SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના સુધારે ભવોભવ ભાવના સુધારે ભવોભવ દાદાશ્રી : ના. ભાવના પવિત્ર હોય એવું નહીં. ભાવના તો અપવિત્રનેય લાગુ થાય. કો'કનું મકાન બાળી મેલવાનીય ભાવના થાય અને કો'કનું મકાન બંધાવી આપવાની ભાવના થાય. એટલે ભાવના બેઉ બાજુ વપરાય, પણ ભાવ એ ચાર્જ કહેવાય છે અને ભાવના એ ડિસ્ચાર્જ છે. આપણને જે મહીં થાય છે કે મારે આ આવું કરવાના ભાવ થાય છે, આમ કરવાનું છે. એ પણ ભાવના છે, એ ભાવ નથી. ખરેખર ભાવ તો ચાર્જ હોય તે. એટલે ભાવકર્મથી આ જગત ઊભું થયેલું છે. આપણાથી કોઈ પણ વસ્તુ ના થાય, તો પણ ભાવ તો રાખવો જ એવો. એ આપણે ત્યાં ભાવ ઉડાડી મેલ્યો છે. બહારના લોકોને ભાવકર્મ કરવું જોઈએ. એટલે શક્તિ માગવી જોઈએ. જેને જે જોઈતી હોય એ દાદા ભગવાનની પાસે શક્તિ માગવી જોઈએ. મહાત્માઓ માટે આ ભાવના. વાત ખરી છે. પેલા ભાવ કહેવાય એ ચાર્જ કહેવાય. અને આ ડિસ્ચાર્જ કહેવાય, ભાવ ના કહેવાય ! ભાવ, એકઝેક્ટ ડિઝાઈનપૂર્વક ! પ્રશ્નકર્તા : આ નવ કલમો છે, તો એ નવ કલમોમાં જેમ કહે છે એ જ પ્રમાણે અમારી ભાવના છે, ઇચ્છા છે, બધું છે, અભિપ્રાયથી ય છે. દાદાશ્રી : પહેલાં કરતો હતો એ રીતે એવું લાગે ખરું પણ એ એવું હોતું નથી આ. એ બાજુ વલણ છે એ વાત નક્કી. પણ તે વલણ ચોક્કસ આ પ્રકારે હોવું જોઈએ. ડિઝાઈનપૂર્વક હોવું જોઈએ. વલણ તો હોય, સાધુ-સંન્યાસીઓને હેરાન નહીં કરવાની ઇચ્છા હોય જ ને ! પણ તે ડિઝાઈનપૂર્વક હોવું જોઈએ. પ્રશ્નકર્તા : ડિઝાઈનપૂર્વક એટલે કઈ રીતે, દાદા ? દાદાશ્રી : એમાં જે લખ્યું છે એ પ્રમાણે, એકઝેક્ટનેસ. બાકી આમ તો સાધુ-સંતોને મારે હેરાન નથી કરવા એવું હોય, પણ છતાં એ હેરાન કરે છે જ. એનું કારણ શું છે ? ત્યારે કહે, ડિઝાઈનપૂર્વક નથી એનું. એ ડિઝાઈનપૂર્વક હોય તો ના થાય. પ્રશ્નકર્તા : આ જે નવ કલમો છે એ સમજપૂર્વક જીવનમાં લાવવી જોઈએ ? પ્રશ્નકર્તા : બહારનાં જે જગતનાં લોકો છે, એને આ શક્તિ માગવી જોઈએ, તો આપણા મહાત્માઓ જે શક્તિ માગે છે, ભાવના કરે છે એ શેમાં જાય ? દાદાશ્રી : મહાત્માઓ માગે છે, એ ડિસ્ચાર્જમાં છે. કારણ કે ભાવના બે પ્રકારની છે, ચાર્જ અને ડિસ્ચાર્જ બેઉ. જગતના વ્યવહારમાં લોકોનેય ભાવના હોય અને આપણે અહીં ભાવના હોય. પણ આ ડિસ્ચાર્જરૂપે છે આપણી. અને એમને ડિસ્ચાર્જ ને ચાર્જ બેઉ રૂપે ભાવના હોય. પણ શક્તિ માગવામાં નુકશાન શું છે ? પ્રશ્નકર્તા બહારના લોકો આ શક્તિઓ માગે નવ કલમોની, તો તે ભાવ કહેવાય તો મહાત્માઓ શક્તિ માગે તે ભાવ ના કહેવાય ? દાદાશ્રી : બહારના લોકો માટે એ ભાવ કહેવાય અને આપણા દાદાશ્રી : ના, એવું કશું સમજપૂર્વક લાવવાની નહીં. અમે શું કહીએ છીએ કે આ અમે જે બોલ્યા છીએ એ શક્તિ માગો ફક્ત. શક્તિ તમને એક્ઝક્ટ લાવીને મૂકી દેશે. તમારે સમજપૂર્વક કરવાનું ના હોય. આ થાય જ નહીં, માણસ કરી શકે નહીં. સમજપૂર્વક, જો સમજીને કરવા જાયને તો થાય નહીં. કુદરતને સોંપી દેવાનું. એટલે ‘હે દાદા ભગવાન, શક્તિ આપો.” શક્તિ ઇટસેલ્ફ ઊગે. પછી એક્ઝક્ટ આવે.
SR No.008844
Book TitleBhavna Sudhare Bhavobhav
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2003
Total Pages25
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size354 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy