SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ છે? ચિંતા ચિંતા તો સફીકેશન થાય. જેમ ચાર્જ ક્રોધ થયો હતો અને ડિસ્ચાર્જ થતી વખતે છે તે આત્મા જુદો એટલે ગુસ્સો થઈ ગયો. એવી રીતે, આત્મા જુદાપણાથી વર્ત એ બધું જુદું. એટલે આ જ્ઞાન લીધા પછી ચિંતા થાય જ નહીં, એ સફીકેશન છે ખાલી ! ચિંતાવાળું મોટું ખબર પડી જાય. આ જે થાય છે, એ તો સફોકેશન ગૂંગળામણ થાય છે. વ્યવસ્થિત તમને સમજાઈ ગયું છે ને ! કશો ફેરફાર થવાનો નથી. આખી રાત જાગીને બે વર્ષ પછીનો વિચાર કરશો તો ય તે યુઝલેસ વિચારો છે. વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી છે. પ્રશ્નકર્તા: આપે જે રિયલ અને રિલેટિવ એ સમજાવ્યું. ત્યાર પછી ચિંતા ગઈ. દાદાશ્રી : પછી તો ચિંતા જ થાય નહીં ને ! આ જ્ઞાન પછી ચિંતા થાય એવું નથી. આ માર્ગ સંપૂર્ણ વીતરાગી માર્ગ છે. સંપૂર્ણ વીતરાગી માર્ગ એટલે શું કે ચિંતા જ ના થાય. આ તમામ આત્મજ્ઞાનીઓનો, ચોવીસ તીર્થંકરોનો માર્ગ છે, આ બીજા કોઈને માર્ગ નથી. - જય સચ્ચિદાનંદ આપણને રસ્તો ચિતરી આપ્યો હોય, અને તેમાં આપણે સમજવામાં ભૂલ થઈ હોય તો પછી આપણે ગૂંચાઈએ, એને ચિંતા ના કહેવાય, ગૂંગળામણ કહેવાય. એટલે ચિંતાઓ ના થાય. ચિંતાઓ તો તડ તડ તડ લોહી બળ્યા કરતું હોય ! વ્યવસ્થિત'નું જ્ઞાન ત્યાં ચિંતા પલાયત ! પ્રશ્નકર્તા : વ્યવસ્થિત જો બરાબર સમજાય તો ચિંતા કે ટેન્શન કશું જ ના રહે. દાદાશ્રી : સ્ટેજે ના રહે. વ્યવસ્થિત એટલે સાયટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. વ્યવસ્થિત એટલે સુધી સમજતા જવાનું છે, કે છેલ્લું વ્યવસ્થિત કેવળજ્ઞાન ઊભું કરશે. અને વ્યવસ્થિત સમજાઈ જાય તો કેવળજ્ઞાન સમજાઈ જાય. આ વ્યવસ્થિત મારી શોધખોળ એવી સંદર છે. આ અજાયબ શોધખોળ છે. અનંત અવતાર સંસાર કોણ ઊભું કરતું'તું ! કર્તા થઈ બેઠા'તા તેની ચિંતા ! પ્રશ્નકર્તા : આ “જ્ઞાનને લઈને મને હવે ભવિષ્યની ચિંતા નથી રહેતી. દાદાશ્રી : તમે તો “આ વ્યવસ્થિત છે' તેમ કહી દો ને !
SR No.008850
Book TitleChinta
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2001
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size272 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy