________________
દાદા ભગવાન પ્રરૂપિત
ગુરુ - શિષ્ય
ડૉ. નીરુબહેન અમીન
| ગુરુ તે જ્ઞાતીમાં ફેર આટલો!
આ બધા ગુરુઓનો ધંધો શું હોય? કેમ કરીને મોટા થવું, ગુરુપણું વધારવું. લઘુ ભણી ના જાય. વ્યવહારમાં ગુરુપણું વધતું ગયું, નામ નીકળ્યું કે 'ભઈ, આમને એકસો આઠ શિષ્ય છે.' એટલે નિશ્ચયમાં એટલું લઘુ થયું, લઘુતમ થતું જાય છે. વ્યવહારમાં ગુરુ થવા માંડ્યા એ પડવાની નિશાની છે.
| મારી જાતને આખા જગતનો શિષ્ય માનું છું અને લઘુતમ સ્વરૂપ છું. આ સિવાય મારું બીજું કોઈ સ્વરૂપ નથી. અને ‘દાદા ભગવાન' એ ભગવાન છે, અંદર પ્રગટ થયા છે તે!
-દાદાશ્રી