાળથી જાતે ધોતા આવ્યા હતા.
આપણે તો પ્રતિક્રમણ કરી લેવું. એટલે આપણે જવાબદારીમાંથી છૂટ્યા. મને શરૂ શરૂમાં બધા લોકો ‘એટેક’ કરતા હતા ને ? પણ પછી બધા થાકી ગયા. આપણો જો સામો હલ્લો હોય તો સામા ના થાકે. આ જગત કોઈનેય મોક્ષે જવા દે તેવું નથી. એવું બધું બુદ્ધિવાળું જગત છે. આમાંથી ચેતીને ચાલે, સમેટીને ચાલે તો મોક્ષે જાય.
આ પ્રતિક્રમણ કરી તો જુઓ ! પછી તમારા ઘરના માણસોમાં બધામાં ચેન્જ થઈ જાય, જાદુઈ ચેન્જ થઈ જાય. જાદુઈ અસર !
અહીં માર ખાઈને પડી રહેવું સારું અને ત્યાં માલ ખાઈને પડી રહેવું તેય ખોટું છે. જગ્યા સારી-ખોટી જોઈ લેવી જોઈએને ?
પ્રશ્નકર્તા : તમે મને પ્રતિક્રમણ આપેલું જ્યારે આ પગ પેલો થયેલોને ત્યારે પણ બે દિવસમાં એની જાદુઈ અસર હતી, એ પ્રતિક્રમણની.
દાદાશ્રી : અમે આશીર્વાદ મોકલ્યા'તા. પ્રશ્નકર્તા : એની બહુ જાદુઈ અસર થઈ બે દહાડામાં.
દાદાશ્રી : જાદુઈ અસર છે આ અમારી, આજ્ઞાપૂર્વક પ્રતિક્રમણ કરે તો. ભગવાન ન કરી શકે એટલું કામ આ કરી શકે.
હવે ત પોષાય ગલીપચીઓ પ્રશ્નકર્તા : એમાં સારો અનુભવ થયો.
દાદાશ્રી : હા, એટલે વસ્તુસ્થિતિમાં આટલો સહેલો માર્ગ છે આ. સરળ છે. સમભાવી છે. કશું ઉપાધિ નહીં. અને પાછા માર્ગ બતાવનાર અને કૃપા કરનારા પોતે શું કહે છે, હું નિમિત્ત છું. માથે પાઘડીએ પહેરતા નથી. હેય, નહીં તો છેલ્લો ધોળો પાઘડો ઘાલીને ફર્યા કરે, તો આપણે ઉપાધિ પાછી, પાઘડીની. એટલે બધું સરળ થઈ પડ્યું છે. તો હવે આપણું કામ પૂરું કરી લો, એવું કહેવા માગું છું. બહુ સરળ નહીં આવે, આટલું બધું સરળ નહીં આવે ફરી. આવા ચાન્સ નહીં મળે. માટે આ ચાન્સ ઊંચો છેને, એટલે આ બીજી ગલીપચીઓ ઓછી થવા દોને. આ ગલીપચીઓમાં મજા નથી. લોક તો ગલીપચી કરનારા મળશે પણ એમાં તમારું હિત નથી. એટલે ગલીપચીના શોખ જવા દો હવે. એક અવતારે આ હવે અરધો અવતાર રહ્યો. આ એક આખો ક્યાં રહ્યો છે?
એમના શુદ્ધાત્માતે નમસ્કાર કરીને પ્રશ્નકર્તા : આપે જે સગા-સંબંધીઓનું પ્રતિક્રમણ કરવાનું જે કીધું એટલે એ લોકોની સાથે કંઈ એટલે કે જોયા જ કરવાનું કે બોલવાનું કશું ?
દાદાશ્રી : મનમાં બોલવાનું.
પ્રશ્નકર્તા : એમના પ્રત્યે રાગ કર્યો હોય તો એ પણ દોષ છે, દ્વેષ કર્યો હોય એ પણ દોષ છે, તો એનું પ્રતિક્રમણ કરવાનું ?
દાદાશ્રી : રાગ-દ્વેષ એકલું નહીં, બધી બહુ ચીજ બોલવી પડે. આ ભવમાં, સંખ્યાત-અસંખ્યાત ભવમાં રાગ-દ્વેષ, અજ્ઞાનતાથી જે દોષો થયા હોય તેનું આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરું છું, એવું બોલવું પડે.