________________
૩૧૦
પ્રતિક્રમણ એવું છે. એટલે અમે ફક્ત વિષય સંબંધીનું એલાનું ચેતતા રહેવાનું કહીએ છીએ.
[૧૮] વિષય જીતે તે રજાઓતો રાજા !
અટકણથી છૂટવાતું હવે હવે મહીં બિલકુલ ‘ક્લિઅરન્સ’ (ચોખ્ખ) થઈ જવું જોઈએ. આ ‘અક્રમ જ્ઞાન’ મળ્યું ને પોતાને નિરંતર સુખમાં રહેવું હોય તો રહી શકાય એવું આપણી પાસે ‘જ્ઞાન' છે. માટે હવે કેમ કરીને અટકણ છૂટે, કેમ કરીને એનાથી આપણે છૂટા થઈ જઈએ, એ ઉકેલ લાવવો જોઈએ. તે માટે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરીને પણ ઉકેલ લાવી નાખવાનો. પહેલાં સુખ ન હતું ત્યાં સુધી તો અટકણમાં જ માણસ પડેને ? પણ સુખ કાયમનું ઊભું થયા પછી શેને માટે ? સાચું સુખ શાથી ઉત્પન્ન થતું નથી ? તે આ અટકણને લઈને આવતું નથી !
ચેતો માત્ર વિષયની સામે પ્રશ્નકર્તા: હવે દાદા, સમજમાં આવે છે કે આપણે આ ખોટું કરીએ છીએ, તો પણ થઈ જાય છે.
દાદાશ્રી : પછી પ્રતિક્રમણ થતાં નથી ?
પ્રશ્નકર્તા : થાય છે પણ ચંદુભાઈ ખોટું કરે છે ત્યારે અટકી નથી જવાતું. પછી તરત પ્રતિક્રમણ થાય છે. પણ એક વાર તો એક સેકંડની અંદર બાજી ઊંધી વાળી નાખી દે.
દાદાશ્રી : બધું ખોટું થાય છે તેનો વાંધો નથી. પણ એક આ વિષય એકલું જ છે તે એવી વસ્તુ છે કે આ આને બધું એ કરી નાખે
ભૂલો દહાડે દહાડે હજુ દેખાતી નથી. એનું કારણ શું છે કે ખોરાક બહુ ત્યારે નુકસાન કરે તો બે-ત્રણ કલાક સુધી પ્રમાદ ચઢી જાય, પછી ઉતરી જાય. પણ આ વિષયનો કેફ આખો દિવસ ચોવીસ કલાક રહે છે. એટલે એને ભૂલ દેખાતી જ નથી. એટલે વિષયથી નિવૃત્ત થાય, ત્યારે ભૂલ દેખાવાની શરૂઆત થશે. ખરી ભૂલો, મોટી ભૂલો, જેને સૂક્ષ્મ કહેવાય છે, એટલે આ એકલો જ આધાર નડે છે. જેને જેટલી ઉતાવળ હોય, એ પ્રમાણે પ્રતિક્રમણ કર્યા કરે. એમાં કોઈ એવું નથી કે આમ જ કરવું.
આકર્ષણ અમુકતું જ શાને? પ્રશ્નકર્તા : મનમાં નક્કી કર્યું હોય કે કોઈ છોકરા માટે ખરાબ વિચાર ના આવે, પણ મને ખરાબ વિચાર ના આવે પણ એનું મોટું દેખાયા કરે, પ્રતિક્રમણ કરું તોય પાછું એ તો એવું દેખાયા કરે છે તો શું કરવું ?
દાદાશ્રી : તો દેખાયા કરે તેમાં શું? તો આપણે જોયા કરવાનું. ફિલમમાં જુએ છે તેથી આપણને દુઃખ થાય ? એટલે દેખાય તો ખરો જ ને. મહીં ચોખ્ખું થાય એટલે વધારે દેખાય ઊલટું, પ્યૉર દેખાય. તે દેખાય એને આપણે જોયા કરવાનું પ્રતિક્રમણ કરીને, બસ !
પ્રશ્નકર્તા : એના તરફ આકર્ષણ થાયને, એ ગમે નહીં એટલે એનું પ્રતિક્રમણ કરે, પણ તોય એ વધારે ને વધારે દેખાયા કરે.
દાદાશ્રી : એ દેખાય તે બરોબર છે. પણ દેખાવું તો જોઈએ, ના દેખાય એવું કામનું જ નહીં. ના દેખાય તો પ્રતિક્રમણ થયું કહેવાય નહીં. એટલે દેખાય એટલે પ્રતિક્રમણ થાય. અને પ્રતિક્રમણ થાય એટલે પછી છે તે ધીમે ધીમે ઓછું થતું જાય. ગાંઠ મોટી હોય તો એકદમ ઓછું ના થાય.