SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : પહેલાં મને બહુ ડર લાગતો હતો. હવે ડર નથી લાગતો. (૮) ‘આ’ તૂટે શૃંખલા ઋણાનુબંધની ૧૬૩ માફી માંગ માંગ કરો, બે જ દહાડામાં એ તિરસ્કાર બંધ થઈ જશે. એ ના જાણે પણ તમે અંદર માફી માંગ માંગ કરો, જેના તરફ જે જે દોષ કર્યા હોય એના નામની, ‘હે ભગવાન ! હું ક્ષમા માગું છું.’ આ દોષોનું પરિણામ છે. તમે કોઈ પણ માણસ જોડે જે જે દોષ કર્યા હોય, તો અંદર બેઠેલા ભગવાન પાસેથી તમે માફી માંગ માંગ કરો, તો બધું ધોવાઈ જશે. સગાંવહાલાંનાં પ્રતિક્રમણ આ (રિલેટિવ સંબંધો) તો નાટક છે. નાટકમાં બૈરી-છોકરાંને પોતાનાં કાયમનાં કરી લઈએ તે કંઈ ચાલી શકે ? હા, નાટકમાં બોલે તેમ બોલવામાં વાંધો નહીં કે ‘આ મારો મોટો દીકરો, શતાયુ.” પણ બધું ઉપલક, નાટકીય. આ બધાને સાચા માન્યા તેનાં જ પ્રતિક્રમણ કરવાં પડે છે. જો સાચું ના માન્યું હોત તો પ્રતિક્રમણ કરવા ના પડત. જ્યાં સત્ય માનવામાં આવ્યું ત્યાં રાગ અને દ્વેષ શરૂ થઈ જાય અને પ્રતિક્રમણથી જ મોક્ષ છે. આ ‘દાદા' દેખાડે છે તે આલોચનાપ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનથી મોક્ષ છે. પ્રશ્નકર્તા : ક્યારેક તો મન દુ:ખી થઈ જાય કે, એમણેય જ્ઞાન લીધું છે, આપણેય જ્ઞાન લીધું છે, તો આવું કેમ થાય છે ? દાદાશ્રી : આ તો બધા કર્મના ઉદયો છે, એમાં આપણે પ્રતિક્રમણ કરવું, આ તો કર્મના ઉદયો છે. ધક્કો લાગ્યા વગર રહે નહીં. એમની ઇચ્છા એવી ના હોય, છતાંય બધા કર્મના ધક્કા વાગ્યા કરે. કર્મ તો ભોગવ્યે જ છૂટકો ને ! પ્રશ્નકર્તા : મને એમ થાય કે, ‘એમનું’ સારું કરું પણ મારાથી બગડી જ જાય. અને હું ખોટી ઠરીને ઊભી રહું. દાદાશ્રી : વાંધો શું છે પણ એ ? એનો વાંધો શું છે ? બન્યું એ કરેક્ટ. જેને સારું કરવું છે એને કોઈ ડર રાખવાની જરૂર નથી. જેને ખરાબ કરવું છે એ ગમે એટલો ડર રાખે તો એનો ભલીવાર આવવાનો નથી. એટલે આપણે સારું કરવું છે એમ નક્કી રાખવાનું. દાદાશ્રી : પણ આવી વાતો કરવાની જરૂર નહીં. તેઓ ખરાબ લગાડીને ઘેર ગયાં હોય તો, એ બીજે દહાડે આવશે તો રાજી થઈ જશે. આપણે પ્રતિક્રમણ કરવું. આ બધા રિલેટિવ સંબંધો છે, રીયલ સંબંધ નથી. પ્રતિક્રમણ ના થાય તો ફાટી જાય. પ્રતિક્રમણનો અર્થ શું ? સાંધવું. સામો માણસ ફાડે ને આપણે સાંધીએ તો એ લૂગડું ટકે. પણ સામો ફાડે ને આપણે ફાડીએ તો શું રહે ? પ્રશ્નકર્તા : મારા પતિ મારાથી જુદા રહે છે, છોકરાઓ પણ લઈ ગયા છે. તે મારા કર્મમાં તેમ હશે ત્યારે થયું હશેને ? દાદાશ્રી : હાસ્તો, બીજું શું ? નવું તો થાય નહીં ને કશું. અને એનાં પ્રતિક્રમણ ના ક્યાં, તેને લઈને આ આવું થયું. પ્રતિક્રમણ કરવાથી પાછું ફરે. ચૂકવવાતા માત્ર હિસાબ જ જગત આખું બધું હિસાબ જ છે અને હિસાબને ચૂકવવા માટે આપણે ત્યાં આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન છે. બીજી જગ્યાએ એની પાસે હિસાબ ચૂકવવાનું કંઈ સાધન નથી. આપણે અહીં સાધન છે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન. તમે થોડું ઘણું ચૂકવો છો હવે ? હિસાબ જ ચૂકવવાના છેને ? બીજું શું કરવાનું છે ? કોઈના હાથમાં પજવવાની યે સત્તા નથી ને કોઈના હાથમાં સહન કરવાની સત્તા નથી. આ તો બધાં પૂતળાં જ છે. તે બધું કામ કરી રહ્યાં છે. તે આપણે પ્રતિક્રમણ કરીએ એટલે પૂતળાં એની મેળે સીધાં થઈ જાય. બાકી ગમે તેવો ગાંડો માણસ હોય પણ તે આપણાં પ્રતિક્રમણથી ડાહ્યો બની શકે.
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy