________________
અથડામણ ટાળો
૫
વ્યવહારમાં, ટાળો અથડામણ આમ !
આપણે આ ગાડીમાંથી નીકળીએ ને તરત પેલાં મજૂરો તે ‘હેય... અહીં આવ, અહીં આવ !' પેલા દોડતાં બે-ચાર જણ આવે. ચલ ઉઠાવી લે.' સામાન ઉઠાવી લીધા પછી ત્યાં આગળ કકળાટ માંડીએ બહાર નીકળીને, ‘માસ્તરને બોલાવું છું, ફલાણું કરું છું, આટલાં બધા પૈસા લેવાતાં હશે. તું આમ કરું છું, તેમ કરું છું ?” અલ્યા મૂઆ, ના કરાય અહીં આગળ, અથડામણ ના કરીશ. એ અઢી રૂપિયા કહે તો આપણે એને પટાવીને કહેવું, ભઈ, ખરેખર તો રૂપિયાનું છે વસ્તુ, પણ તું બે લઈ લે હૈંડ'. આપણે જાણીએ કે ચોંટી પડ્યા એટલે એને વધતું-ઓછું આપીને નિકાલ કરી નાખવાનો. ત્યાં અથડામણ ના કરાય. નહીં તો પેલો અકળાયને બહુ, તે ઘેરથી અકળાયેલો જ હોય, તે સ્ટેશન પર કકળાટ માંડીએ તો મૂઆ આ પાડા જેવો છે, હમણે ચપ્પુ મારી દેશે આ. તેંત્રીસ ટકે માણસ થયો, બત્રીસ ટકે પાડા !
કોઈ માણસ વઢવા આવે, શબ્દો બોમ્બગોળા જેવા આવતાં હોય ત્યારે આપણે જાણવું કે અથડામણ ટાળવાની છે. આપણાં મન ઉપર અસર બિલકુલ હોય નહીં, છતાં કંઈક અસર ઓચિંતી થઈ, ત્યારે આપણે જાણીએ કે સામાના મનની અસર આપણા પર પડી; એટલે આપણે ખસી જવું. એ બધી અથડામણો છે. એ જેમ જેમ સમજતા જશો તેમ તેમ અથડામણને ટાળતા જશો. અથડામણ ટાળે તેનાથી મોક્ષ થાય છે !
આ જગત અથડામણ જ છે, સ્પંદન સ્વરૂપ છે. માટે અથડામણ ટાળો. અથડામણથી આ જગત ઊભું થયું છે. એને ભગવાને વેરથી ઊભું થયું છે, એમ ક્યું છે. દરેક માણસ, અરે, જીવમાત્ર વેર રાખે. વધુ પડતું થયું કે વેર રાખ્યા વગરે રહે નહીં. તે પછી સાપ હોય, વીંછી હોય, બળદિયો હોય કે પાડો હોય, ગમે તે હોય પણ વેર રાખે. કારણ કે બધાનામાં આત્મા છે. આત્મશક્તિ બધાનામાં સરખી છે. કારણ આ પુદ્ગલની નબળાઈને લઈને સહન કરવું પડે છે. પણ સહન કરતાંની સાથે એ વેર રાખ્યા વગર રહે નહીં અને આવતે ભવે એ એનું વેર વાળે પાછું !
૬
અથડામણ ટાળો
કોઈ માણસ બહુ બોલે તો એનાં ગમે એવાં બોલથી આપણને અથડામણ ના થવી જોઈએ. એ ધર્મ છે. હા, બોલ તો ગમે તેવાં હોય. એ કંઈ બોલને એવી શરત હોય છે કે ‘અથડામણ જ કરવી.’ આ તો સવાર સુધી અથડામણ કરે એવાં લોક. અને આપણાં લીધે સામાને ડખો થાય એવું બોલવું એ મોટામાં મોટો ગુનો છે. ઊલટું એવું કોઈ બોલ્યું હોય તો તેને દાબી દેવું, તેનું નામ માણસ કહેવાય !
સહત ? તહીં, સોલ્યુશન લાવો !
પ્રશ્નકર્તા : દાદા, અથડામણ ટાળવાનું આપે જે કહ્યું, એટલે સહન કરવું એમ અર્થ થાય ને ?
દાદાશ્રી : અથડામણ ટાળવાનું એટલે સહન કરવાનું નથી. સહન કરશો તો કેટલું કરશો ? સહન કરવું અને ‘સ્પ્રીંગ’ દબાવવી, એ બે સરખું છે. ‘સ્પ્રીંગ’ દબાવેલા કેટલાં દહાડા રહેશે ? માટે સહન કરવાનું તો શીખશો જ નહીં, સોલ્યુશન કરવાનું શીખો. અજ્ઞાન દશામાં તો સહન જ કરવાનું હોય છે. પછી એક દહાડો ‘સ્પ્રીંગ’ ઊછળે તેમ બધું પાડી નાખે, પણ એ તો કુદરતનો નિયમ જ એવો છે.
એવો જગતનો કાયદો જ નથી કે કોઈને લીધે આપણે સહન કરવું પડે. જે કંઈ સહન કરવાનું થાય છે બીજાના નિમિત્તે, એ આપણો જ હિસાબ હોય છે. પણ આપણને ખબર નથી પડતી કે આ કયા ચોપડાનો ને ક્યાંનો માલ છે, એટલે આપણે એમ જાણીએ કે આણે નવો માલ ધીરવા માંડ્યો. નવો કોઈ ધીરે જ નહીં, ધીરેલો જ પાછો આવે. આપણાં ‘જ્ઞાન’માં સહન કરવાનું હોતું નથી. જ્ઞાનથી તપાસ કરી લેવી કે સામો ‘શુદ્ધાત્મા’ છે. આ જે આવ્યું, તે મારા જ કર્મના ઉદયથી આવ્યું છે, સામો તો નિમિત્ત છે. પછી આપણને આ ‘જ્ઞાન' ઈટસેલ્ફ જ પઝલ સોલ્વ કરી આપે.
પ્રશ્નકર્તા : એનો અર્થ એમ થયો કે મનમાં સમાધાન કરવાનું કે આ માલ હતો, તે પાછો આવ્યો એમ ને ?