SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ-શિષ્ય ৩৩ પ્રશ્નકર્તા : પણ આવી વાત તો બહારનો માણસ શી રીતે સમજે ? દાદાશ્રી : બહારનાએ નહીં સમજવાનું. આ તો તમારે સમજવાનું છે. બીજાને સમજાય એવી વાત નથી. એ તો જેને જેટલું ઊતરે એટલું ઉતરે ! બધાં ના યે સમજી શકે. બીજાં બધાંને એટલી શક્તિ હોવી જોઈએ ને ! પચાવવાની શક્તિ હોવી જોઈએ કે ના હોવી જોઈએ ?! ને આ માણસોનું કંઈ ઠેકાણું નહીં. મગજનું ઠેકાણું નહીં, મનનું ઠેકાણું નહીં, જ્યાં ને ત્યાં ચિડાઈ જાય, જ્યાં ને ત્યાં લઢી પડે. એ તો આગળનાં મનુષ્યો હતા સ્થિરતાવાળા ! બાકી આ તો રોળાઈ ગયેલા લોક ! પેણે બોસ ટૈડકાવે, ઘેર બૈરી ટૈડકાવે. કો’ક જ માણસ આમાંથી બચે. બાકી અત્યારે તો રોળાઈ ગયેલું ! અત્યારે તો લોક ગુરુ પાસે શેના માટે જાય છે ? લાલચ માટે જાય છે કે ‘મારું આ સમું કરજો, ને મારું આમ થાય ને ગુરુ મારી પર કંઈ કૃપા કરે ને મારો દહાડો વળે.’ પ્રશ્નકર્તા : તો ગુરુ કરતી વખતે શિષ્યમાં કેવાં ગુણ હોવા જોઈએ ? દાદાશ્રી : અત્યારે શિષ્યમાં ગુણ ક્યાંથી સારા હોય ! અને તે ય આ કળિયુગમાં ?! બાકી, શિષ્ય તો કોને કહેવાય ? કે એના ગુરુ ગાંડા કાઢે તો ય પણ શ્રદ્ધા ઊઠે નહીં, એનું નામ શિષ્ય કહેવાય ! ગુરુ ગાંડા કાઢે તો ય આપણી શ્રદ્ધા ના ઊઠે, એ આપણા શિષ્ય તરીકેનાં ગુણ કહેવાય. એવું બને તમારે ? પ્રશ્નકર્તા : હજુ એવો પ્રસંગ ઉપસ્થિત નથી થયો. દાદાશ્રી : એવું થાય તો શું કરો ? હા, ગુરુ પર શ્રદ્ધા મૂકો તો આવી મૂકો, કે જે શ્રદ્ધા મૂક્યા પછી ઊઠાડવી ના પડે. નહીં તો શ્રદ્ધા મૂકવી નહીં પહેલેથી, એ શું ખોટું ?! આગલે દહાડે એમને લોક માનતા હતા, ને પછી ગુરુ ગાંડા કાઢે એટલે ગાળો દેવા માંડ્યા. આવડી આવડી ચોપડાવે. અલ્યા, ત્યારે તેમને માન્યા શું કરવા તેં ? અને જો માન્યા તો ચોપડવાની બંધ કર. અત્યાર ૭૮ ગુરુ-શિષ્ય સુધી પાણી પાઈ મોટું કર્યું એ જ ઝાડ તેં કાપ્યું. તારી શી દશા થશે ?! ગુરુનું જે થવાનું હશે તે થશે, પણ તારી શી દશા થશે ?! પ્રશ્નકર્તા : આપણે મનમાં ગુરુ માટે ઊંચી કલ્પના કરી હોય છે ને, તે ખંડિત થઈ જાય છે એટલે આવું બને છે ? દાદાશ્રી : કાં તો ગુરુ કરશો નહીં, ને કરો તો ગુરુ ગાંડા કાઢે તો ય એમાં તમારી દ્રષ્ટિ ના બગડવી જોઈએ. ત જોવાયુ ભૂલ કદિ ગુરુતી ! આ તો પાંચ દહાડામાં જ ગુરુની ભૂલ કાઢે. ‘તમે આવું કેમ કરો છો ?” અલ્યા, એમની ભૂલ કાઢે છે ?! ગુરુની ભૂલ કાઢે આ લોકો ? પ્રશ્નકર્તા : ગુરુની કોઈ દિવસ ભૂલ ના કાઢવી જોઈએ ! દાદાશ્રી : હા, પણ તે ભૂલ કાઢ્યા વગર રહે નહીં ને ! આ તો કળિયુગનાં લોકો ! એટલે પછી અધોગતિમાં જાય. અત્યારે ગુરુ પરફેક્ટ હોય નહીં. અત્યારે પરફેક્ટ ગુરુ ક્યાંથી લાવે ?! આ ગુરુ તો કેવા ?! કળિયુગના ગુરુઓ ! ગુરુથી જાણે ભૂલચૂક થઈ જાય તો પણ એનો ય જો તું શિષ્ય છે તો હવે છોડીશ નહીં. કારણ કે બીજું બધું કર્મના ઉદય હોય છે. એવી ના સમજણ પડે તમને ? તું શું કરવા બીજું જુએ છે ? એમનાં પદને તું નમસ્કાર કર ને ! એ જે કરે એ તારે જોવાનું નથી. હા, એમનો ઉદય આવ્યો છે. એને એ ભોગવે છે. તેમાં તારે શું લેવાદેવા ? તારે એમનું જોવાની જરૂર શું ! એમનાં પેટમાં ચૂંક આવતી હોય તો એ ગુરુપણું જતું રહ્યું ?! એમને એક દહાડો ઊલટી થઈ તો એમનું ગુરુપણું જતું રહ્યું ? આપણને કર્મના ઉદય હોય તો એમને કર્મના ઉદય ના હોય ?! તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : બરોબર છે. દાદાશ્રી : પેટમાં ચૂંક થતી હોય તો બધા શિષ્યોએ જતાં રહેવું ?! અત્યારે મને પેટમાં ચૂંક આવે તો તમે બધાં જતાં રહો ?! માટે અપરાધમાં
SR No.008853
Book TitleGuru Shishya
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1998
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size409 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy