SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતા ચિંતા આવે ક્યાંથી ? દાદાશ્રી : ચિંતા કોઈ દહાડો કરેલી ખરી ? પ્રશ્નકર્તા : ચિંતા તો માનવ સ્વભાવ છે, એટલે ચિંતા એક યા બીજા કોઈ સ્વરૂપે એ હોય જ. દાદાશ્રી : માણસનો સ્વભાવ કેવો છે કે પોતાને કોઈ ધોલ મારે, એને સામે ધોલ મારે. પણ જોડે જોડે કોઈ સમજણવાળો હોય તો એ વિચાર કરે કે આ મારે કાયદો હાથમાં ન લેવો જોઈએ. કેટલાક લોકો કાયદો હાથમાં ય લે. હવે આ ચિંતા કરવી એ કાયદો હાથમાં લેવા બરોબર છે. કાયદો હાથમાં લેવો ગુનો કહેવાય. ચિંતા કેમ કરાય માણસને ? દરેક ભગવાન એમ કહીને ગયા કે કોઈ ચિંતા કરશો નહીં. બધું અમારે માથે જોખમદારી રાખજો. પ્રશ્નકર્તા : પણ એ બોલવું અને વ્યવહારમાં મૂકવું એની વચ્ચે બહુ જબરજસ્ત ફેર છે. દાદાશ્રી : ના, હું વ્યવહારમાં છોડવાનું નથી કહેતો. આ તો વિગત કહું છું. એમ કંઈ છૂટે નહીં ચિંતા, પણ આ ચિંતા એ નથી કરવાની, છતાં થઈ જાય છે બધાને. ચિંતા હવે આ ચિંતા થાય ત્યારે દવા શું ચોપડો છો ? ચિંતાની દવા નથી આવતી ? ચિંતા, ત્યાં અનુભૂતિ ક્યાંથી ? પ્રશ્નકર્તા : ચિંતાથી પર થવા માટે ભગવાનના આશીર્વાદ માંગીએ કે આમાંથી હું ક્યારે છૂટું, એટલા માટે ‘ભગવાન, ભગવાન” કરીએ. એ માધ્યમથી આપણે આગળ વધવા માંગીએ છીએ. છતાં હજી મને મારા અંદર રહેલા ભગવાનની અનુભૂતિ થતી નથી. - દાદાશ્રી : શી રીતે અનુભૂતિ થાય ? ચિંતામાં અનુભૂતિ થાય નહીં ને ! ચિંતા અને અનુભૂતિ, બે સાથે ના હોય. ચિંતા બંધ થાય તો અનુભૂતિ થાય. પ્રશ્નકર્તા : ચિંતા કેવી રીતે મટે ? દાદાશ્રી : અહીં સત્સંગમાં રહેવાથી. સત્સંગમાં કોઈ દહાડો આવ્યા છો ? પ્રશ્નકર્તા : બીજે સત્સંગમાં જાઉં છું. દાદાશ્રી : સત્સંગમાં જવાથી જો ચિંતા બંધ ના થતી હોય તો એ સત્સંગ છોડી દેવો જોઈએ. બાકી, સત્સંગમાં જવાથી ચિંતા બંધ થવી જ જોઈએ. પ્રશ્નકર્તા : ત્યાં બેસીએ એટલી વાર શાંતિ રહે. દાદાશ્રી : ના, એને કંઈ શાંતિ ના કહેવાય. એમાં શાંતિ નથી. આવી શાંતિ તો આપણે ગપ્પાં સાંભળીએ તો ય શાંતિ થાય. સાચી શાંતિ તો કાયમ રહેવી જોઈએ, ખસવી જ ના જોઈએ. એટલે ચિંતા થાય એ સત્સંગમાં જવાય જ કેમ કરીને ? સત્સંગવાળાને કહી દેવાનું કે, “ભઈ, અમને ચિંતા થાય છે, માટે હવે અમે અહીં આવવાના નથી, નહીં તો તમે કંઈક દવા એવી કરો કે ચિંતા ના થાય.”
SR No.008850
Book TitleChinta
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2001
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size272 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy