________________
४००
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
પ્રશ્નકર્તા : ના, એવી ગમ્મત નહીં કરતાં.
દાદાશ્રી : મહાત્માઓની ગમ્મત કરું, મહાત્માઓને આશ્ચર્ય થઈ જાય કે આ કેવું બોલે છે ! પણ હવે નહીં બોલું.
પ્રશ્નકર્તા : મહાત્માઓ તો કહે છે દાદા તો અઠ્ઠાવીસ વર્ષના લાગે છે.
દાદાશ્રી : પણ હવે નહીં બોલું.
હું બાવો મંગળદાસ. પેલું લખવું હોય તો ય લખાય. સહેલું, સારું કહેવાય. હું મંગળદાસ બાવો.
પ્રશ્નકર્તા : દાદા, આ હું બાવો મંગળદાસ સારું લાગે છે.
દાદાશ્રી : હા, એ રૂપક.
પ્રશ્નકર્તા : બધાને મોઢે ચઢી ગયું છે, એ એક્ઝેક્ટ સિકવન્સમાં છે. દાદાશ્રી : એટલે એ ચઢી ગયું છે ને બધાને, તો એનું એ ચાલુ રાખીએ. હંઅ, પ્રખ્યાત થઈ ગયા મંગળદાસ. નહીં તો કોણ પૂછે મંગળદાસને ? એવાં મંગળદાસ તો બહુ જન્મ્યા ને મરી ગયા, નહીં ? સારો રસ્તો છે.
કેટલા દાખલા ઉપરેય દાખલા, દાખલા... એ સમજણ, ગેડ પડી જાય એવું. તમને સમજાઈ ગયું, નહીં ? બાવો કોણ ને બાવી કોણ ? ને..
પ્રશ્નકર્તા : હા, હી.
દાદાશ્રી : અમથાં ગાંડાં કાઢે બાવો વર્ષોથી. એ સુખમાં છે કે નહીં ? પ્રશ્નકર્તા : હા દાદા, હવે નિરંતર સુખમાં !
જીવત બતે સુગંધીમય !
દાદાશ્રી : આ બાવો કોણ ? સંસારમાં આમ કરે, તેમ કરે, બાબાને મારે - બાબાને ઠોકે, એ બધું બાવો અને હું કોણ ? શુદ્ધાત્મા. એટલે આ
હું, બાવો, મંગળદાસ
પેલામાંથી બાવામાંથી નીકળવાનું છે આપણે. નામ ભલે રહ્યું. એટલે અમારે અંબાલાલ રહ્યું નામ, અમે બાવામાંથી નીકળી ગયા અને થોડું બાવાપણું રહ્યું છે તે આ ખટપટ કર્યા કરીએ. શા હારુ ખટપટ ? ત્યારે કહે, હું જે સુખ ભોગવું છું, એવું સુખ તમને હો.
બાવાએ સુખ માનેલાં તે હવે ચાખવાં પડતાં નથીને ? પ્રશ્નકર્તા : ના.
૪૦૧
દાદાશ્રી : જ્યાં સુધી બાવા હતા ત્યાં સુધી ચાખ્યું. પણ હવે તો બાવા મટી ગયાંને ! બહુ સારા માણસ, બેસ્ટ માણસ. સુખ ચાખવાની ભાવના થાયને બાવાને, એને કહીએ, ‘તમે બાવા, પણ મારે હું ને તું બે જુદાં, સહિયારાં નહીં. હવે મારાથી કેમ વચ્ચે હાથ ઘલાય ? તમે તમારે પ્રયત્ન કરો' કહીયે ! બાવા થઈને ચાખ્યું એ જુદું, ગયું. પણ હવે ?
હવે જીવન એવું સરસ કાઢવાનું, હમણે બાવો જે છે આપણી જોડે તેને કહી દેવાનું કે ‘જીવન એવું કાઢો કે આમ અગરબત્તી જેવું’. અગરબત્તી જીવન કાઢે છે, શું એને ધંધો ? પોતે બળીને બીજાને સુખ આપવું. એટલે એની જીંદગી નકામી ના ગઈ. સારી ચોખ્ખી ગઈ. અગરબત્તી જેવું, એ સમજાવવું. અને અગરબત્તી જેવું થાય એવું છે. માલ એવો બધો ને સુગંધીવાળા માણસો હોય.
હવે થઈ ખાત્રી મુક્તિતી !
આના સાંધા મળે છે કે નહીં મળતા ?
પ્રશ્નકર્તા : સાંધા મળે છે.
દાદાશ્રી : જેને તાળો કહીએ છે આપણે.
પ્રશ્નકર્તા ઃ તાળો મળે છે. લીંક જડે. બધી લીંકો બેસે છે.
દાદાશ્રી : બેસી જ જાય. એનું નામ જ્ઞાન કહેવાય. દસ જગ્યાએ બેસે
ને બીજું ચાર જગ્યાએ કાચું પડે એ જ્ઞાન ના કહેવાય. પછી ના સમજણ પડે,