________________
૪૨૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
રીતે હોય છે બધું? બાવાનું પદ અને મંગળદાસનું પદ હોય જ? એને “હું” હોય ? એની સમજમાં ત્રણે પદ હોય કે એને ખબર ના હોય ?
દાદાશ્રી : બધું ય હોય એનું. એમને સમજમાં ના હોય. જ્ઞાન પછી જ સમજાય.
પ્રશ્નકર્તા: જે આ અહંકાર જ્ઞાતાભાવે અને કર્તાભાવે રહે છે, તો બાવાનું પણ એવું જ કંઈક કાર્ય હોય છેને, દાદા? એ અહંકાર અને બાવામાં
દાદાશ્રી : અહંકાર એ જ બાવો છે ને ! બાવામાં મુખ્ય વસ્તુ અહંકાર જ છે. અહંકાર ઓછો થાય તે ય બાવો છે. ઓછો અહંકારી છે. અહંકાર ખલાસ થઈ ગયો હોય તે ય બાવો છે.
પ્રશ્નકર્તા : એટલે પછી બાવાનું ય અસ્તિત્વ ખલાસ થઈ ગયુંને ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા કે નિર્અહંકારી પદે બાવો રહે?
હું, બાવો, મંગળદાસ
૪૨૫ પહોંચાડનારા ય જુદા હોય.
દાદા ભગવાન' અને “દાદા-બાવો' ! જ્ઞાનીય બાવા ને તમેય બાવા. ફોલોઅર્સ ય બાવા. પણ કોના ફોલોઅર્સ ? ત્યારે કહે કે બાવાના બાવા.
જ્ઞાની એ તો “બાવો છું’ એવું લોકોની પાસે કબૂલ ના કરે. કારણ કે એ જાણે કે પછી ભક્તિ જતી રહેશે. એટલે આ ભગવાન શું ના કરે ?! આપણે તો દાદા કહે એ સાચું. દાદા એ બાવા જ છેને, ઓછા કંઈ ભગવાન છે ?!
‘દાદા ભગવાન' એ ભગવાન છે અને દાદા એ બાવા.
પ્રશ્નકર્તા : અમને તો દાદા ભગવાને ય ભગવાન લાગે છે અને બાવાએ ભગવાન જ લાગે છે.
દાદાશ્રી : એ તમને તો એવું લાગવું જોઈએ, આ તો હું પ્યૉર કહું. પ્યૉર કોઈ બોલે જ નહીંને ! કંઈ મારું નામ રહે એવી અમારે ભાવના જ નહીં ને ! આ તો હું કહી દઉંને, મારામાં બરકત નથી રહી !
આ ‘દાદા ભગવાન' ફરી નહીં મળે, આવા પ્યોર ભગવાન ! કારણ કે બીજા ભગવાન તો એવું કહે, હું પોતે જ ભગવાન છું અને હું જ આનો કર્તા-હર્તા છું પણ હું તો એવું કહેતો જ નથી ને ?
દાદાશ્રી : અમારે ચાર્જ કરનારો અહંકાર પોતે ખલાસ થયેલો જ છે. અમારે “હું” “અહંકાર’ ખલાસ થયેલો છે, પણ આ બાવો હજુ અહંકારી છે, ત્રણસો છપ્પનવાળા. એટલે ડિસ્ચાર્જ અહંકાર રહે, નહીં તો સંડાસે ય ના જવાય.
પ્રશ્નકર્તા : ના, ના.
પ્રશ્નકર્તા: એટલે એ હિસાબે દાદા, તીર્થંકરોને ડિસ્ચાર્જ અહંકાર પણ ખલાસ થઈ ગયો હોય છે, એટલે એનો બાવો પણ ખલાસ થઈ ગયેલો ?
દાદાશ્રી : હા. પછી એમને કશું કરવું ના પડે. પ્રશ્નકર્તા : ખાવું-પીવું, સંડાસ, અન્ન કશું જ નહીં ?
દાદાશ્રી : એ એમનું ખાવા-પીવાનું જુદું હોય, ખવડાવનાર જુદા, બધું જ જુદું હોય. કેટલુંક દેહ જ કામ કર્યા કરે. કેટલુંક ખવડાવનારપીવડાવનાર જુદા હોય, અંદર ચલાવનાર જુદા હોય. એ ઠેઠ મોશે
દાદાશ્રી : જે છે એને કહું છું ને કે આ હંડ્રેડ પરસેન્ટ ભગવાન છે. બીજા કોઈ ભગવાનનું ખોટું નથી. તદન સાચી વાત છે. પણ એ પોતાને ભગવાન કહે છે એટલે આપણને એટલો પૂર્ણ લાભ મળે નહીં. અને આ તો શું આશ્ચર્ય થાય, એ કહેવાય નહીં !!!
દાદા ભગવાન તેથી જ બધાને દેખાય છે ને ! નહીં તો દાદા ભગવાન દેખાય જ નહીં ને ! ચોવીસેય કલાક દાદા ભગવાન ખ્યાલમાં રહે