________________
૨૫૦
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૨૫૧
બાપા કોઈ દહાડો ડાયરી નહીં વાંચે એવું માને. એની ‘સ્કૂલની લખવાની ડાયરી હોય ને, એની મહીં પત્રો મૂકે. એના બાપે ય ભોળા હોય, તે છોડી પર વિશ્વાસ જ આવ્યા કરે. પણ હું તો આ બધું જાણું કે આ છોડીઓ ઉંમરલાયક થઈ છે. હું એના ‘ફાધર'એટલું જ કહું કે આને પૈણાવી દેજો વહેલી. હા, બીજું શું કહું તે ?!
કોલેજીયત છોડી પર કરે શંકા; છોડ' એ, યાદ કર દાદાઈ ડંકા !
એક અમારો ખાસ સગો હતો, તેને ચાર છોડીઓ હતી. તે જાગૃત બહુ. તે મને કહે, “આ છોડીઓ મોટી થઈ, કોલેજમાં ગઈ. તે મને વિશ્વાસ નથી રહેતો.” ત્યારે મેં કહ્યું, ‘જોડે જજો. કોલેજમાં જોડે જઈએ અને એ કોલેજમાંથી નીકળે ત્યારે પાછળ આવજે.” એ તો એક દહાડો જઈશ, પણ બીજી વખત શું કરીશ ? વહુને મોકલજે (!) અલ્યા, વિશ્વાસ
ક્યાં રાખવો ને ક્યાં રાખવો નહીં એટલું ય નથી સમજતો ?! અહીંથી આપણે કહી દેવાનું, ‘બેન જો, આપણે સારા માણસ, આપણે ખાનદાન, કુળવાન છીએ.” આમ એને આપણે ચેતવી દેવાનું. પછી જે બન્યું એ ‘કરેક્ટ'. શંકા નહીં કરવાની. કેટલાક શંકા કરતા હશે ? જે જાગ્રત હોય તે શંકા કર્યા કરે. એવો સંશય રાખે ક્યારે પાર આવે ?
માટે ગમે તેવી શંકા તો ઉત્પન્ન થતાં પહેલાં જ તેને ઉખાડીને ફેંકી દેવી. આ તો આ છોડીઓ બહાર ફરવા જાય, રમવા જાય, એની શંકા કરે. અને શંકા ઉત્પન્ન થઈ કે ત્યાં સુખ આપણને બહુ વર્તે ખરું ?
પ્રશ્નકર્તા : ના. પણ પછી શંકા કરવાનો અર્થ નથી.
દાદાશ્રી : હા, બસ, એટલે ગમે તેવું કારણ હોય તો ય પણ શંકા ઉત્પન્ન થવા દેવી નહીં. સાવધાની રાખવી, પણ શંકા ના કરવી. શંકા કરે કે “મરણ’ આવ્યું જાણો.
પ્રશ્નકર્તા : પણ શંકા તો એની પોતાની મેળે જ ઉત્પન્ન થાય છે
પડે. છોકરીઓ બહાર ગઈ હોય, તો કોઈ કહેશે કે એને એનો ફ્રેન્ડ મળ્યો છે ! એટલે પાછી છોકરીઓ ઉપર શંકા પડી, તે શો સ્વાદ થાય ?
પ્રશ્નકર્તા : બસ, પછી અશાંતિ રહ્યા કરે.
દાદાશ્રી : અશાંતિ કરે. તેથી બહાર ઠેકાણે પડી જવાનું છે ? ફ્રેન્ડ જોડે ફરે છે તેમાં કંઈ ફેરફાર થઈ જવાનો છે ? ફેરફાર કંઈ થાય નહીં અને એ શંકાથી જ મરી જાય ! એટલે આ શંકા ઉત્પન્ન થાય કે તરત જ ‘દાદાએ ના પાડી છે. એટલું યાદ કરીને બંધ કરી દેવી. બાકી, સાવધાની બધી રાખવી.
લોકોને પોતાની છોડીઓ તો હોય ને ? ત્યારે એ “કોલેજ'માં ના જાય ? જમાનો એવો છે, એટલે કોલેજમાં જાય ને ? આ કંઈ પહેલાંનો જમાનો છે કે છોડીઓને ઘરમાં બેસાડી રાખવાની ?! એટલે જેવો જમાનો એ પ્રમાણે વર્તવું પડે ને ?! જો બીજી છોડીઓ એના ‘ફ્રેન્ડ સાથે વાત કરે, ત્યારે આ છોડીઓ ય એવું એના ‘ફ્રેન્ડ સાથે વાત ના કરે ? હવે છોડીઓની જ્યારે કંઈક એવી વાત સાંભળવામાં કે જોવામાં આવે ને શંકા પડે ત્યારે એની ખરી મઝા (!) આવે. અને મને આવીને પૂછે તો તરત કહી દઉં કે શંકા કાઢી નાખ. આ તો તેં જોયું તેથી શંકા પડી અને ના જોયું હોત તો ?! જોવાથી જ જો શંકા પડી છે તો નથી જોયું, એમ કરીને ‘કરેક્ટ' કરી નાખને ! આ તો અંડરગ્રાઉન્ડમાં બધું છે જ. પણ એને મનમાં એમ થાય કે ‘આમ હશે તો ?” તો એ વળગ્યું એને. પછી ભૂતાં છોડે નહીં એને, આખી રાત છોડે નહીં. એટલે શંકા રાખીએ તે ખોટું છે.
કાળજી લો પણ શંકા ન કરાય; આસક્તિથી મુક્તિ એ જ ઉપાય !
આપણી છોડીને ઉઠાવી ગયા હોય તો ય શંકા નહીં રાખવાની. કારણ કે છોડી ‘જોડે લઈ જવાની’ ચીજ નથી. અને ઉઠાવી જાય એ ગેરકાયદેસર હોતું નથી. એની પાછળ લૉ છે ! લૉ હશે કે નહીં હોય ?
પ્રશ્નકર્તા : ખરું. દાદાશ્રી : હા. આ જ્ઞાન તો તમને કેટલું બધું સેફ રાખે છે, કશી
ને ?
દાદાશ્રી : હા, પણ એ ભયંકર અજ્ઞાનતા છે. એનાથી બહુ દુ:ખ