________________
પૈસાનો
વ્યવહાર
૩૦
૩૦
પૈસાનો
વ્યવહાર
ભોગવટો, રૂપિયાનો કે વેદતીયતો ! કુદરત શું કહે છે ? એણે કેટલા રૂપિયા વાપર્યા એ અમારે ત્યાં જોવાતું નથી. એ તો વેદનીય શું ભોગવી ? શાતા કે અશાતા, એટલું જ અમારે અહીં આગળ જોવાય છે. રૂપિયા નહીં હોય તો ય શાતા ભોગવશે ને રૂપિયા હશે તો ય અશાતા ભોગવશે. એટલે શાતા કે અશાતા વેદનીય ભોગવે છે, તેનો રૂપિયા ઉપર આધાર નથી રહેતો.
જરૂર કઈ, મહીંલી કે બાહ્યલી ? અત્યારે આપણે થોડીક આવક હોય, બિલકુલ શાંતિ હોય, કશી ભાંજગડ નથી. તે આપણે કહીએ કે, ‘હંડો, ભગવાનના દર્શન કરી આવીએ !” અને આ પૈસા કમાણી કરવા રહેલા, તે તો આ અગિયાર લાખ રૂપિયા કમાય તેનો વાંધો નથી, પણ પચાસ હજાર હમણાં ખોટ જવાની થાય કે અશાતા વેદનીય ઊભી થાય ! “અલ્યા, અગિયાર લાખમાંથી પચાસ હજાર બાદ કરી નાખ ને ! ત્યારે કહેશે કે, “ના એ તો મહીં ૨કમ ઓછી થાય ને !' ત્યારે.' અલ્યા, રકમ તું કોને કહે છે ? ક્યાંથી આ રકમ આવી ? એ તો જવાબદારીવાળી ૨કમ હતી, એટલે ઓછું થાય ત્યારે બૂમ ના પાડીશ. આ તો રકમ વધે ત્યારે તું રાજી થાય છે અને ઓછી થાય ત્યારે ? અરે, મૂડી તો ‘મહીં’ બેઠી છે એને શું કરવા હાર્ટ ફેઈલ કરીને મૂડી આખી ધોઈ નાખવા ફરે છે !! હાર્ટ ફેઈલ કરે તો મૂડી આખી ખલાસ થાય કે નહીં ?
પ્રશ્નકર્તા : થઈ જાય.
દાદાશ્રી : ત્યારે આ બધું શેના હારુ ? ત્યારે પેલી કહે કે ‘પણ મારે તો પેલી પૈસાની મૂડી કીંમતી છે !” અલ્યા, તમારે મહીંલી મૂડીની જરૂર નહીં ?
પાપતુબંધી પુણ્ય ! દસ લાખ રૂપિયા બાપે છોકરાને આપ્યા હોય અને બાપો કહેશે કે ‘હવે હું આધ્યાત્મિક જીવન જીવું ! ત્યારે હવે, એ છોકરો કાયમ દારૂમાં, માંસાહારમાં, શેરબજારમાં બધામાં એ પૈસા ખોઈ નાખે. કારણ કે જે પૈસા ખોટે રસ્તે ભેગા થયા
છે, તે પોતાની પાસે રહે નહીં. આજે તો સાચું જ નાણું, સાચી મહેનતનું જ નાણું રહેતું નથી, તે ખોટું નાણું શી રીતે રહે ? એટલે પુણ્યેનું નાણું જોઈશે, જેમાં અપ્રમાણિકતા ના હોય, દાનત ચોખ્ખી હોય. એવું નાણું હોય તો તે જે સુખ આપશે. નહીં તો અત્યારે દુષમકાળનું નાણું, એ ય પુર્યનું જ કહેવાય છે, પણ પાપાનુબંધી પુણ્યનું, તે નય પાપ જ બંધાવે ! એના કરતાં એ લક્ષ્મીને કહીએ કે, ‘તું આવીશ જ નહીં, એટલેથી જ છેટી રહેજે.' એમાં અમારી શોભા સારી છે ને તારી ય શોભા વધશે.’ આ બંગલા બંધાય છે એ બધું ય પાપાનુબંધી પુણ્ય ઉઘાડું દેખાય છે. આમાં અહીં કો'ક હશે, હજારે એકાદ માણસ કે જેની પુણ્યાનુબંધી પુણ્ય હોય. બધી આ પાપાનુબંધી પુણ્ય છે. આટલી લક્ષ્મી તો હોતી હશે કોઈ દહાડો ય ? નવું પાપ જ બાંધે છે, કશું ભોગવતાં – કરતાં નથી ને પાપ જ બાંધે છે. આ તો તિપંચની રીર્ટન ટિકિટ લઈને આવેલો છે !
એક મિનિટ પણ રહેવાય નહીં એવો આ સંસાર ! જબરજસ્ત પુણ્ય હોય છે તો પણ મહીં અંતરદાહ શમાતો નથી; અંતરદાહ નિરંતર બળ્યા જ કરતો હોય છે ! ચોગરદમથી બધા ફર્સ્ટ કલાસ સંયોગો હોય તો પણ અંતરદાહ ચાલુ હોય, તે હવે કેમ મટે ? પુણ્ય પણ છેવટે ખલાસ થઈ જાય. દુનિયાનો નિયમ છે કે પુણ્ય ખલાસ થાય એટલે શું થાય ? પાપનો ઉદય થાય. આ તો અંદરદાહ છે. પાપના ઉદય વખતે બહારનો દાહ ઊભો થશે તે ઘડીએ તારી શી દશા થશે ? માટે ચેતો, એમ ભગવાન કહે છે.
લક્ષ્મી તો “ચલતી' ભલી ! આ તો પૂરણ-ગલન સ્વભાવનું છે. જેટલું પૂરણ થયું એટલે પછી ગલન થવાનું. ને ગલન ના થાત ને તો ય ઉપાધિ થઈ જાય. પણ ગલન થાય છે એટલે પાછું ખવાય છે. આ શ્વાસ લીધો એ પૂરણ કર્યું એ ઉચ્છવાસ કાઢ્યો એ ગલન છે. બધું પૂરણ ગલન સ્વભાવનું છે એટલે અમે શોધખોળ કરી છે કે ‘ભીડ નહીં ને ભરાવોય નહીં ! અમારે કાયમ લક્ષ્મીની ભીડેય નહીં ને ભરાવો પણ નહીં !” ભીડવાળા સુકાઈ જાય અને ભરાવાવાળાને સોજા ચઢે. ભરાવો એટલે શું કે લક્ષ્મીજી બે-ત્રણ વરસ સુધી ખસે જ નહીં. લક્ષ્મીજી તો ચાલતી ભલી, નહીં તો દુ:ખદાયક થઈ પડે.