SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) નિરાલંબ ૩૪૯ પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે એ તો મહીં હૂંફ જોઇએ. ત્યારે હૂંફની જ પંચાત છે. પ્રશ્નકર્તા: તો એ મોક્ષને આ બધાં બાધક આવરણ જ ને ? દાદાશ્રી : એટલે હૂંફ વગરનું જીવન, એનું નામ મોક્ષ. હૂંફ છે તે પરવશતા છે. આપણે એકલા હોઇએ તો નોકરને કહીએ કે ભઇ, અહીંયા આવીને સૂઇ જજેને ! એક દહાડો ન આવે તો આપણને મનમાં એમ લાગે કે બળ્યો, આ આવે તો સારું, બિચારો ! આખી રાત હું શું કરીશ ? આ હૂંફ હોય. પેલો પેણે સૂઇ જાય, ત્યાં આપણને શું આપે છે ? હૂંફ છે ને ! પ્રશ્નકર્તા : એ હૂંફ છે એ પણ ખાવા અને ઊંઘવા જેટલી માદકતા લાવે ? દાદાશ્રી : ના, એવું નહીં, ભય, કંઇ કો'ક આવશે, કંઈક થશે, શું પ્રશ્નકર્તા : દાદા, તમારી તો સરસ્વતી કંઇ કમાલ છે ? આવું તો સાંભળ્યું જ નથી કશે ! દાદાશ્રી : ન હોય, એ તો રકાબી-રકાબીઓમાં પડી રહે ને પેલું પેલામાં પડી રહે, પ્યાલા-રકાબીઓ જોડે એમાં પ્રેમ હોતો હશે ? પ્રેમ તો દાદાનો વધ-ઘટ ના થાય. ફૂલહાર ચડાવે તો ય વધી ના જાય ને કશું આડુંઅવળું કરીએ તો ય ઘટી ના જાય, એનું નામ પ્રેમ કહેવાય. એટલે અમે નિરાલંબ કહેવાઇએ, અવલંબન નહીં. પ્રશ્નકર્તા : દાદા, જે નિરાલંબ રહે, એને કુદરત પણ હેલ્પ કરેને ? દાદાશ્રી : કોઇ કોઇ જગ્યાએ હેલ્પ કરતું નથી. કોઇ કોઇની હેલ્પ કરે તો ત્યાર પછી એની શરમ રાખવી પડે. એનો ઉપકાર માનવો પડે. એ નિરાલંબમણું ના કહેવાય. હૂંફ લો તો જ્ઞાતીની જ ! પ્રશ્નકર્તા : એટલે જેને જ્ઞાનીની હૂંફ મળી હોય એ પછી એ જ્ઞાનીની હૂંફે હૂંફે પછી નિરાલંબ થઈ શકે ને ? દાદાશ્રી : થાયને ! નિરાલંબ થવાનો રસ્તો જ એ છેને ! પ્રશ્નકર્તા : જ્ઞાનીની હૂંફ ના મળે તો ? તો પછી નિરાલંબ ના થવાય ? દાદાશ્રી : તો બિચારો વહુની હૂંફ ખોળે, વહુની હૂંફ ના મળતી હોય તો ભઈબંધની ખોળે, પણ કો'કની હૂંફ તો ખોળને ! પ્રશ્નકર્તા : પછી એ ભટકી ના મરે ? જ્ઞાનીની હૂંફ ના મળે તો.... દાદાશ્રી : ભટકી જ મર્યા છેને કેવાં, જોને ! પ્રશ્નકર્તા : એટલે જ્ઞાનીની જ હૂંફ હોવી જોઈએ ? દાદાશ્રી : હા, પણ જ્ઞાની હોય નહીંને ! કો'ક કાળે હોય. થશે ? પ્રશ્નકર્તા ના દાદા, ધણી અને દીકરા માટે એવાં ભયને લીધે ક્યાં કરીએ છીએ ? એ મોહ નહીં, મોહ ? દાદાશ્રી : હા, એ મોહ તો ખરો. ભયને લીધે મોહ કર્યો છે. ભય ના હોત તો મોહ જ ના કરત. તેની હૂંફ ખોળે છે. પ્રશ્નકર્તા : એમાં પ્રેમ નથી ? દાદાશ્રી : ન હોય. પ્રેમ તો કોઇ જગ્યાએ હોતો હશે, બળ્યો ! પ્રશ્નકર્તા : આસક્તિ બધી ? | દાદાશ્રી : તો બીજું શું ? ત્યાં આ પ્યાલા પાસે પાસે પડી રહે, માટે બધા પ્રેમવાળા છે સામસામી ? જો રકાબીઓ જોડે સૂઇ જાય છે. એ પ્રેમવાળી હશે ?
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy