SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય પરણતી વખતે માથેથી સાફો ખસ્યો ને વિચાર આવ્યો, ‘ આ લગ્નનું એન્ડ રીઝલ્ટ શું? બેમાંથી એકને તો રાંડવાનું જ ને!' પૈણ ચઢયું હોય એવા મોહના પ્રસંગે ઉત્કૃષ્ટ વૈરાગ્યનો કેવો અદ્ભૂત વિચાર! બાબો-બેબી જમ્યા પછી .... વીસમે વરસે બાબો જમ્યો. મિત્રોને હોટલમાં પાર્ટી આપી. બે વરસ પછી પાછી હોટલમાં પાર્ટી આપી. બધાએ પૂછ્યું, “શેની પાર્ટી?'પૂજ્યશ્રીએ કહ્યું, ‘મહેમાન આવ્યા તે ગયા!' પાછી બેબી જન્મી તે વખતે પણ પાર્ટી આપી. છ મહિના પછી બીજી પાર્ટી આપી. શેની? ‘મહેમાન આવ્યાં, તે ગયાં!' અધ્યાત્મ તરફ વળ્યું જીવન ! બાવીસમે વર્ષે શ્રીમદ્ રાજચંદ્રનું પુસ્તક વાંચવામાં આવ્યું. ત્યારથી આત્માની ખોજ ચાલુ થઇ, તે પૂરી થઈ ૧૯૫૮માં, હજારોને ત્યારબાદ જ્ઞાન આપી મોક્ષનાં દ્વારે પહોંચાડ્યા! જીવન સાદું, સરળ, કોઈપણ જાતનાં બાહ્ય આડંબર રહિત, કોઇના ગુરૂ થયા નહીં. લઘુત્તમ પદમાં જ સદા રહ્યા. કોઈ વાડો નહિ, સંપ્રદાય નહિ. કેવળ આત્મધર્મની જ પ્રાપ્તિ કરાવવાનો અભૂતપૂર્વ સિધ્ધાંત ! ૧૯૮૮માં ધૂળ દેહવિલય. સૂમદેહે વિશ્વમાં વ્યાપી જગત કલ્યાણનું અવિરત કાર્ય વધુ વેગે વધારી રહ્યા છે! પૈસાના વ્યવહારતો દાદાશ્રીતો સિધ્ધાંત ‘વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ન ઘટે' એ સિધ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયાં. જીવનમાં ક્યારે ય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી. ઉર્દુ ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા! આત્મજ્ઞાન પ્રાપ્તિની વર્તમાને પ્રત્યક્ષ લીંક પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને સ્વરૂપજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. તેઓશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂ. ડૉ. નીરુબેન અમીન ગામેગામ દેશવિદેશ ફરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાતિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ હજારો મુમુક્ષો લઈને ધન્યતા અનુભવે છે. - જય સચ્ચિદાનંદ. અણકલ્પલાં, અણધારેલાં બનાવો અવારનવાર ટી.વી કે છાપામાં જાણવા મળે છે, જેવાં કે પ્લેનક્રેશ થયું ને ૪0 માણસ મરી ગયાં, મોટો બોમ્બ બ્લાસ્ટ થયો, આગ લાગી, ધરતીકંપ, વાવાઝોડા થયાં હજારો લોકો માર્યા ગયા ! કેટલાંય એક્સિડંટમાં માર્યા ગયા, કેટલાં રોગથી મર્યા ને જન્મતાં જ મયાં ! કેટલાંયે આપઘાત કર્યો ભૂખમરાથી ! ધર્માત્મા કાળા કરતૂતો કરતાં પકડાયા, કેટલાંય ભિખારીઓ ભૂખે મર્યા ! ત્યારે સંતો ભક્તો જ્ઞાનીઓ જેવા ઉચ્ચ મહાત્માઓ નિજાનંદમાં જીવી રહ્યાં છે ! દરરોજ દિલ્હીના કૌભાંડો ઉઘાડા પડે આવાં સમાચારોથી પ્રત્યેક માનવીના હૃદયમાં એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ખડું થઈ જાય છે કે આનું રહસ્ય શું ? આની પાછળ કશું ગુહ્ય કારણ રહેલું હશે ? નિર્દોષ બાળક જન્મતાં જ કેમ અપંગ થયું ? હૃદય દ્રવી જાય, ખૂબ મથામણ છતાં સમાધાન નથી થતું અને અંતે સહુ સહુનાં કર્મો એમ કરીને અસમાધાનને વરેલા ભારે મન સાથે ચૂપ થઈ જવાય છે ! કર્મો કહીએ છતાં ય કર્મ શું હશે ? કેવી રીતે બંધાતું હશે ? એની શરુઆત શું ? પહેલું કર્મ ક્યાંથી થયું ? કર્મમાંથી મુક્તિ મળી શકે ? કર્મના ભોગવટાને ટાળી શકાય ? ભગવાન કરતો હશે કે કર્મ કરાવતું હશે ? મૃત્યુ પછી શું ? કર્મ કોણ બાંધતુ હશે ! ભોગવે છે કોણ ? આત્મા કે દેહ ? આપણા લોકો કર્મ કોને કહે છે ? કામ-ધંધો કરે, સત્કાર્ય કરે, દાન-ધરમ કરે એ બધુ કર્મ કર્યું કહે, જ્ઞાનીઓ અને કર્મ નહીં પણ કર્મફળ કહે છે. જે પાંચ ઇન્દ્રિયોથી જોઈ શકાય, અનુભવી શકાય એ બધું ધૂળમાં છે તે કર્મફળ એટલે કે ડિસ્ચાર્જ કર્મ કહેવાય. ગયા ભવમાં જે ચાર્જ કર્યું હતું તેનું આજે ડિસ્ચાર્જમાં આવ્યું, રૂપકમાં આવ્યું અને અત્યારે જે નવું કર્મ ચાર્જ કરે છે તે તો સૂક્ષ્મમાં થાય છે એ ચાગ
SR No.008855
Book TitleKarma Nu Vigyan
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2003
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size381 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy