________________
(૧૮) વિષય જીતે તે રાજાઓનો રાજા !
પ્રશ્નકર્તા : અમુક વખત તો પ્રતિક્રમણ કરવાનો કંટાળો આવી જાય છે. એકદમ એટલા બધાં કરવા પડે.
૩૧૫
દાદાશ્રી : હા, આ અપ્રતિક્રમણનો દોષ છે. તે ઘડીએ પ્રતિક્રમણ ના કર્યા, તેને લઈને આજે આ બન્યું. હવે પ્રતિક્રમણ કરવાથી ફરી દોષ ઊભો નહીં થાય.
પ્રશ્નકર્તા : પણ અમુક વખતે તો ઘણાં બધાં પ્રતિક્રમણ કરીએ છીએ ને પાછું પ્રતિક્રમણ કરવાનું એટલે બહુ ગુસ્સો આવે ? આમ કેમ થઈ જાય છે ?
દાદાશ્રી : મહીં બગડવું ના જોઈએ. મહીંનું મહીં બગડ્યું હોય તે વખતે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવું. નહીં તો દાદા પાસે રૂબરૂ આવીને કહી દેવું કે આવું અમારું મન બહુ બગડી ગયું'તું. દાદા, તમારાથી કંઈ છૂપું રાખવું નથી. એટલે બધું ઊડી જાય. અહીંની અહીં જ દવા આપીએ. બીજા કોઈને દોષ બેઠો હશેને તે અમે ધોઈ આપીશું, પણ અહીં જ્ઞાનીપુરુષ આવ્યા હોય ને દોષ બેઠો તો પછી કોણ ધોશે ? એટલે અમે કહીએ કે જો જો હોં ! કોઈ મન બગાડશો નહીં.
સંસાર પરિભ્રમણતું મૂળ કારણ
આ વિષય એક જ વસ્તુ એવી છે દુનિયામાં જે બંધનકારક થવાને માટે કારણ છે. એનાથી જગત ઊભું થયું છે. જગત આખું આમાંથી જ ઉત્પન્ન થયું છે અને એમાં બધું ઊભું થયું છે. માટે આને અત્યારે પહેલેથી અભિપ્રાય જ એવો ફેરવી નાખવો જોઈએ કે અભિપ્રાય બીજો રહે જ નહીં. રોજ રોજ અભિપ્રાય ફેરવવો જોઈએ સામાયિક કરીને, પ્રતિક્રમણ કરીને.
પ્રશ્નકર્તા : માણસે પ્રતિક્રમણ કરીને પણ અભિપ્રાય ફેરવી નાખવો જોઈએ ?
દાદાશ્રી : હા.
પ્રતિક્રમણ
આઠસો પાનાનું બ્રહ્મચર્યનું પુસ્તક લખ્યું છે, તે તમે વાંચ્યું ? ‘વંડર ઑફ ધી વર્લ્ડ' (દુનિયાની અજાયબી) કહે છે. બ્રહ્મચર્ય રાખવું હોય તો આ સાધન આપ્યું છે.
૩૧૬
પ્રતિક્રમણતું સબ્સ્ટિટયૂટ (અવેજી)
પ્રશ્નકર્તા : આપે જે કહ્યું છેને, કે સવારના પહોરમાં આટલું બોલવું કે ‘આ મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો' તો આટલું ચાલે ખરું ? પેલામાં ?
દાદાશ્રી : એ પાંચ વખત બોલે પણ એ રીતે બોલવું જોઈએ કે પૈસા ગણે અને જેવી સ્થિતિ હોય એવી રીતે બોલવું જોઈએ.
પ્રશ્નકર્તા : એવી જ રીતે આ વિષયના પ્રતિક્રમણની બાબતમાં જો એવું એક સવારના પાંચ વખત બોલે તો ચાલે ? કારણ કે આ તો કેટલાં પ્રતિક્રમણ કરે, કેટલી બધી વાર આંખ ખેંચાય ?
દાદાશ્રી : હા, ચાલે, ચાલે. પણ કેવું બોલવું જોઈએ ? રૂપિયા ગણતી વખતે જેવું ચિત્ત હોય છે, એવું રાખવું જોઈએ. રૂપિયા ગણતી વખતે અંતઃકરણ જેવું હોય એવું રાખવું પડે, બોલતી વખતે.
એતાં તો દરરોજનાં હજાર-હજાર પ્રતિક્રમણ
અત્યારે ફક્ત આંખને સંભાળી લેવી. પહેલાં તો બહુ કડક માણસો, આંખો ફોડી નાખતા'તા. આપણે આંખો ફોડી નાખવાની નહીં. એ મૂર્ખાઈ છે, આપણે આંખ ફેરવી નાખવાની.
એમ છતાં જોવાઈ જાય તો પ્રતિક્રમણ કરી લેવું. એક મિનિટ પણ પ્રતિક્રમણ ચૂકશો નહીં. ખાધા-પીધામાં વાંકું થયું હશે તો ચાલશે. સંસારનો મોટામાં મોટો રોગ જ આ છે. આને લઈને જ સંસાર ઊભો રહ્યો છે. આના મૂળિયાં પર સંસાર ઊભો રહ્યો છે. મૂળ જ છે આ.
ડહાપણપૂર્વક કામ કાઢી લેવાનું છે. અત્યારે કંઈ કાળાબજારનો