SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ દાદા ભગવાન' કથિત તત્ત્વજ્ઞાન તથા વ્યવહાર જ્ઞાત સંબંધી વાણીતાં ગ્રંથો ૧) દાદા ભગવાનનું આત્મવિજ્ઞાન : ‘હું કોણ છું'ની ઓળખ માટે, આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેની તમામ પાયાની તૈયારીઓ કરાવતી વાણીનું સંકલન. (પૃષ્ઠ – ૬૬) ૨) પ્રતિક્રમણ : જીવનમાં ડગલે ને પગલે થતાં દોષોમાંથી મુક્ત થવાનું અને આત્મજ્ઞાનના માર્ગે પ્રગતિ કરવા સાદી, સરળ, સચોટ ને ટૂંકમાં આપેલું માર્ગદર્શન. (પૃષ્ઠ – ૪૮૮) સંક્ષિપ્ત ઃ (પૃષ્ઠ-૭૨) 3) તીજદોષ દર્શનથી.... તિર્દોષઃ પારકાંના દોષો જોવાથી કર્મ બંધન ને પોતાનાં જ દોષો જોવાથી મુક્તિ.” આ સિધ્ધાંત પર પોતાનાં સ્થૂળતમથી માંડીને સૂક્ષ્મતમ દોષો કેવાં હોય છે, તેની સુંદર છણાવટ અત્રે અગોપિત થાય છે. (પૃષ્ઠ - ૧૨૮) ૪) પૈસાનો વ્યવહાર : અગિયારમા પ્રાણનું સ્થાન પામેલા પૈસાએ ક્યાં ને કોને કેર વર્તાવ્યો નથી ? પૈસા પાછળની હાયવરાળને હીમની જેમ ઠારી નાખતી વાણી. (પૃષ્ઠ – ૪૧૮) સંક્ષિપ્ત ઃ (પૃષ્ઠ – ૭૪). ૫) પતિ-પત્નીનો વ્યવહાર : કળિયુગમાં પતિ-પત્નીની ખટપીટોનો અનુભવ પરણેલાંઓને કંઈ પૂછવાનો હોય ? એનું સમાધાન પામી સત્યુગનાં રામ-સીતા જેવું જીવન જીવતા અનેકોને કરી દેતી વાણી. (પૃષ્ઠ – ૫૧૪) સંક્ષિપ્ત : (પૃષ્ઠ – ૧૧૨). ૬) મા-બાપ છોકરાંતો વ્યવહાર : પશ્ચિમની હવા, ટી.વી., મુવીની ગહેરી અસરોથી વિકૃતિને પામેલાં આજનાં બાળકો અને પાછલી સંસ્કૃતિનાં મા-બાપ વચ્ચેનું અંતર અને તેમાંથી થતાં ઘર્ષણોમાંથી આબાદ મુક્ત થઈ આદર્શ વ્યવહાર કરતાં મૂકી દેતી વાણી. (પૃષ્ઠ – ૫૭૬) સંક્ષિપ્ત ઃ (પૃષ્ઠ - ૯૦) ૭) વર્તમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામી : બ્રહ્માંડના ભૂગોળનું જ્ઞાનીપુરુષની દીવ્યદ્રષ્ટિએ અવલોકન, વર્તમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામી કે જે હાલમાં છે, બીજી પૃથ્વી પર, મહાવિદેહ ક્ષેત્રમાં સદેહે વિચરી રહ્યા છે, તેમની સંપૂર્ણ માહિતી, પરમ પૂજ્ય દાદા ભગવાનના ડાયરેક્ટ અનુસંધાન દ્વારા જે મળી છે તેનું વર્ણન. (પૃષ્ઠ – ૧૧૮) <) "Who Am I?" : "Who am I ?" is a burning question since the begining of our being in the universe ! Answer to it is here... (Page-128) ૯) આપ્તવાણી શ્રેણી - ૧ થી ૧૧ : આત્મજ્ઞાન પ્રાપ્તિની ભૂમિકા તૈયાર કરાવીને ઠેઠ કેવળજ્ઞાનની શ્રેણીઓ ચઢાવતી તત્ત્વજ્ઞાનની વાણીનું ચઢતા ક્રમે રજુ કરતાં ગ્રંથો...... ગુહ્ય જ્ઞાનને સાદી, સરળ ને તળપદી ભાષામાં પ્રશ્નોતરી રૂપે રજુ થાય છે, જે સાધકોનાં પોતાનાં જ પ્રશ્નો વાંચતા વાંચતા ઉકેલાતા જાય છે ને મોક્ષમાર્ગની શ્રેણીઓ ચઢાવતાં જાય છે. મોક્ષમાર્ગના સાધકોને ખૂબ જ સરળ અને સહેલું થઈ પડે તેવી ગાઈડ. ૧૦) મૃત્યુ સમયે, પહેલાં અને પછી : મૃત્યુ પહેલાં, મૃત્યુ સમયે ને પછી આત્માની શી સ્થિતિ, તે માટેની શી જાગૃતિ પોતાની ને સગાંવહાલાંની, તેમ જ શ્રાદ્ધ, સરવણી, વગેરેની સત્યતાને ખુલ્લી કરતી ગૂઢ વાણી. (પૃષ્ઠ – ૧૮૪) ૧૧) વાણીતો સિદ્ધાંત: વાણી કોણ બોલે છે ? કઈ રીતે ઉત્પન્ન થાય છે ?” તેનો વૈજ્ઞાનિક સિદ્ધાંત કે જે ક્યાંય પ્રગટ થયો નથી, તે આ પુસ્તકમાં ખુલ્લો થયો છે. કઠોર, કડવી, મીઠી વાણીના સ્વરૂપો અને મધુરી વાણીની પ્રાપ્તિ આદિ તમામ રહસ્યો આ પુસ્તકમાં અંકિત થયા ૧૨) સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય : જ્યાં વિષય વિકારના સુખમાં લોક ગળાડૂબ રચ્યા રહે છે તેવા કાળમાં વિષયના દોષો-જોખમોનું ભાન કરાવતી અને સંપૂર્ણ બ્રહ્મચર્યમાં રહેવા માટેના માર્ગદર્શનની સુંદર સમજણ પાડતી વાણી. ૧૩) કર્મનું વિજ્ઞાન : ‘કર્મ' શબ્દનું વૈજ્ઞાનિક એકસપ્લેનેશન શું છે ? કર્મબંધન શું છે ? ને કર્મોથી મુક્તિ કઈ રીતે થઈ શકે ? કર્મોનો ભોગવટો કોને છે ? વિ. અનેક પ્રશ્નોના ઉત્તર આપતી દ્રષ્ટાંતો સાથેની સાદી સરળ તળપદી ભાષામાં સમજણ પાડતી વાણી.
SR No.008853
Book TitleGuru Shishya
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1998
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size409 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy