________________
૪૩૦
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
૪૩૧
દાદાશ્રી : પૂરા વીતરાગી ના કહેવાય. ત્રણસો સાઠમાં ચાર ડિગ્રી ઓછી...
પ્રશ્નકર્તા: પણ દાદા, તમે ત્રણસો સાઠ ડિગ્રી થાઓ એટલે એ જ વીતરાગ, બરોબર.
દાદાશ્રી : હા, વીતરાગ પણ થઈ શકે નહીં આ કાળમાં, આ ક્ષેત્રે ન થાય. એટલે અમે એવી ઉતાવળ કરતાં નથી. અમારે ઉતાવળે ય શું છે? અમારો પુરુષાર્થ આ બાજુ વળ્યો. લોકોને લાભ થાય. અહીં જો થઈ શકાતું હોત તો અમારો પુરુષાર્થ પેલી બાજુ વાળત અમે. આ તો થઈ શકાતું નથી. માટે અમારે છે તે પુરુષાર્થ આ બાજુ વાળ્યો.
પ્રશ્નકર્તા : બહુ પુરુષાર્થ કરે તો પણ ચાર ડિગ્રી આ કાળમાં ન
જાય ?
દાદાશ્રી : પુરુષાર્થ કરીએ જ શા માટે ? અહીં પરીક્ષા થવાની જ નથી તો વાંચીએ શું કરવા ? પરીક્ષા થવાની હોય ત્યાં વાંચીએ. અત્યારે અહીં વાંચવા માંડે તો લોકો કહેશે, કેમ પરીક્ષા આવી તમારે ? ના, ભઈ, પરીક્ષા તો બહુ દહાડા બાકી છે. ક્યાં માથાકૂટ કરું ?
હું, બાવો, મંગળદાસ દુષમકાળના જીવ છે ને શંકાવાળા છે. વગર કામની શંકાઓથી એનું બગડે ઉલટાનું. એટલે આ જુદા પાડ્યા, શંકા ઊભી ના થાય ને ?
આ એને ઠંડક રહે. હા, હવે એનું ગાંડપણ ઊભું ના થાય એટલા હાસ. ખરી રીતે બે જ છે આ. કૃપાળુદેવે તો કહ્યું છે, જ્ઞાની પુરુષ એ દેહધારી પરમાત્મા જ છે. પણ આ ત્રણ ભાગ પાડ્યા છે. એનું કારણ કરુણા છે એની પાછળ. અહીંથી ભાગી ના જાય, અહીં આવેલો રખડી ના મરે.
ખુલ્લું રહસ્ય અક્રમ વિજ્ઞાત થકી ! આ તો વાત નીકળી જાય એટલી સાચી, બાકી નહીં તો નીકળે નહીં. દ્રષ્ટિ વગર નીકળતી નથી કોઈ દહાડો. આ તો તમારે લીધે હું કહું છું.
પ્રશ્નકર્તા: પણ અક્રમ વિજ્ઞાને આખું રહસ્ય જ્ઞાન ખુલ્લું કર્યું અંતરનું.
દાદાશ્રી : ખુલ્લું થયેલું જ નહીં. આ તો ઠેઠ સુધી બધું પગલે પગલું ભરેલું.
પ્રશ્નકર્તા : આ શાસ્ત્રમાં કે કોઈ આવું અંદરનું બતાડી નથી શક્યું. દાદાશ્રી : હોય જ નહીંને, જાણે જ નહીં ને ! પ્રશ્નકર્તા : આત્મા છે ને પુદ્ગલ છે બધું, બસ.
દાદાશ્રી : ઠેઠ સુધી એ હોય અને જાણે ત્યારે આ બોલે નહીં. આ તો બોલતો નહીં કોઈ દહાડો, આજે જ બોલ્યો આ તો. કારણ કે અમે સંપર્ણ દશામાં રહીએ. ત્રણસો સાઇઠ એકલામાં. એ બેમાં ના રહીએ. ત્રણસો છપ્પને દર્શન થાય અને ત્રણસો સાઈઠ છે તે અમે રહીએ એટલે આ દર્શન કરનારને બહુ ફાયદો છે ! અત્યારે વાત કરતી વખતે એવો ફાયદો ના થાય.
તમામ શાસ્ત્રોતો સાર, હું બાવો . હવે આ વિજ્ઞાન તો શાસ્ત્રોમાં શી રીતે જડે ? કોઈ જગ્યાએ હોય નહીં. આ તો દસ લાખ વર્ષે આ પ્રગટ થાય, ત્યારે આ બહાર પડી જાય.
જ્ઞાતીતી કરુણા ! દુનિયામાં બીજા બધા ભેગા થાય પણ હું, જ્ઞાની અંબાલાલ ભેગા ના થાય. ‘હું કોણ ? ‘હું એ ‘દાદા ભગવાન' છે, આ જ્ઞાની છે અને અંબાલાલ એ “પટેલ” છે. હું, જ્ઞાની, અંબાલાલ ભેગા ના થાય. આ જોગ બેસે નહીં, બીજા બધા જોગ બેસે. ભગવાન પોતે હાજર ના થાય. આ થઈ ગયા છે. આખા બ્રહ્માંડના ભગવાન હું કહું છું, એની ગેરંટી આપું છું. આ જેટલો સાંધો મેળવી લે એટલો એના બાપનો.
ખરી રીતે આ ત્રણ તો હું પાડું છું. હું, જ્ઞાની અને અંબાલાલ - ત્રણ ભેદ પાડું છું એની પાછળ કરુણા છે. ખરી રીતે બે જ ભેદ છે – દાદા ભગવાન અને અંબાલાલ, બે જ છે. પણ ત્રણ પાડવાના શું કારણ કે આ