________________
૩૮૨
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
હું, બાવો, મંગળદાસ
૩૮૩
દાદાશ્રી : એ જ બાવો ને ! એને બે ય બાજુ રહેવું છે. પ્રશ્નકર્તા ઃ એ બાવાને છોડીને શુદ્ધાત્મા સાથે જોઈન્ટ કરી નાખવાનું
દાદાશ્રી : નહીં, શુદ્ધાત્મા, એ છીએ જ આપણે !
બંધાયેલો તે ‘આ’ ! પ્રશ્નકર્તા : ચરણવિધિ જે બોલવાની હોય છે તે જ્ઞાન લીધા પછી એ કોણ બોલે ?
દાદાશ્રી : વાણી. પ્રશ્નકર્તા : એટલે પ્રતિષ્ઠિત આત્મા બોલે છે, કહેવાય ?
દાદાશ્રી : તો બીજું કોણ બોલે ? જેને છૂટવું હોય એ બોલે. બંધાયેલો હોય તે.
પ્રશ્નકર્તા: હા, પણ એ કોણ છે, દાદા ? એ કોણ બંધાયું છે ?
દાદાશ્રી : આ અહંકાર, શુદ્ધાત્મા તો બંધાયેલો છે જ નહીં ને ! જે બંધાયેલો હોય તે છૂટવા માટે બૂમો પાડે.
પ્રશ્નકર્તા: પણ દાદા, એમાં બે વસ્તુ આવે છે, આપનાં સર્વોત્કૃષ્ટ સદ્દગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્કુરાયમાન થાવ. એ વ્યવહારનું આવે છે. થોડુંક અને ‘હું શુદ્ધાત્મા છું' એવા વાક્યો ય આવે છે.
દાદાશ્રી : એનો એ જ હું, પણ ક્યાં અમલ કર્યો તે ? વ્યવહાર એટલે અમલ કરેલી વસ્તુ. ‘હું શુદ્ધાત્મા’ તે સાચું અને પેલો વ્યવહાર બધો વિકલ્પ કહેવાય. ‘હું જયાં વાપર્યો તે વિકલ્પ. એટલે કે બંધાયેલો છે, તે છૂટવા માટે આ ફાંફા મારે છે બધા.
પ્રશ્નકર્તા એટલે અહંકાર બંધાયેલો છે ? દાદાશ્રી : ત્યારે બીજું કોણ ?! અહંકાર એ ચંદુભાઈ, અહંકાર એ
પ્રતિષ્ઠિત આત્મા જે ગણો તે. એ બંધાયેલો છે. દુઃખે ય એને જ છે ને ! જેને દુઃખ છે એ મોક્ષમાં જવા માટે ફાંફા મારી રહ્યો છે. દુ:ખથી મુક્ત થવું એ મોક્ષ. એ જ બધું. બીજું કોઈ નહીં. આ બધું રીલેટિવ એને છે.
દુઃખ જેને પડતું હોય તે સુખ ખોળે. બંધાયેલો હોય તે છૂટો થવા ફરે છે. આ બધું બંધાયેલા માટે છે. આમાં શુદ્ધાત્મા માટે કશું નથી.
પ્રશ્નકર્તા દાદા, જો ચંદુભાઈને છૂટવું હોય અને ચંદુભાઈ બોલતો હોય. તો હું શુદ્ધાત્મા છું એ વાક્ય કેવી રીતનાં આવે, દાદા ?
દાદાશ્રી : એ ય બોલાય જ ને !
પ્રશ્નકર્તા : તો ચંદુભાઈ કેવી રીતનાં બોલી શકે ‘હું શુદ્ધાત્મા છું' એમ ?
દાદાશ્રી : બોલે જ છે ને ! પણ એ તો ટેપરેકર્ડ છે ને ! એ ચંદુભાઈ હતો તે દહાડાની વાત છે ને ! અને આપણે અત્યારે તો ’ ‘આ’ થયા છે. રિયલી સ્પિકિંગ હું શુદ્ધાત્મા છું, રિલેટિવ સ્પિકિંગ ચંદુભાઈ, એમાં વાંધો શું છે ?! કયા વ્યુ પોઈન્ટથી હું આ બોલું છું?
પ્રશ્નકર્તા : એટલે આમાં બેઉ વ્યુપોઈન્ટ આવે છે ?
દાદાશ્રી : વ્યુપોઈન્ટ બધાય. કેટલા બધા વ્યુ પોઈન્ટ છે. પણ આમાં બે મુખ્ય છે. વ્યુપોઈન્ટ તો ત્રણસો સાંઠ ડિગ્રીના, આ ડિગ્રીએ હું આનો સસરો થઉં, આ ડિગ્રીએ આનો ફાધર થઉં, આ ડિગ્રીએ આનો મામો થઉં.
ત પૂછાય નકામું જ્ઞાતીતે ! બીજું કશું પૂછવાનું છે કે આ જ છે ? એ જ જાણવા માંગો છો કે બીજું કશું ?
પ્રશ્નકર્તા : આપ કંઈ એવો જાદુ કરો કે આશીર્વાદ આપો કે અમે વધારે ને વધારે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં બધા રહીએ. આ તો બાવો થઈ જવાય