________________
૧૭
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ઝઘડો કરે તો ઝઘડો કરવાની જગ્યા હોય તો મારી જ નાખેને આ લોકો ! ' અરે, નહીં તો જોડે જોડે બેગો મૂકેલી હોયને તોય કહેશે, ‘ઉઠાવી લે તું તારી બેગ અહીંથી'. અલ્યા મૂઆ, પૈણેલો છું, આ શાદી કરી છે, એક છો કે નહીં ?! અને પાછો લખે શું ? અધાંગિની લખે. મૂઆ, કઈ જાતના છો તે આ ?! હા, ત્યારે મુઆ અધાંગિની શું કરવા લખે છે ? એમાં અર્થે અંગ નહીં આ બેગમાં ! આપણે કોની મશ્કરી કરીએ છીએ પુરુષોની કે સ્ત્રીઓની ? એવું કહેને, અધાંગિની નથી કહેતાં ?!
પ્રશ્નકર્તા : કહે ને !
દાદાશ્રી : અને આમ ફરી જાય પાછાં. સ્ત્રીઓ ડખલ નહીં કરે. સ્ત્રીઓની બેગમાં જો કદી આપણા ધોતિયાં મૂક્યાં હોયને, તો ડખલ નહીં કરે અને આ તો બહુ એને અહંકાર. આમ આંકડો જ ઊંચો ને ઊંચો, વીંછીની પેઠ, જરાક મારે તો ડંખ મારી દે હડહડાટ.
આ તો મારી વીતી બોલું છું હું છે. આ મારી આપવીતી બોલું છું. એટલે તમને બધાને પોતાને સમજણ પડે કે આમને વીતેલી આવી હશે. તમે એમ ને એમ સીધી રીતે કબૂલ કરો નહીં, એ તો હું કબૂલ કરી દઉં.
પ્રશ્નકર્તા : આપ બોલો એટલે બધાને પોતાનો પાછો ખ્યાલ આવી જાય ને કબૂલ કરે.
દાદાશ્રી : ના, પણ તમે કબૂલ ના કરો પણ હું તો કબૂલ કરી દઉં કે મારી વીતેલી છે, આપવીતી નહીં વીતેલી ? અરે, મારે ડંખ તે કેવો ડંખ મારે, તું તારે ઘેર જતી રહેજે, કહે છે. અલ્યા મૂઆ, જતી રહે તો તારી શી દશા થાય ? એ તો આ કર્મથી બંધાયેલી છે. ક્યાં જાય બિચારી ? પણ બોલું છું તે નકામું નહીં જાય, આ એના હાર્ટ ઉપર ડાઘ પડશે, પછી એ ડાઘ તારી ઉપર પડશે મૂઓ. આ કર્મો ભોગવવા પડશે. એ તો એમ જાણે કે કંઈ જવાની છે હવે ?! આવું ના બોલાય. અને એવું બોલતા હોય તો એ ભૂલ જ કહેવાયને ! થોડા ઘણાં તો ટોણાં મારેલાં કે નહીં મારેલાં બધાએ ?
પ્રશ્નકર્તા : હા, મારેલા, બધાએ મારેલાં. એમાં અપવાદ ના હોય. ઓછું-વધતું હોય પ્રમાણ, પણ અપવાદ ના હોય.
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર દાદાશ્રી : એટલે આવું છે બધું. હવે આ બધાને ડાહ્યા બનાવવાના બોલો હવે. આ શી રીતે ડાહ્યા થાય ?! જો ઢેડફજેતો, ઢેડફજેતો ! મોઢાં પર દિવેલ ફરી વળેલાં છે ! સરસ સરસ દુધપાક ને સારી સારી રસોઈ જમે છે તો ય મોઢાં પર દિવેલ પીધું હોયને એવા ને એવાં દેખાય છે. દિવેલા તો મોઘું થયું છે તે ક્યાંથી લાવીને પીવું? આ તો એમ ને એમ જ મોઢાં પર દિવેલ ફરી વળે છે !
(૫૪) પ્રશ્નકર્તા : ઘરમાં મતભેદ દૂર કરવા શું કરવું ?
દાદાશ્રી : મતભેદ શેના પડે છે એ તપાસ કરવી પહેલી. કોઈ દા'ડો એવો મતભેદ પડે છે કે એક છોકરો ને એક છોડી હોય, તો પછી બે છોકરા નથી એનો મતભેદ પડે છે ?
પ્રશ્નકર્તા : ના. આમ તો નાની નાની વાતમાં મતભેદ થાય.
દાદાશ્રી : અરે, આ નાની વાતમાં તો, એ તો ઈગોઇઝમ છે. એટલે એ બોલે ને આમ છે, ત્યારે કહેવું, ‘બરોબર છે'. એમ કહીએ એટલે પછી કશુંય નહીં પાછું. પણ આપણે ત્યાં આપણી અક્કલ ઊભી કરીએ છીએ. અક્કલે અક્કલ લઢે એટલે મતભેદ થાય.
પ્રશ્નકર્તા: ‘એ બરાબર છે એવું મોઢેથી બોલવા માટે શું કરવું જોઈએ? એ બોલાતું નથી, એ અલ્મ કેવી રીતે દૂર કરવો ?
દાદાશ્રી : એ હવે બોલાય નહીં પાછું, ખરું કહે છે. એ થોડા દા'ડા પ્રેક્ટિસ લેવી પડે. આ કહું છું ને એ ઉપાય કરવા માટે થોડા દા'ડા પ્રેક્ટિસ લો ને ! પછી એ ફીટ થઈ જશે, એકદમ નહીં થાય.
પ્રશ્નકર્તા : મતભેદ કેમ પડે છે, એનું કારણ શું?
દાદાશ્રી : મતભેદ પડે એટલે પેલો જાણે કે હું અક્કલવાળો અને પેલી જાણે હું અક્કલવાળી. અક્કલના કોથળા આવ્યા ! વેચવા જઈએ તો ચાર આના આવે નહીં, અક્કલના બારદાન કહેવાય છે એને. એના કરતાં આપણે ડાહ્યા થઈ જઈએ, એની અક્કલને આપણે જોયા કરીએ કે ઓહોહો... કેવી અક્કલવાળી છે ! તો એ ય ટાઢી પડી જાય પછી. પણ આપણે ય અક્કલવાળા અને એ ય અક્કલવાળી, અક્કલ જ જ્યાં લડવા માંડી ત્યાં શું