________________
ગુરુ-શિષ્ય
૩૯
મળે એવા છે નહીં. એ સહેલી ચીજ નથી. સદ્ગુરુ જ્ઞાની હોવા જોઈએ. જ્ઞાની ના હોય એવા ગુરુ હોય, પણ તે પૂરેપૂરું સમજે નહીં. અને જ્ઞાની તો સંપૂર્ણ સમજાવે તમને, બધી જ હકીકત સમજાવે. કોઈ ચીજ જાણવાની બાકી ના હોય એનું નામ જ્ઞાની ! જૈન એકલાનું જ જાણે છે એવું નહીં, બધું જ જાણે છે એનું નામ જ્ઞાની !! અને એમને મળે તો નવમે ભવે મોક્ષ થાય, બે અવતારમાં ય મોક્ષ થાય.
પણ સદ્ગુરુ મળવા મુશ્કેલ છે ને ! અત્યારે તો સાચા ગુરુ જ નથી, ત્યાં સદ્ગુરુ ક્યાંથી હોય તે ?! અને શ્રીમદ્ રાજચંદ્ર જેવા સદ્ગુરુ હતા ત્યારે લોકો એમને ઓળખી શક્યા નહીં.
પિછાણ પછી જ શરણું પ્રશ્નકર્તા: એવા સદ્દગુરુની પિછાણ શું છે? ઓળખવા કઈ રીતે ?!
દાદાશ્રી : એ તો ઊઘાડા દીવા જેવો પિછાણવાળો હોય. એની સુગંધ આવે, બહુ સુગંધ આવે.
પ્રશ્નકર્તા : પણ સદ્ગુરુ ઓળખવા કેવી રીતે કે, આ સાચા સદગુરુ
૪૦
ગુરુ-શિષ્ય છંછેડ્યા સિવાય. એટલે આપણે બીજી દુકાન ખોળવી, ત્રીજી દુકાન ખોળવી એમ કરતાં કરતાં કોઈ દહાડો સાચી દુકાન મળી આવશે.
પ્રશ્નકર્તા : પણ આપણો વિકાસ થયા વગર આપણે સદ્દગુરુને ઓળખી કેવી રીતે શકીએ !
દાદાશ્રી : આપણે પહેલેથી જ પૂછીએ કે, ‘સાહેબ, મારે વેપાર જોઈતો નથી. મારે મુક્તિની જરૂર છે. તો આપ મુક્ત થયા હો તો હું અહીં આગળ આપની સેવામાં બેસી જઉં ?!” તો વાંધો શું છે ? પણ કોઈ એવું કહેનાર છે કે હું તમને મુક્તિ અપાવું ?! પછી સાક્ષી-બાક્ષીની જરૂર નથી. એમને તરત તમારે કહી દેવું કે, ‘હું છ મહિના બેસીશ અને આપના કહ્યા પ્રમાણે કરીશ. અને ફળ નહીં આવે તો હું જતો રહીશ.” પણ કોઈ આવું બોલશે નહીં, વર્લ્ડમાં ય કોઈ બોલશે નહીં. પૂછવામાં શું વાંધો ?! સાહેબ, આપની મુક્તિ થઈ હોય તો મને કહો. મારે મુક્તિ જોઈએ છે. મને બીજાં સ્ટેશનો પરવડતાં નથી. વચલા સ્ટેશનોનું મારે કામ નથી.” એવું ચોખ્ખું કહી દઈએ. એટલે એ કહેશે, ‘હું જ ભઈ વચલા સ્ટેશને છું.’ એટલે આપણે સમજીએ ને, કે આપણને વચલું સ્ટેશન જોઈતું નથી. એટલે એ ઉપરથી ખોળીએ તો જ જડે. બાકી જડે નહીં. આમ વિનયપૂર્વક એમને પૂછીએ. બાકી પૂછ્યા વગર બેસીએ, એથી તો અનંત અવતાર ભટક્યા જ છીએને, અત્યાર સુધી ! એ સાહેબ વચલ સ્ટેશને રહેતા હોય ને આપણે ય ત્યાં રહીએ, એમાં ભલીવાર ક્યારે આવે ?!
પ્રશ્નકર્તા : તો સદ્ગુરુ શોધવામાં પુસ્તકનું જ્ઞાન ક્યાંથી કામ લાગે ?
દાદાશ્રી : એ કામ લાગે નહીં ને ! તેથી તો આ ભટકવાનું બધું. અનંત અવતાર પુસ્તકનાં જ્ઞાન કર્યા તો ય ભટક ભટક ભટક ! સદ્દગુરુ મળવા એ તો બહુ મોટી વસ્તુ છે. પણ જેને છૂટવાની કામના છે, એને બધું મળી આવે. છૂટવાની કામના જોઈએ. અને પૂજાવાની કામનાવાળાને વાર લાગે, કેટલાંય અવતાર સુધી ભટકવું પડે. આપને સમજાયું ને ? શેની કામના છે ?! માન-પુજાદિની કામના ! “આવો, આવો, આવો શેઠ !” કહે. ગર્વરસ ચાખે. એ સ્વાદ ચાખવાનો ય લોકોને રહી જાય છે ને !
દાદાશ્રી : એવું છે, કે પોતે જો ઝવેરી હોય તો એમને એ આંખથી ઓળખી શકે. એમનાં વાણી-વર્તન અને વિનય મનોહર હોય, મનનું હરણ કરી લે એવું હોય. આપણને એમ લાગે કે ઓહો ! આપણા મનનું હરણ થાય છે.
પ્રશ્નકર્તા ઃ કેટલીક વખત ગુમાં-સદ્ગુરુમાં એમનો વ્યવહાર એવો હોય છે કે એ જોઈને માણસનો નિશ્ચય ડગમગ થાય, તો એ માટે શું કરવું ?
દાદાશ્રી : વ્યવહાર જોઈને નિશ્ચય ડગમગ થાય, તો પછી ઝીણવટપૂર્વક બધી તપાસ કરવી કે આપણી શંકા છે તે સાચી છે કે ખોટી છે. બધી રીતે આપણી બુદ્ધિથી મપાય એટલું માપી લેવું. તેમ છતાં ય જો કદી આપણને અનુકૂળ ના આવે તો આપણે બીજી દુકાને જવું, એમને