________________
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
નહીં હોય ત્યારે બૂમાબૂમ કરશો. હાય પંખો નથી, પંખો નથી.....
અમે બિલકુલ નિરાલંબ હોઈએ. શબ્દનું ય અવલંબન જેને નથી, શુદ્ધાત્મા જે શબ્દ છે એનું પણ જેને અવલંબન નથી, નિરાલંબ પરિસ્થિતિ છે. છતાં બધાની વચ્ચે રહું છું, ખઉં છું, પીઉં છું, હરું છું, ફરું છું, બધું જ છે અને નિરાલંબ થઈ શકે છે માણસ. એ અત્યારે થઈ શકે છે. આ અક્રમ વિજ્ઞાન એવું છે કે નિરાલંબ થઈ શકે એમ છે. માટે જેની જેની ભાવના હોય, તે થઈ શકે છે.
૩૨૮
સંજ્ઞાથી મૂળ આત્માતે પુગે...
પ્રશ્નકર્તા : અનેક વખત જ્યારે સંગ્રામ થાય ત્યારે ‘હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું' કહેવા છતાં પણ ગૂંચવાડો રહ્યા જ કરતો હતો. છતાં પણ સ્વતંત્રતા નહોતી આવતી ને નબળું પડી જતું હતું.
દાદાશ્રી : શી રીતે આવે ? એ શબ્દાવલંબન છે ને !
પ્રશ્નકર્તા : હા. એટલે પછી એ સંગ્રામ છે તે વખતે ‘દાદા’ને સાક્ષીએ રાખીએ, ‘દાદા’નું અવલંબન આવે, ત્યાર પછી શુદ્ધાત્માનું અવલંબન આવે તો બરાબર રહે !
દાદાશ્રી : ‘દાદા’નું અવલંબન લે ને, એટલે એ જે નિરાલંબ છે, એ દશા આપણને નિરાલંબ બનાવે. તેથી અમે કહીએ છીએને કે દાદાનું અવલંબન લો. ‘શુદ્ધાત્મા' એ નિરાલંબ નથી. એ તો તમને હેલ્પીંગ છે. એટલે બીજું કશું ના આવડે ને એકલું ‘દાદા’નું નિદિધ્યાસન કરે ને, તો એમાં બધું આવડી જાય. બીજું અત્યારે કેટલુંક કરે તે માણસ !
પ્રશ્નકર્તા : પણ દાદા, આ સંગ્રામમાં અમારી હાર થયા કરે છે, અમે
પાછાં પડીએ છીએ.
દાદાશ્રી : તમારે તો પાછાં પાડવાનું થાય, પણ અમારે તો એવું થાય નહીં. અમારે તો એવું છે ને, આ સંગ્રામમાં ગમે તેવું પુદ્ગલ હોય, તો ય એ ન્યુટ્રલ છે ને આ ચેતન છે.
નિરાલંબ
૩૨૯
મેં તમને શુદ્ધાત્મા કહ્યું છે ને, તે ય મૂળ આત્મા નથી. આ તો તમારી સંજ્ઞા છે. એ તમે બોલો એટલે ત્યાં કાગળ પહોંચી જાય. જરીક છેટો રહ્યો રાજમહેલ !
પણ તમારે મહીં ચેતવે છે કે નહીં ?
પ્રશ્નકર્તા : ચેતવે છે.
દાદાશ્રી : એ આત્મા, હવે બીજો કોણ આત્મા ? બીજું તમારે લેવા
દેવા નથી. પહેલાં ચેતવતો હતો ? હં.... તો એ આત્મા. અત્યારે પૈસા કમાવવાની મારી વાત આવેને, તો ય મહીં ચેતવે કે ભઈ.... અને પહેલાં ચેતવે નહીં પૈસા કમાવવાની વાતમાં. એટલે આત્મા હાજર, આખો દિવસ
હાજર.
પ્રશ્નકર્તા : મૂળ આત્મા તો બીજો છે કે જે શબ્દથી પણ પર છે. દાદાશ્રી : હા. શબ્દથી પર છે એ તો. પણ આ સ્ટેશને આવ્યા પછી જવાય. એ તો તમારે હવે ગાડી આગળ બંધ થઈ જાય છે. તમારે થોડુંક ચાલીને જવાનું છે. થોડુંક જ ! તમે જાણો કે હવે અહીં આગળ ચાલવાનું નથી એવું નહીં, પણ પા-અડધો કલાક ચાલવાનું. એ ટ્રેન જ આટલે સુધી જાય છે. છેલ્લું સ્ટેશન આ શુદ્ધાત્મા. પછી સ્ટેશન વગરના રાજમહેલ ! કાયમનું, પરમેનન્ટ એડ્રેસ. એડ્રેસ એ પરમેનન્ટ પાછું.
પ્રશ્નકર્તા : આ દુષમકાળને લીધે થોડું ચાલવાનું બાકી છે.
દાદાશ્રી : હા. થોડુંક ચાલવાનું બાકી રહ્યું, કાળનો પ્રભાવ છે ને ! પણ આ અવલંબનવાળો શુદ્ધાત્મા. એ શબ્દનું અવલંબન છે. જ્યારે છેલ્લું સ્ટેશન, અમે જે સ્ટેશને ઊભા છીએ, છેલ્લા સ્ટેશને મહાવીર ભગવાન ઊભા હતા તે. તે નિરાલંબ સ્ટેશન છે. શબ્દ-બબ્દ કશુંય નહીં. ત્યારે ત્યાં જ્ઞાન છે તે બધી જગ્યાએ ફરી વળે. કેરીની(શેયની) ચોગરદમ ફરી વળે !
પ્રશ્નકર્તા : મને આમ થાય છે કે એ જે શુદ્ધાત્મા શબ્દથી, જેનું આપણે લક્ષ કરીએ છીએ એ શક્તિ એટલી બધી છે શુદ્ધાત્માની, તો પછી