SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ નિજદોષ દર્શનથી નિર્દોષ ! નિજદોષ દર્શનથી. નિર્દોષ ! ૩૯ પોતાના દોષ જોવામાં નિષ્પક્ષપાતી એવા કોણ હોય ? એ તો કૃપાળુદેવ હોય અને એમનાં બે-ત્રણ ફોલોઅર્સ હોયને, તે હોય. બાકી પોતાના દોષ જોવામાં, પક્ષપાતનો સવાલ જ ક્યાં છે ? પોતાના દોષ જોવામાં ખબર જ નથી પડતી. જ્ઞાતીતી તત્વદ્રષ્ટિ ! અમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું જ નથી. ગજવું કાપનારો હોય કે ચારિત્ર્યહીન હોય, તેને ય અમે નિર્દોષ જ જોઈએ ! અમે ‘સત્ વસ્તુને જ જોઈએ. એ તાત્ત્વિક દ્રષ્ટિ છે. પેકિંગને અમે જોતા નથી. વેરાઇટીઝ ઓફ પેકિંગ છે, તેમાં અમે તત્ત્વદ્રષ્ટિથી જોઈએ. ‘અમે” સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ કરી અને આખા જગતને નિર્દોષ જોયું ! માટે જ “જ્ઞાની પુરુષ’ તમારી ‘ભૂલને ભાંગી શકે ! બીજાનું ગજું નહીં. તરેલો જ તારે. આ બધી ભૂલ તો ખરીને ? એની તપાસે ય નથી કરીને ? પ્રશ્નકર્તા : આપણી કંઈક ભૂલ થાય છે એટલું સમજાય છે, પણ એમાંથી નીકળતું નથી. અને નીકળવાની કોશિશ કરીએ તેમ ઊંડા ને ઊંડા ઊતરતાં જઈએ છીએ. દાદાશ્રી : કોશિશ જ ના કરશો. એ કોશિશ કરવાની, તે અહીં આગળ ખાડો ખોદવાનો છે, ત્યાં આગળ ખાડો પૂરવાનો છે. તેને બદલે ત્યાં ખાડો ખોદીને અહીં પૂરે તે કામનાં કોણ પૈસા આપે ? પ્રશ્નકર્તા : ના આપે. દાદાશ્રી : અને ઉપરથી દંડ થાય કે આ જમીન કેમ ખોદી નાખી ? ઉપરથી કેસ થાય કે તમે અહીં કેમ ખોદી નાખ્યું ? માટે ફરી પૂરી આપો. ને ફરી આની ઉપર પાણી રેડી અને સરખું કરાવી દો. આપો. તે કોઈ ઉકેલ લાવી આપે. જે છૂટેલો હોય તે છોડાવી આપે. પેલો બંધાયેલો માણસ, એ જ ડૂબકાં ખાયા કરતો હોય, ‘બચાવો’ કહેતો હોય, ‘તે મૂઆ, તું બચાવ બચાવ કહે છે, તું શું મને બચાવવાનો છે તે ?” પ્રશ્નકર્તા: આટલાં વખત તેને શરણે ગયા ઉકેલ લાવવા માટે, ત્યાં પાછાં ડૂબી ગયા, જે ડૉક્ટરની દવા લીધી એણે દર્દ વધાર્યું, ઘટાડ્યું નહીં. દાદાશ્રી : એ ડૉક્ટરો બરાબર ભણેલા નહીં. એ ડૂબકાં ખાતા હતા અને જે ડૉક્ટર એમ કહે, ‘ના, અમે તરેલા છીએ. તું આવ’ તો આપણે જાણીએ કે એ પોતે કહે છે ને ! બાકી કોઈ કહે નહીં કે તરેલા છીએ. નહીં તો જાણે કોઈક દહાડો કંઈક ભાંજગડ થશે ને લોક જાણી જશે, કે આ ડૂબકાં ખાતી વખતે બૂમ પાડતા હતા. તે માપી જાયને લોકો ? કેમ તર્યા હતા ને ડૂબકાં ખાતી વખતે બૂમ પાડો છો ? કહે કે ના કહે ? એટલે સંજોગ સારાં બાઝયા નહીં. આ ફેર સંજોગ સારો બાઝ, કામ નીકળી જશે. એટલે આ બધું શી રીતે આમાં પામે ? ઓહોહો ! માથાના વાળ તો ગણી શકાય, પણ આ એમની ભૂલ ના ગણી શકાય. - જો રોજ પચ્ચીસ જેટલી ભૂલો સમજાય તો તો અજાયબ શક્તિ ઉત્પન્ન થાય. સંસાર નડતો નથી, ખાવા-પીવાનું નડતું નથી. નથી તપે બાંધ્યા કે નથી ત્યાગે બાંધ્યાં. પોતાની ભૂલે જ લોકને બાંધ્યા છે. મહીં તો પાર વગરની ભૂલો છે. પણ માત્ર મોટી મોટી પચ્ચીસેક જેટલી જ ભૂલો ભાંગે તો છવ્વીસમી એની મેળે ચાલવા લાગે. કેટલાક તો ભૂલને જાણે છતાં પોતાના અહંકારને લઈને તેને ભૂલ ના કહે, આ કેવું છે ? એક જ ભૂલ અનંત અવતાર બગાડી નાખે. એ તો પોષાય જ નહીં. કારણ કે નિયાણું મોક્ષનું કરેલું, તે ય નિયાણું પૂરેપૂરું નહીં કરેલું. તેથી તો આવું થયું ને ! દાદા પાસે આવવું પડ્યું ને ? ત્યારે ભૂલ ભાંગી કહેવાય ! એક-એક અવતારે એક ભૂલ ભાંગી હોત તો ય મોક્ષ સ્વરૂપ થઈ જાત. એટલે આ બધા લોક કરે છે ને. તે ઊંધી જગ્યાએ ખોદે છે. એનાં કરતાં ના ખોદતા હોય ને કોઈકને કહેતા હોય કે ભાઈ, કંઈક મારો ઉકેલ લાવી
SR No.008862
Book TitleNijdosh Darshan Thi Nirdosh
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size61 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy