________________
(૧૯) જૂઠના બંધાણીને...
૩૨૭
૩૨૮
પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો આ પરિણામ છે.
પ્રશ્નકર્તા : પણ ખોટું કરે તો પાછું બીજા જન્મમાં તકલીફ પડેને ?
પ્રશ્નકર્તા : જાણી જોઈને ખોટું કરીએ ને પછી પ્રતિક્રમણ કરી લઈશું કહીએ તો તે ચાલે ?
દાદાશ્રી : ના. જાણી જોઈને ના કરવું. પણ ખોટું થઈ જાય તો પ્રતિક્રમણ કરી લેવાય.
એક માણસને તમે કહો કે “તમે જૂઠા છો', હવે જૂઠા કહેતાંની સાથે તો એટલું બધું “સાયન્સ’ ફરી વળે છે મહીં, એના પર્યાયો એટલા બધા ઊભા થાય છે કે તમને બે કલાક તો એના પર પ્રેમ જ ઉત્પન્ન ના થાય. એટલા બધા પર્યાય ઉત્પન્ન થાય છે. માટે શબ્દ બોલતા પહેલાં... બોલાય નહીં તો ઉત્તમ કહેવાય. અને બોલાય તો પ્રતિક્રમણ કરો. બોલાય નહીં એવું તો આપણે કહી શકતા નથી. કારણ કે વ્યવસ્થિત છેને, પણ બોલાય તો પ્રતિક્રમણ કરો. એ આપણી પાસે સાધન છે. પ્રતિક્રમણ કરો તો છે કે નહીં ? પ્રશ્નકર્તા : હા.
ખાલી જવાતી આ “દુકાત' પ્રશ્નકર્તા : તો પછી આ જિંદગી જીવવાની કેવી રીતે ? દાદાશ્રી : શી રીતે જીવાય છે એ જોવાનું.
પ્રશ્નકર્તા : તો પછી સાચું-ખોટું એનું ડિસિઝન (નિર્ણય) કેવી રીતે લેવાનું ?
દાદાશ્રી : ‘ચંદુભાઈ’ કરે તે જોયા કરવાનું. પ્રશ્નકર્તા : ‘ચંદુભાઈ ખોટું કરે તો વાંધો નહીં ?
દાદાશ્રી : ‘ચંદુભાઈ જે કરે એ “ડિસ્ચાર્જ સ્વરૂપ છે. એમાં ફેરફાર થાય એવો નથી. ‘ડિસ્ચાર્જ હંમેશાં ફેરફાર થાય નહીં. ઇફેક્ટમાં ફેરફાર ના થાય એવું તમે સાંભળેલું ? પરીક્ષા આપવામાં ફેરફાર કરી શકાય, પણ એના પરિણામમાં ફેરફાર થાય ખરો ?
દાદાશ્રી : ના પડે. તમારે તો ફક્ત “ચંદુભાઈને એમ કહેવાનું કે ‘પ્રતિક્રમણ કરો', સારું કર્યું હોય તેય બીજા જન્મમાં આવે પાછું. સારું-ખોટું, કશું આપણને કંઈ લેવાદેવા નથી. આપણે નિકાલ કરી નાખવાનો છે. આ દુકાન કાઢી નાખવાની છે. સારો માલ હોય, રાશી માલ હોય તે દુકાનમાંથી કાઢી નાખવાનો છે. આ પરિણામ છે હવે.
આજ્ઞામાં રહેવાનો નિશ્ચય માત્ર પ્રશ્નકર્તા : આપે જે પાંચ આજ્ઞાઓ કહી તો એના આધારે જીવવાનું, એવું નહીં ?
દાદાશ્રી : પાંચ આજ્ઞા પાળવાની. તેથી આત્માને રક્ષણે થાય, આ જ્ઞાનને રક્ષણ થાય. એમાં અઘરી નથીને ?
પ્રશ્નકર્તા : ના, અઘરી તો છે જ. તમે જે સમભાવ રાખવાનો કહ્યો, તે કોઈની ઉપર ગુસ્સે ના થવું, બોલવાનું નહીં.
દાદાશ્રી : ના, એ તો તમારે મનમાં નક્કી કરવાનું કે “મારે સમભાવે નિકાલ કરવો’ એટલું જ. બીજું તમારે કંઈ જોવાનું નહીં. થયું કે ના થયું એ જોવાનું નહીં.
પ્રશ્નકર્તા : જે રીતે થાય એમ ?
દાદાશ્રી : એ ભાંજગડમાં તમારે પડવાનું નહીં. સાચું-ખોટું હોતું જ નથી હવે. ભગવાનને ત્યાં સત્ય અને અસત્ય બેઉ હોતું જ નથી. આ તો બધી અહીં સમાજવ્યવસ્થા છે. હિન્દુઓનું સત્ય, મુસ્લિમોનું અસત્ય થાય. ને મુસલમાનોનું સત્ય તે હિન્દુઓને અસત્ય થાય. ભગવાનને ત્યાં સાચું-ખોટું કશું હોતું જ નથી. ભગવાન તો એટલું કહે