________________
ક્લેશ વિનાનું જીવન
ચાલું ? તો એ કળા શીખાય ? એના કળાધર જોઇએ, એનો કળાધર હોવો જોઇએ, એનો ગુરુ હોવો જોઇએ. પણ આની તો કોઇને પડેલી જ નથી
૩
ને ? જીવન જીવવાની કળાની તો વાત જ ઉડાડી મેલી છે ને ? અમારી પાસે જે કોઇ રહેતો હોય તેને આ કળા મળી જાય. છતાં, આખા જગતને આ કલા નથી આવડતી એવું આપણાથી ના કહેવાય. પણ જો ‘કંપ્લીટ’ જીવન જીવવાની કળા શીખેલા હોય ને તો લાઇફ ‘ઇઝી’ રહે પણ ધર્મ તો જોડે જોઇએ જ. જીવન જીવવાની કળામાં ધર્મ મુખ્ય વસ્તું છે અને ધર્મમાં ય બીજું કશું નહીં, મોક્ષ ધર્મની ય વાત નહીં, માત્ર ભગવાનની આજ્ઞારૂપી ધર્મ પાળવાનો છે. મહાવીર ભગવાન કે કૃષ્ણ ભગવાન કે જે કોઇ ભગવાનને તમે માનતા હો તેની આજ્ઞાઓ શું કહેવા માગે છે તે
સમજીને પાળો. હવે બધી ના પળાય તો જેટલી પળાય એટલી સાચી. હવે આજ્ઞામાં એવું હોય કે બ્રહ્મચર્ય પાળજો ને આપણે પૈણીને લાવીએ તો એ વિરોધાભાસ થયું કહેવાય. ખરી રીતે તેઓ એમ નથી કહેતા કે તમે આવું વિરોધાભાસવાળું કરજો. એ તો એવું કહે છે કે તારાથી જેટલી અમારી આજ્ઞાઓ ‘એડજસ્ટ’ થાય એટલી ‘એડજસ્ટ’ કર. આપણાથી બે આજ્ઞાઓ ‘એડજસ્ટ’ ના થઇ તો શું બધી આશાઓ મૂકી દેવી ? આપણાથી થતું નથી માટે શું આપણે છોડી દેવું ? તમને કેવું લાગે છે ? બે ના થાય તો બીજી બે આજ્ઞા પળાય તો ય બહુ થઇ ગયું.
લોકોને વ્યવહારધર્મ પણ એટલો ઊંચો મળવો જોઇએ કે જેથી લોકોને જીવન જીવવાની કળા આવડે. જીવન જીવવાની કળા આવડે એને જ વ્યવહારધર્મ કહ્યો છે. કંઇ તપ, ત્યાગ કરવાથી એ કળા આવડે નહીં. આ તો અજીર્ણ થયું હોય તો કંઇક ઉપવાસ જેવું કરજે. જેને જીવન જીવવાની કળા આવડી તેને આખો વ્યવહારધર્મ આવી ગયો અને નિશ્ચય ધર્મ તો ડેવલપ થઇને આવે તો પ્રાપ્ત થાય અને આ અક્રમ માર્ગે તો નિશ્ચય ધર્મ જ્ઞાનીની કૃપાથી જ પ્રાપ્ત થઇ જાય છે ! ‘જ્ઞાની પુરુષ’ પાસે તો અનંત જ્ઞાનકળા હોય ને અનંત પ્રકારની બોધકળા હોય ! એ કળાઓ એવી સુંદર હોય કે સર્વ પ્રકારનાં દુ:ખોથી મુક્ત કરે.
સમજ કેવી ? તે દુઃખમય જીવ્યા !!
‘આ’ જ્ઞાન જ એવું છે કે જે છતું કરે અને જગતના લોકો તો
ક્લેશ વિનાનું જીવન
આપણે છતું નાખ્યું હોય તો ય ઊંધું કરી નાખે. કારણ કે સમજણ ઊંધી છે. ઊંધી સમજણ છે એટલે ઊંધું કરે, નહીં તો આ હિન્દુસ્તાનમાં કોઇ જગ્યાએ દુઃખ નથી. આ જે દુઃખો છે તે અણસમજણનાં દુઃખો છે અને લોકો સ૨કા૨ને વગોવે, ભગવાનને વગોવે કે, આ અમને દુઃખ દે છે ! લોકો તો બસ વગોવણાં કરવાનો ધંધો જ શીખ્યા છે.
૪
હમણાં કોઇ અણસમજણથી, ભૂલથી માંકડ મારવાની દવા પી જાય તો એ દવા એને છોડી દે ?
પ્રશ્નકર્તા :
ના છોડે.
દાદાશ્રી : કેમ, ભૂલથી પી લીધીને ? જાણી જોઇને નથી પીધી તો ય એ ના છોડે ?
પ્રશ્નકર્તા : ના. એની અસર ના છોડે.
દાદાશ્રી : હવે એને મારે છે કોણ ? એ માંકડ મારવાની દવા એને
મારે છે, ભગવાન નથી મારતો, આ દુઃખ આપવું કે બીજી કોઇ વસ્તુ કરવી એ ભગવાન નથી કરતો, પુદ્ગલ જ દુઃખ દે છે. આ માંકડની દવા એ પણ પુદ્ગલ જ છે ને ? આપણને આનો અનુભવ થાય છે કે ના થાય ? આ કાળના જીવો પૂર્વવિરાધક વૃત્તિઓના, પૂર્વવિરાધક કહેવાય. પહેલાના કાળના લોકો તો ખાવાનું-પીવાનું ન હોય, લૂગડાં-લત્તાં ન હોય તો ય ચલાવી લેતા, અને અત્યારે કશાયની તાણ નહીં તો ય આટલો બધો કકળાટ, કકળાટ ! તેમાં ય ધણીને ‘ઇન્કમટેક્ષ’, ‘સેલ્સટેક્ષ’નાં લફરાં હોય, એટલે ત્યાંના સાહેબથી એ ભડકતા હોય અને ઘેર બઇ-સાહેબને પૂછીએ કે તમે શેના ભડકો છો ? ત્યારે એ કહે કે, “મારા ધણી વસમા છે.'
ચાર વસ્તુઓ મળી હોય ને કકળાટ માંડે એ બધાં મૂર્ખ, ફૂલીશ કહેવાય. ટાઇમે ખાવાનું મળે છે કે નથી મળતું ? ગમે તેવું પછી હોય, ઘીવાળું કે ઘી વગરનું, પણ મળે છે ને ? ટાઇમે ચા મળે છે કે નથી મળતી ? પછી બે ટાઇમ હો કે એક ટાઇમ, પણ ચા મળે છે કે નથી મળતી ? અને લૂગડાં મળે છે કે નથી મળતાં ? ખમીશ-પાટલૂન શિયાળામાં ટાઢમાં પહેરવાનાં કપડાં મળે છે કે નથી મળતાં ? પડી