________________
(૨૪) જીવનભરના વહેણમાં તણાતાને તારે જ્ઞાન
૩૮૫
૩૮૬
પ્રતિક્રમણ
મેં આ બધી બોલાવી હતી પણ આજે મારી ન હોય આ. એટલે મનવચન-કાયાથી વોસરાવી દઉં છું. હવે મારે કંઈ જોઈતું નથી. આ સુખ મેં અજ્ઞાનદશામાં બોલાવ્યું હતું, પણ આજે આ સુખ મારું ન હોય. એટલે મન-વચન-કાયાથી વોસરાવી દઉં છું. હવે મારે કંઈ જોઈતું નથી. જેમાં સુખ માન્યું હતું તેને આપણે બોલાવ્યા, પણ અત્યારે તો આપણી દૃષ્ટિ બદલાઈ ગઈ એટલે આપણને એ સુખ મિથ્યાભાસ લાગવા માંડ્યા. સાચું સુખ તો નહીં પણ મિથ્યા સુખેય નહીં, પણ મિથ્યાનોય ભાસ લાગ્યો !
શોર્ટ પ્રતિક્રમણ
નિકાલ થઈ જશે. પચાસ પડવાળા દોષોનો પચાસ પ્રતિક્રમણમાં નિકાલ થઈ જશે. પ્રતિક્રમણ કર્યું એટલે એનું ફળ તો અવશ્ય મળે જ. અવશ્ય ચોખ્ખું થાય છે.
અતિક્રમણનું પ્રતિક્રમણ હોવું જોઈએ. અહીંયાં આવીને કશું અતિક્રમણ કર્યું નથી. એટલે તમારે એનું પ્રતિક્રમણ કરવાનું રહેતું નથી. અતિક્રમણ કરો તો જ પ્રતિક્રમણ કરવાનું છે.
યાદનું પ્રતિક્રમણ : ઈચ્છાનું પ્રત્યાખ્યાન પ્રશ્નકર્તા : યાદ આવે તેનું પ્રતિક્રમણ કરવું અને ઇચ્છા થાય તેનું પ્રત્યાખ્યાન કરવું એ સમજાવો.
દાદાશ્રી : યાદ આવે છે એટલે જાણવું કે અહીં આગળ વધારે ચીકણું છે તો ત્યાં પ્રતિક્રમણ કર કર કરીએ તો બધું છૂટી જાય.
પ્રશ્નકર્તા : તે જેટલી વાર યાદ આવે એટલી વાર કરવું ?
દાદાશ્રી : હા, એટલી વખત કરવું. આપણે કરવાનો ભાવ રાખવો. એવું છેને, યાદ આવવાને માટે ટાઈમ તો જોઈએને, તો આનો ટાઈમ મળે. રાતે કંઈ યાદ આવતા નહીં હોય ?
પ્રશ્નકર્તા : એ તો કંઈ સંજોગ હોય તો. દાદાશ્રી : હા, સંજોગોને લઈને. પ્રશ્નકર્તા : અને ઇચ્છાઓ આવે તો ?
દાદાશ્રી : ઈચ્છા થવી એટલે સ્થૂળવૃત્તિઓ થવી. પહેલાં આપણે જે ભાવ કરેલો હોય તે ભાવ ફરી ઊભા થાય છે અત્યારે, તો ત્યાં આગળ પ્રત્યાખ્યાન કરવું.
પ્રશ્નકર્તા : તે વખતે ‘દાદાએ કહેલું કે આ વસ્તુ હવે ન હોવી ઘટે. દરેક વખતે એવું કહેવાનું.
દાદાશ્રી : આ વસ્તુ મારી ન હોય, વોસરાવી દઉં છું. અજ્ઞાનતામાં
આ અક્રમ વિજ્ઞાનનો હેતુ જ આખો શૂટ ઑન સાઈટ (દેખો ત્યાંથી ઠાર) પ્રતિક્રમણનો છે. એના બેઝમેન્ટ (પાયા) ઉપર ઊભું રહ્યું છે. ભૂલ કોઈની થતી જ નથી. સામાને આપણા નિમિત્તે જો કંઈ નુકસાન થાય તો દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી મુક્ત એવાં તેના શુદ્ધાત્માને યાદ કરીને પ્રતિક્રમણ કરવું.
પ્રશ્નકર્તા : પણ દર વખતે આખું લાંબું બોલવું ?
દાદાશ્રી : ના, એવું કશું નહીં. શોર્ટમાં પતાવી દેવાનું. સામાના શુદ્ધાત્માને હાજર કરી તેમને ફોન કરવો કે “આ ભૂલ થઈ, માફ કરો'.
પ્રશ્નકર્તા : પ્રતિક્રમણમાં પણ ગમે ત્યારે શૂટ ઑન સાઈટ કરીએ એટલે સ્થિરતાથી બેસવાની જરૂર નહીં ?
દાદાશ્રી : સ્થિરતાથી બેઠા ના હોય પણ પ્રતિક્રમણ કરે તો ચાલે પણ શૂટ ઑન સાઈટ, દોષ થઈ ગયો કે તરત. પછી તો વખતે રહીએ જાય, ભૂલી જઈએ ત્યારે ? (માટે શૂટ ઑન સાઈટ પ્રતિક્રમણ કરવું.)
પછી તા ચીટકે પરભવે પ્રશ્નકર્તા : દિવસમાં કેટલાં પ્રતિક્રમણ કરવાનાં ? દાદાશ્રી : જેટલા દોષ કરો એટલાં જ પ્રતિક્રમણ, વધારે નહીં.