________________
ક્લેશ વિનાનું જીવન
૧૦૩
૧૦૪
ક્લેશ વિનાનું જીવન જ્ઞાત થકી, વેરબીજ છૂટે ! હવે વેર બધાં છોડી નાખવાનાં. માટે કો'ક ફેરો અમારી પાસેથી સ્વરૂપજ્ઞાન મેળવી લેજો એટલે બધાં વેર છૂટી જાય. આ ભવમાં ને આ ભવમાં જ બધાં વેર છોડી દેવાનાં, અમે તમને રસ્તો દેખાડીશું. સંસારમાં લોક કંટાળીને મોત શાથી ખોળે છે ? આ ઉપાધિઓ ગમે નહીં તેથી. વાત તો સમજવી પડશે ને ? ક્યાં સુધી મુશ્કેલીમાં પડી રહેશો ? આ તો જીવડાં જેવું જીવન થઇ ગયું છે. નર્યો તરફડાટ, તરફડાટ ને તરફડાટ! મનુષ્યમાં આવ્યા પછી તરફડાટ કેમ હોય ? જે બ્રહ્માંડનો માલિક કહેવાય તેની આ દશા ! આખું જગત તરફડાટમાં છે ને તરફડાટ ના હોય તો મૂછમાં હોય. આ બે સિવાય બહાર જગત નથી. અને તું જ્ઞાનઘન આત્મા થયો તો ડખો ગયો.
જેવો અભિપ્રાય તેવી અસર! પ્રશ્નકર્તા : ઢોલ વાગતું હોય તો, ચિઢિયાને ચિઢ ચઢી કેમ જાય
ઝઘડપ્રૂફ' થઇ જવા જેવું ! પ્રશ્નકર્તા : આપણે ઝઘડો ના કરવો હોય, આપણે કોઇ દહાડો ઝઘડો જ ના કરતા હોઇએ છતાં ઘરમાં બધા ઝઘડા સામેથી રોજ કર્યા કરે તો ત્યાં શું કરવું ?
દાદાશ્રી : આપણે ‘ઝઘડાપ્રૂફ થઇ જવું. ‘ઝઘડામુફ” થઇએ તો જ આ સંસારમાં રહેવાશે. અમે તમને ‘ઝઘડાપૂફ' કરી આપીશું. ઝઘડો કરનારો ય કંટાળી જાય એવું આપણું સ્વરુપ હોવું જોઇએ. કોઇ ‘વર્લ્ડમાં ય આપણને ‘ડિપ્રેસ” ના કરી શકે એવું જોઇએ. આપણે “ઝઘડાપ્રફ’ થઇ ગયા પછી ભાંજગડ જ નહીં ને ? લોકોને ઝઘડા કરવા હોય, ગાળો આપવી હોય તો ય વાંધો નહીં. અને છતાં ય નફફટ કહેવાય નહીં, ઊલટી જાગૃતિ ખૂબ વધશે.
વૈરબીજમાંથી ઝઘડા ઉભવે ! પૂર્વે જે ઝઘડા કરેલા તેનાં વેર બંધાય છે અને તે આજે ઝઘડા રૂપે ચૂકવાય છે. ઝઘડો થાય તે જ ઘડીએ વેરનું બીજ પડી જાય, તે આવતે ભવે ઊગશે.
પ્રશ્નકર્તા : તો એ બીજ કેવી રીતે દૂર થાય ?
દાદાશ્રી : ધીમે ધીમે ‘સમભાવે નિકાલ' કર્યા કરો તો દૂર થાય. બહુ ભારે બીજ પડ્યું હોય તો વાર લાગે, શાંતિ રાખવી પડે. આપણું કશું કોઇ લઇ લેતું નથી. ખાવાનું બે ટાઇમ મળે, કપડાં મળે, પછી શું જોઇએ ?
ઓરડીને તાળું મારીને જાય, પણ આપણને બે ટાઇમ ખાવાનું મળે છે કે નથી મળતું એટલું જ જોવું. આપણને પૂરીને જાય તો ય કઇ નહીં, આપણે સૂઇ જઇએ. પૂર્વ ભવનાં વેર એવાં બંધાયેલાં હોય કે આપણને તાળામાં બંધ કરી ને જાય ! વેર ને પાછું અણસમજણથી બંધાયેલું ! સમજણવાળું હોય તો આપણે સમજી જઇએ કે આ સમજણવાળું છે. તો ય ઉકેલ આવી જાય. હવે અણસમજણનું હોય ત્યાં શી રીતે ઉકેલ આવે? એટલે ત્યાં વાતને છોડી દેવી.
દાદાશ્રી : એ તો માન્યું કે ‘નથી ગમતું' તેથી. આ ઢોલ વગાડતી હોય તો આપણે કહેવું કે, “ઓહોહો, ઢોલ બહુ સરસ વાગે છે !!! એટલે પછી મહીં કશું ના થાય. ‘આ ખરાબ છે” એવો અભિપ્રાય આપ્યો એટલે મહીં બધી મશીનરી બગડે. આપણે તો નાટકીય ભાષામાં કહીએ કે ‘બહુ સરસ ઢોલ વગાડ્યો. એટલે મહીં અડે નહીં.
આ “જ્ઞાન” મળ્યું છે એટલે બધું ‘પેમેન્ટ કરી શકાય. વિકટ સંયોગોમાં તો જ્ઞાન બહુ હિતકારી છે, જ્ઞાનનું ‘ટેસ્ટિંગ’ થઇ જાય. જ્ઞાનની રોજ ‘પ્રેક્ટિસ” કરવા જાવ તો કશું ટેસ્ટિંગ” ના થાય. એ તો એક ફેરો વિકટ સંજોગ આવી જાય તો બધું ‘ટેસ્ટેડ થઇ જાય !
આ સદ્વિચારણા, કેટલી સરસ ! અમે તો એટલું જાણીએ કે આ ઝઘડ્યા પછી ‘વાઇફ'ની જોડે વહેવાર જ ના માંડવાનો હોય તો જુદી વાત છે. પણ ફરી બોલવાનું છે. તો પછી વચ્ચેની બધી જ ભાષા ખોટી છે. અમારે આ લક્ષમાં જ હોય