________________
૨૬૬
પ્રતિક્રમણ
ઉદય ભારે ચીકણા હોય. તેથી આ પ્રત્યાખ્યાનાવરણ કષાય એમ લખ્યું. તે હું બહુ વિચાર કરતો હતો કે ઓહોહો ! આ પ્રત્યાખ્યાનાવરણ એ કષાય પાછા કઈ જાતના ? જ્ઞાન થતાં પહેલાં હું બહુ વિચાર કરતો હતો. કારણ કે એ લોકોએ શું કહ્યું, અવિરત કષાય એટલે અનંતાનુબંધી પછી અપ્રત્યાખ્યાની, આ પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કર્યું નથી એવા કષાયને શું કહે છે ? ‘અપ્રત્યાખ્યાની.’
પ્રશ્નકર્તા : હવે અનંતાનુબંધીમાંથી અપ્રત્યાખ્યાનીમાં આવે, પછી પ્રત્યાખ્યાનીમાં આવે. તો એ જે પ્રોસીજર (પ્રક્રિયા)માં આવવાની જે દશા છે એની પાછળ સમકિતની દૃષ્ટિ છે ?
દાદાશ્રી : સમકિત જ. સમકિત દૃષ્ટિને લઈને જ આગળ વધ્યા
(૧૪) કાઢે કષાયની કોટડીમાંથી...
૨૬૫ પૂછીએ કે સમકિત થયું તો કહે કે, “ના, નથી થયું.’ એ સમકિત છે નહીં. અનંતાનુબંધીની હાજરીમાં ઉપદેશ આપવો, એ મિથ્યાત્વી કહેવાય.
અને મિથ્યાત્વી એટલે ‘પોઈઝનસ.’ એટલે ભગવાને શું કહ્યું કે તીર્થકરોની વાણી મિથ્યાત્વી વાંચે તો ‘પોઈઝન' થાય અને મિથ્યાત્વીની વાણી, મિથ્યાત્વ પુસ્તકો, ધર્મ પુસ્તકો, એને જો કદી સમક્તિ જીવ વાંચે તો એ અમૃત થાય. કારણ કે સાપના મોઢામાં દૂધ જાય તો એ ત્યાં ‘પોઈઝન’ થાય. અત્યારે આ બધે નર્ક જવાની નિશાની છે, કહીએ ત્યારે મારામારી કરે, હિંસા વધે. એટલે અમે બોલીએ નહીં, આ શબ્દ કે જે સામાને સમજાય નહીં, ત્યાં બોલવાનો શું શોખ ? પૂછે તો હું જવાબ આપું. એક બાઈએ છોડી દીધું હઉં. અને પછી જ્ઞાન લેવા આવ્યાં. એ મહાસતી કહે કે “અમે વ્યાખ્યાન બે વખત કરીએ છીએ. અને અમે આવું જ કરીએ છીએ. અમે નરકે જવાની તૈયારી કરી છે. એટલે તો અમારે એમને ઉપદેશ આપવાનું મન થાય છે. અને તમારી પાસે જ્ઞાન લઈએ તો ઉપદેશ અપાય ?” મેં કહ્યું, ‘હા, અપાય.’ પછી એમણે જ્ઞાન લીધું. આવા બધા પાટ ઉપરના લોકોએ જ્ઞાન લીધું ને એનું બહુ સારું પરિણામ આવે છે.
સમક્તિ દૃષ્ટિથી જ ભેદાય આવરણો પ્રશ્નકર્તા: જ્ઞાયક સ્વભાવીના સંસારી ઉદયો આવે ત્યારે એ એમાં ઉદયવશ ના થાય ?
દાદાશ્રી : ના, ઉદયનો એ જ્ઞાતા હોય. ઉદયનો જ્ઞાતા હોય ત્યારે જ્ઞાયક સ્વભાવ કહેવાય, અને ઉદયનો જ્ઞાતા ના હોય ત્યારે ઉદયવશ કહેવાય.
પ્રશ્નકર્તા : દાદા, એક વખત જ્ઞાયક સ્વભાવમાં આવ્યો હોય એ પછી પાછો ઉદયવશ થઈ જાય ખરો ?
દાદાશ્રી : એ તો ઉદયવશ થઈ જાયને, ભારે ઉદય આવે ત્યારે,
જીવતો ગયો તે રહો મડદાલ તે આપણને જે આ ચારે કષાયનું એક પણ કષાય હોય નહીં. એ કષાય મુક્ત બનેલા. ચિંતા રહિત માણસ થઈ શકે નહીં અને ક્રમિક માર્ગમાં ચિંતા રહિત માણસ કોઈ હોય નહીં. જ્ઞાનીઓય ચિંતા રહિત ના હોય. એ અંદર આનંદ હોય, અને બહાર ચિંતા હોય. વ્યવહારમાં, એમને અJશોચ હોય. ભવિષ્યમાં શું થશે એનો. અને ‘અમને’ અગ્રોચ ના હોય. અમે ‘વ્યવસ્થિત’ પર છોડી દીધું. કારણ કે અગ્રલોચ ક્યાં સુધી ? શોચ કરનારો જીવતો હોય. અને તમારે શોચ કરનારો જીવતો નહીં ને ? કોણ શોચ કરનારો ?
પ્રશ્નકર્તા : ‘ચંદુલાલ.”
દાદાશ્રી : હા, એટલે અહંકાર જીવતો છે. અહંકાર બે પ્રકારના. એક કર્મના કર્તા સ્વરૂપે અને એક ભોક્તા સ્વરૂપે..
પ્રશ્નકર્તા : હા, એ કર્તા સ્વરૂપે અહંકાર તો ગયો.
દાદાશ્રી : કર્તા સ્વરૂપે જીવંત અહંકાર છે જીવતો, અને ભોક્તા સ્વરૂપે મુડદાલ અહંકાર છે. અને મડદાલ બીજું કશું કરી શકે નહીં.