________________
(૧૨) છૂટે વ્યસનો, જ્ઞાની રીતે
૨૧૧
૨૧૨
પ્રતિક્રમણ
યાદ નથી આવતા તેની કશી ભાંજગડ નથી.
પ્રમાણથી વધારે આપે ને જબરજસ્તી કરે તોય દુ:ખ છે. તમને વધારે આપે તો શું કરો ?
પ્રશ્નકર્તા : આપણે ના જ પાડવી પડે. નહીં તો ખાઈએ તો દુ:ખી થઈએ.
દાદાશ્રી : હાથ જોડીને જેમ તેમ કરીને પતાવવું પડે. એ જગતમાં બધું એવું છે. નોર્માલિટી આવવી મુશ્કેલ છે.
નિયમભંગતા પ્રતિક્રમણ ધ્યેય પ્રમાણે શું ના થયું એ લખી રાખી રાતે પ્રતિક્રમણ કરવું. તોય બહુ થઈ ગયું.
પ્રશ્નકર્તા : દાદા હજુ, ઘણી વખત સહેજ વધારે ખવાઈ જાય છે પણ એનું પ્રતિક્રમણ થઈ જાય છે.
દાદાશ્રી : એનો વાંધો નહીં.
પ્રશ્નકર્તા: અમે પ્રતિક્રમણ એવી રીતે કરીએ છીએ કે, “હે દાદા ભગવાન ! જ્ઞાની પુરુષ પાસે મેં જે નિયમ લીધો છે. તેનો ભંગ થયો છે. તે બદલ હું ક્ષમા માગું છું.’ એ પ્રમાણે કરીએ તો ચાલેને ?
દાદાશ્રી : એટલે આપણે નિયમને જ વળગી રહ્યા છીએ. અને દેહ છે તે નિયમની બહાર ગયો છે. કારણ કે આપણે સત્સંગ કરાવડાવીએ છીએને, એટલે આપણે નિયમને વળગી રહ્યા છીએને એ નક્કી છે. આપણે આજ્ઞા પાળવી છે.
દાદાશ્રી : તે એને “તું” એવું રાખજે, કે આ ખોટી છે, ખરાબ વસ્તુ છે એવું. અને કો'ક કહે કે સીગરેટ કેમ પીવો છો ? તો એનું ઉપરાણું ના લઈશ. ખરાબ છે એમ કહેવું કે ભઈ, મારી નબળાઈ છે એમ કહેવું. તો કો'ક દહાડો છૂટશે. નહીં તો નહીં છોડે છે. છોડવાનો પ્રયત્ન કરું છું ?
પ્રશ્નકર્તા : કરું છું પણ નથી છૂટતી.
દાદાશ્રી : ના, પણ એવા પ્રયત્ન નહીં કરવાના. આપણે તો એનું ઉપરાણું નહીં લેવાનું. કોઈ કહે, “સીગરેટ છોડી દેને.’ ત્યારે કહું કે, “ભઈ ના. એને છોડવાની જરૂર નથી’, એવું તેવું તું ઉપરાણું ગમે તે લઈ લઉં. અપમાન થાય ત્યાં ઓગળે એવું હતું, ત્યારે તું એમ કહું કે ના, સીગરેટ પીવી જોઈએ. તો શું થાય ? એ જાય નહીં. અને આને હંમેશાં ખોટી છે એ વસ્તુ, એવું માન્યા કરજે. એટલે એક દહાડો છૂટી જશે.
પ્રશ્નકર્તા : આપણે ડિસ્ચાર્જ જે થતો હોય તે જોયા કરીએ અને પ્રતિક્રમણ ના કરીએ તો એ વધે કે ઘટે ?
દાદાશ્રી : એ કશું વધે નહીં. પ્રતિક્રમણ ના કરીએ તો એ પરમાણુ છે તે ફરી પાછા આગળ દેખાશે, એ આવતા ભવમાં.
પ્રશ્નકર્તા : પણ અત્યારે ભરીએ નહીં, ખાલી જોયા કરતા હોઈએ તો ?
દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી. હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) જરૂર નથી. આ તો પ્રતિક્રમણનું મેં શા માટે મૂકેલું છે, નહીં તો અભિપ્રાયથી છૂટશો નહીં. પ્રતિક્રમણ કર્યું એટલે અભિપ્રાયથી સામા થઈ ગયા. એ અભિપ્રાય અમારો નથી હવે. નહીં તો અભિપ્રાય મોળો પણ રહી જશે. પ્રતિક્રમણ કરવાની જરૂર નથી આ વિજ્ઞાનમાં. ફક્ત આ એટલા માટે મૂકેલું, નહીં તો અભિપ્રાય એક રહેશે, ‘કશો વાંધો નહીં? કહેશે.
પ્રશ્નકર્તા : હા.
પ્રત્યાખ્યાન કરીને પીધી ચા પ્રશ્નકર્તા : મને સીગરેટ પીવાની ખરાબ ટેવ પડી ગઈ છે.