________________
ગુરુ-શિષ્ય
ગુરુ-શિષ્ય
લઈ જનારા છે” એમ કહેવું. અને જ્ઞાની પુરુષ એમ કહે કે ‘હું નિમિત્ત છું.’ આમ બેઉનો વ્યવહાર કહેવાય છે.
એટલે વસ્તુસ્થિતિમાં આ આટલો સહેલો માર્ગ છે, સમભાવી છે, કશું ઉપાધિરૂપ નથી અને પાછાં માર્ગ બતાવનારા અને કૃપા કરનારા પોતે શું કહે છે ? કે ‘હું નિમિત્ત છું.” જો માથે પાઘડી પહેરતા નથી, નહીં ?! નહીં તો કેટલો મોટો પાઘડો ઘાલીને ફર્યા કરે ?! એટલે અમે આપનારે ય નથી, નિમિત્ત છીએ. ડૉક્ટરને ત્યાં જઈએ ત્યારે તો રોગ કંઈક મટે અને સુથારને ત્યાં જઈએ તો રોગ મટે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એટલે જેનાં જેનાં નિમિત્ત છે ત્યાં જઈએ ત્યારે આપણું કામ થાય. એટલે ક્રોધ-માન-માયા-લોભ દૂર કરવા હોય, આ બધું અજ્ઞાન દૂર કરવું હોય તો જ્ઞાની પાસે જવું પડે.
સત્ સાધત, સમાયા “જ્ઞાની'માં ! તેથી કહ્યું કે સસાધન જોઈએ. સસાધન એટલે શું ? સહૂદેવ, સધર્મ ને સદ્ગુરુ ! ખરેખર તો શાસ્ત્ર ય સસાધન નથી, મૂર્તિ એ ય સસાધન નથી. જ્ઞાની પુરુષ એકલા જ સસાધન છે. એમાં બધું આવી ગયું. સદેવ, સદગુરુ ને સધર્મ એ ત્રણેય ભેગું થાય, એનું નામ જ્ઞાની પુરુષ ! જ્યારે વિધિ કરીએ ત્યારે એ સદેવ, બોલે ત્યારે સદ્ગુરુ અને સાંભળીએ ત્યારે સધર્મ, ત્રણેય એનું એ જ ! એક જ આરાધવાનું, બીજી ભાંજગડ જ નહીં. નહીં તો ત્રણ આરાધવા પડે. અને આ તો એકમાં જ બધું આવી ગયું.
પ્રશ્નકર્તા : જૈનીઝમમાં ગુરુભાવ જેવું તો કંઈ છે જ નહીં.
દાદાશ્રી : ના, તમે કહો છો એવું નથી. બાકી દેવ, ગુરુ ને ધર્મ ઉપર તો એનું સ્થાપન જ છે. સદેવ, સદ્ગુરુ અને સસ્તુધર્મ એના પર એનો બધો આધાર છે. ભગવાન મહાવીરે, ચોવીસ તીર્થંકરોએ શું કહ્યું? કે ગુરુ વગર તો આ દુનિયામાં ચાલે નહીં. માટે સદેવ, સદ્ગુરુ અને સધર્મ આ ત્રણ સાથે હશે તો મોક્ષ થશે. એવું સાંભળવામાં આવ્યું છે થોડું ?!
સધર્મ એટલે ભગવાનનાં કહેલા શાસ્ત્રો-આગમો એ સતુધર્મ ! સધર્મ તો છે, ભગવાનનાં કહેલાં શાસ્ત્રો છે પણ ગુરુ વગર સમજણ કોણ પાડે ?! ને સદ્ગુરુ તો, આપણા અહીં બધા સદ્ગુરુઓ હોય છે, તે પણ અત્યારે સદ્ગુરુઓ રહ્યા નથી. કારણ કે એમને આત્મજ્ઞાન નથી એટલે ! બાકી, સદ્ગુરુ તો જોઈએ જ. તમારે ત્યાં એ વહોરવા આવે ને તમારે ખાવાનું આપવાનું. એના બદલામાં તમારે ત્યાં ભણવા જવાનું. આવું ભગવાને ગોઠવેલું છે. દરેક માણસને, એંસી વર્ષનાં માણસને ય સદ્ગુરુ જોઈએ. ને સદેવ એટલે શું ? કે વીતરાગ ભગવાન. હવે એ હાજર ના હોય તો એમની મૂર્તિ રાખે. પણ સદ્ગુરુ તો હાજર જોઈએ. એમની મૂર્તિ ચાલે નહીં.
મતથી માતેલું તો ચાલે ! પ્રશ્નકર્તા : ગુરુ કરવા જોઈએ એ વાત સાચી. પણ આપણે મનથી કોઈને ગુરુ માની લઈએ તો ચાલે ?
દાદાશ્રી : કશું ચાલે નહીં. એને સામો કહેનાર જોઈએ કે તે આ ભૂલ કરી છે અને જો મનથી માની લો, તો એવું છે ને, આ બૈરીને મનથી માની લો ને ! એક છોકરીને જોઈ અને પછી માની લો ને, કે હું પૈણી ગયો છું ! ને પછી ના પૈણે તો ચાલે ?!
પ્રશ્નકર્તા : દાખલા તરીકે કોઈ ગુરુ પરદેશમાં જઈને કાયમ માટે વસી ગયા હોય અને અહીં આવવાના જ ના હોય ને મારે એમને ગુરુ માનવા હોય તો હું એમનો ફોટો રાખીને ગુરુ તરીકે ના માની શકું ?
દાદાશ્રી : ના. એમાં દહાડો વળે નહીં. ગુરુ તો રસ્તો બતાડે એ ગુરુ. ફોટો રસ્તો ના બતાડે, માટે એ ગુરુ કામના નહીં. આપણે માંદા થઈએ તો ડૉક્ટરનો ફોટો મૂકીએ અને એનું ધ્યાન કર્યા કરીએ તો રોગ મટી જાય ?!
આપતા' ગુરુ કોણ ? પ્રશ્નકર્તા : આપને જ્ઞાન પ્રગટ થયું તો આપે કોઈને ગુરુ કરેલા ?! દાદાશ્રી : કોઈ જીવતા ગુરુ તો મળ્યા નથી. ખરા ગુરુ કોને