SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ હું કોણ છું? પહોંચે એવું સાચું એડ્રેસ છે તમારી પાસે ?” ઉપર તો કોઈ બાપોય નથી. બધે હું જઈ આવ્યો. બધા લોકો કહેતા હતા કે ઉપર છે, ઉપર આંગળી કર્યા કરે. તે મારા મનમાં એમ લાગ્યું કે બધા લોકો કહે છે, માટે કંઈક હોવું જોઈએ. તેથી હું ઉપર બધે તપાસ કરી આવ્યો તો ઉપર ખાલી આકાશ જ છે, ઉપર કોઈ ના મળે. ઉપર તો કોઈ રહેતા નથી. હવે એ ફોરેનનાં સાયટિસ્ટ મને કહે છે, “સાચું એડ્રેસ આપશો ભગવાનનું ?” મેં કહ્યું, ‘લખી લો. ગોડ ઈઝ ઈન એવરી ક્રિયેચર વેધર વિઝીબલ ઓર ઈનવિઝીબલ, નોટ ઈન ક્રિયેશન.” આ ટેપરેકર્ડ એ ક્રિયેશન કહેવાય. જેટલી મેનમેડ વસ્તુ છે, મનુષ્યોએ બનાવેલી વસ્તુ હોય, તેમાં ભગવાન નથી. કુદરતી બનાવટ છે, એમાં ભગવાન છે. સગવડિયો સિદ્ધાંત ! એટલે આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. કેટલાંય સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. તેમાં ઈગોઈઝમ કરીને મેં કર્યું કહીને હાંક્ય રાખે છે. પણ આ તો સારું થાય તો “મેં કર્યુ” અને ના સારું થાય તો “મારા સંજોગ હમણાં સારા નથી' એવું આપણા લોકો કહે છે ને ! સંજોગોને માને છે કે, આપણા લોકો ? ૧૪ હું કોણ છું ? એ તો ઠીક છે પણ ભગવાન ઉપર આરોપ અપાય ?! વકીલ તો દાવો માંડીને હીસાબ લે પણ આનો કોણ દાવો માંડે ? આનું ફળ તો આવતા ભવમાં ભયંકર બેડી મળે. ભગવાનનું નામ દઈને આરોપ અપાય ખરો ? પ્રશ્નકર્તા : ના અપાય. દાદાશ્રી : નહીં તો કહેશે, “સ્ટાર્સ ફેવરેબલ નથી.’ નહીં તો ‘ભાગિયો મૂઓ વાંકો છે” એવું કહે. નહીં તો ભાગીદારનો વાંધો કાઢે. નહીં તો ‘છોકરાની વહુ મોરપગી છે” એમ બોલે. પણ પોતાને માથે ના આવવા દે ! પોતાના માથે ગુનેગારી લેતો નથી કોઈ દહાડોય. એટલે એક ફોરેનવાળાની સાથે મારે વાતચીત થયેલી. એ કહે છે, “તમારા ઈન્ડિયનો ગુનો માથે કેમ નથી આવવા દેતા ?” મેં કહ્યું, ‘એ જ ઈન્ડિયન પઝલ છે. મોટામાં મોટું પઝલ હોય તો ઈન્ડિયાનું આ છે.' સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ! એટલે વાતચીત કરો, જે કંઈ વાતચીત કરવી હોય તે બધી કરો. એવી વાતચીત કરો કે જેનાથી આપણને બધા ખુલાસા થઈ જાય. પ્રશ્નકર્તા: આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ એ ના સમજાયું. દાદાશ્રી : આ બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (વૈજ્ઞાનિક સંયોગી પુરાવાઓ)ના આધારે છે. જગતમાં એક પણ પરમાણુ ચેન્જ થઈ શકે એમ નથી. અત્યારે તમે જમવા બેસોને, તો તમને ખબર નથી હું શું ખાવાનો છું ? બનાવનારને ખબર નથી કે કાલે જમવામાં શું કરવાનું છે ? આ શી રીતે બની જાય છે, એ ય અજાયબી છે. કેટલું તમારાથી ખવાશે ને કેટલું નહીં ખવાય એ બધું પરમાણુ માત્ર ગોઠવાયેલું છે. તમે આજે મને ભેગા થયા ને, એ શાના આધારે થયા ? ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. અતિ અતિ ગુહ્ય કારણો છે. એ કારણ શોધી કાઢો. પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : કમાયો તેનો ગર્વરસ પોતે ખાય છે ને જ્યારે ખોટ આવે છે ત્યારે કશું બહાનું કાઢે. આપણે પૂછીએ, ‘કેમ શેઠ, આમ થઈ ગયા છો હમણાં ?” ત્યારે એ કહે, “ભગવાન રૂક્યા છે.” પ્રશ્નકર્તા : સગવડિયો સિદ્ધાંત થઈ ગયો. દાદાશ્રી : હા. સગવડિયું, પણ તે આવો આરોપ એની પર ના આપવો જોઈએ. વકીલ ઉપર આરોપ આપીએ, બીજા કોઈને આરોપ આપી
SR No.008854
Book TitleHu Kon Chhu
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2000
Total Pages29
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size350 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy