________________
ગમો-અણગમો
૧/૯ પ્રશ્નકર્તા : સ્નેહ અને રાગમાં શું ફેર ? દાદાશ્રી : સ્નેહ એ ચીકાશ કહેવાય. પ્રશ્નકર્તા : એટલે રાગથી પણ આગળ ગયું ? દાદાશ્રી : ના, એવું નહીં. રાગ બહુ વસમો છે. સ્નેહ તો તૂટી જાય. પ્રશ્નકર્તા : પણ ચીકણો કીધો ?
દાદાશ્રી : ચીકણો છતાંય તૂટી જાય. સ્નેહ એટલે ખાલી ચીકાશ, બીજું કંઈ નહીં.
પ્રશ્નકર્તા : એમાં રાગ ના હોય ? દાદાશ્રી : ના. ચોંટે એ ચીકાશને લઈને. પછી વિખૂટું ય પડી જાય. પ્રશ્નકર્તા : એટલે આકર્ષણ જેવું થયું, આકર્ષણ એમ ?
દાદાશ્રી : આકર્ષણમાં રાગ ઉત્પન્ન થાય. એક પાંદડું ઊડતું આવ્યું અને આપણને ચોંટી ગયું. હવે એ સ્નેહથી ચોંટ્યું. પણ તાપ પડ્યો ને સૂકાઈ ગયું અંદરનું પાણી. ઊખડી, એની મેળે જ પડી જાય. ભીનું છે તેથી ચોંટી ગયું અહીં. અને તાપ પડે તે ઘડીએ ?
[૨૩]
વીતદ્વેષ વ્યાખ્યા રાગ-દ્વેષ તણી !
રાગ-દ્વેષ થાય છે ? પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ થાય તો ખરાં જ ને ! દાદાશ્રી : તો રાગદ્વેષ બંધ થવાનું કોઈ સાધન હશે ને ? પ્રશ્નકર્તા : ખરી સમજણ મળવી જોઈએ. દાદાશ્રી : ષ બંધ થાય તો સારું કે રાગ બંધ થાય તો સારું ?
પ્રશ્નકર્તા : છૂટું પડી જાય.
દાદાશ્રી : આપણે ઉખાડવું ના પડે. અને રાગ જુદી વસ્તુ છે. રાગ તો, વીતરાગતા ના થાય ત્યાં સુધી રાગે પડવા ના દે. તને હવે શેની પર રાગ આવે છે ?
પ્રશ્નકર્તા : જૈષ તો સમજ્યા, રાગનો અર્થ શું થાય છે ? વૈષ એટલે ઇર્ષા, કોઈના માટે વેરઝેર.
પ્રશ્નકર્તા: ‘મને’ કશા ઉપર નથી આવતો.
દાદાશ્રી : હા, ત્યારે ખરું ! વીતરાગ કહેવાય. અત્યારે વીતરાગ ના કહેવાય, વીતદ્વેષ કહેવાય. દ્વેષ રહ્યો નહીં.
દાદાશ્રી : ઇર્ષા, તિરસ્કાર, અભાવ, અણગમો અને એનાં વિરોધી શબ્દો રાગમાં આવે. રાગ એટલે ગમો, આકર્ષણ.
' હવે દ્વેષથી આ દુઃખી છે બધું જગત. રાગથી દુઃખી ના હોય. રાગથી સુખ જ ઉત્પન્ન થાય. પણ એ સુખમાં જ લૅષ ઊભો રહેલો હોય. એમાંથી જ દ્વેષનાં ધુમાડા નીકળે. માટે ભગવાને રાગે ય પછી છોડવાનો કહ્યો. પહેલો વીતદ્વેષ થા. ભગવાન પહેલા વીતદ્વેષ થયા અને પછી વીતરાગ થયા.