SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) કાઢે કષાયની કોટડીમાંથી.. ૨૬ ૧ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાતાવરણ કષાય પ્રત્યાખ્યાનાવરણ એટલે શું ? પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કર્યું તોય કષાયો આવે છે. એ તો કેટલાય પડવાળા છે, એ આવે છે. થોડાં પડવાળા જતા રહ્યા, પણ બહુ પડવાળા પ્રત્યાખ્યાન આવરણ. લાખો પ્રતિક્રમણ કરો તોય ના જાય. પ્રશ્નકર્તા : એ ક્યા દોષો ? દાદાશ્રી : એને પ્રત્યાખ્યાનાવરણ કહ્યા છે. પ્રત્યાખ્યાન કર્યા છે તોય તે જતા નથી. પ્રશ્નકર્તા : તે શું કારણ એટલું બધું ? દાદાશ્રી : બહુ ઊંડા, જાડા ! પાંચ હજાર પડ હોયને ડુંગળીનાં, તે આપણે પડ ઉતાર ઉતાર કરીએ તોય એ દેખાયા કરે ને. એક જાતનું આવરણ છે. બધાનામાં એક-બે હોય, વધારે ના હોય. પ્રશ્નકર્તા : એ વારંવાર આવ્યા કરે ? દાદાશ્રી : હા, વારંવાર તે આવ્યા કરે. પ્રશ્નકર્તા : પણ ગમે ત્યારે તો જાય ને ? દાદાશ્રી : જવા માંડે. હિસાબ થવા માંડે એટલે ઓછું જ થાય, એ જવાને માટે વાંધો નથી. જવાના તો ખરા જ પણ આજે શું વાંધો આવ્યો ? પ્રતિક્રમણ કરું છું, પ્રત્યાખ્યાન કરું છું, પણ પાછાં આવે છે ? એટલે અપ્રત્યાખ્યાન આવરણ કર્યા પ્રત્યાખ્યાન કરીને. પણ હવે એ પ્રત્યાખ્યાનનું આવરણ થયું તેનું શું થાય ? પ્રશ્નકર્તા : એનુંય આવરણ થાય ? દાદાશ્રી : હા, સાબુથી તો તું અત્યારે મેલ કાઢે, પણ સાબુનો મેલ આવ્યો તેનું ? એટલે પ્રત્યાખ્યાનાવરણ. એટલે પછી આમ કરતાં કરતાં વધતું વધતું ચોખ્ખું થાય ને એ પ્રત્યાખ્યાનાવરણ ! પ્રત્યાખ્યાન કર્યા હોય તોય દોષ થાય તે પ્રત્યાખ્યાનાવરણ કષાય કહેવાય. કારણ કે જાથું પ્રતિક્રમણ કરેલુંને, તેથી. સંજવલન કષાય, નિરંતર પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન હોય તેને પ્રત્યાખ્યાનાવરણ કહેવાય. એ છઠ્ઠ ગુંઠાણું. પહેલાંનાં અપ્રત્યાખ્યાનનું અત્યારે પ્રત્યાખ્યાન કરે. છઠ્ઠ નિશ્ચયનું ને વ્યવહારનું ગુંઠાણું બાપજીનું ક્યારે કહેવાય ? ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન હોય. પહેલાંનાં પ્રત્યાખ્યાનનું અત્યારે ઉદય આવ્યો હોય તે ત્યાગ વર્તે. એટલે છઠ્ઠ ગુંઠાણું કોને કહેવાય ? કષાય કાર્યકારી થાય. રૂપકમાં દેખાય એવા કાર્યકારી થાય. રૂપક તો વાત જુદી છે, પણ કાર્યકારી કષાય દેખાય. હવે પ્રતિક્રમણ હોવા છતાં કાર્યકારી થાય છે, માટે પચ્ચખાણી પ્રતિક્રમણ કર્યા છે, છતાં હજી બાકી રહ્યું છે આ. આ ગાંઠ મોટી હોવાથી એ પ્રત્યાખ્યાની કહેવાય. પ્રત્યાખ્યાન આવરણ છે. અને મહીં ઉદય થાય પણ કાર્યકારી ના થાય તો એ સંજ્વલન કહેવાય. ધોલ-બોલ ના આપી દે, પ્રત્યાખ્યાનાવરણમાં પણ મહીં દુઃખ થાય, વેદના થાય. પણ સમાધિ રહે છે એ તો જ્યારે અનુભવ થાય ને ત્યારે ખબર પડે કે “આ શું છે. એટલે આ વાત જુદી જાતની છે ! ક્રોધ-માન-માયા-લોભ પ્રત્યાખ્યાની હોય. એટલે કેવાં ? કે બીજાને ખબર ના પડે. બીજો કોઈ બુદ્ધિવાળો પણ બુદ્ધિથી માપી ના જાય કે આ ક્રોધે ભરાયા છે. એ પોતે એકલા જ જાણે. એ પ્રત્યાખ્યાની હોય ! એટલે પંચ મહાવ્રતધારીની તો વાત જ ક્યાં થાય ? એવો જો કોઈ હોય તો બહુ થઈ ગયું ને આ કાળમાં. એ પ્રત્યાખ્યાની ગયા, એટલે પછી સંજવલન કષાયો રહ્યા. છઠ્ઠાથી તવમાં ગુણસ્થાતકતી દશાઓ વ્યવહાર ગુંઠાણું બધાનું ફર્યા કરવાનું. કોઈ ચોથામાં આવે, કોઈ
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy