________________
નિરાલંબ
૩૦૭
૩૦૬
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) કરે ને તો કામ થાય. બાકી આ આમ કામ થાય નહીં. આત્માનો થોડો જેમ જેમ અનુભવ થતો જાય ને તેમ તેમ કામ થતું જાય. તમને બધાને આત્માનું જ્ઞાન આપીએ છીએ, બધાને આત્માનુભવ છે. સહુ સહુના પ્રમાણમાં. આત્માનુભવ વધ્યા પછી પચ્ચીસ-ત્રીસ-ચાલીસ ટકા થયા પછી એમાં બુદ્ધિ નામેય ના હોય.
બુદ્ધિ પચ્ચીસ ટકાથી જ જતી રહે. અનુભવ પચ્ચીસ ટકા એ જાય ત્યારે, કારણ કે એને કામ લાગે જ નહીં ને પછી. ઊલ્ટી એને પ્રગતિમાં ડખલ કર્યા કરે.
જગત જીવે આલંબનથી !
દાદાશ્રી : અરે ! જોઈએ એટલાં અવલંબન. એટલે અવલંબન બદલ્યા કરે. નહીં તો પછી હું તો મરી ગયો રે, બોલે. એવું અવલંબન લે. અરે, તેથી કંઈ મહેં? ના બોલીશ મૂઆ ! તોય બોલે. એથી શાંત પડતું નથી.
પ્રશ્નકર્તા : સાંત્વન રહે પોતાને, સાંત્વન.
દાદાશ્રી : આ સાંત્વન શેનું રહે છે ? ઉતર્યો. જે ઉપર ચઢ્યો હતો એ ડેવલપમેન્ટ હતું. તે ડેવલપમેન્ટ ઓછું થયું આ. અરે, પણ જીવતાં મરી ગયો !
પ્રશ્નકર્તા : અવલંબનથી જીવીને એના જીવનમાં ફેરફાર પણ શું દેખાયો ? તમે કહો છો અવલંબનથી જીવેલો માણસ મરેલાં બરોબર છે.
દાદાશ્રી : છતાં આ બધું આખું જગત જીવી જ રહ્યું છે ને ! પણ આખું જગત, સાધુ-સન્યાસી, આચાર્યો બધાં અવલંબનથી જ જીવે છે. અવલંબન વગર તો કશું થાય નહીંને ? સત્ એ નિરાલંબ વસ્તુ છે. ત્યાં આગળ ‘અવલંબન' લઈને ખોળવા જાય તો શી રીતે મળે ? એ તો એક ‘જ્ઞાની પુરુષ'નું અવલંબન લે તો કામ થાય. કારણ કે એ છેલ્લામાં છેલ્લું સાધન છે ! આત્મા નિરાલંબ છે !
તિરાલંબી દશા !
પ્રશ્નકર્તા : પણ દાદા, માણસને અનાદિની ટેવ છે કે અવલંબનથી જ જીવવું.
દાદાશ્રી : અવલંબન વગર તો મરી જાય માણસ, આલંબનથી જીવે. એનું નામ સંસાર, અને નિરાલંબથી જીવે, એનું નામ મુક્તિ. આ બળ્યો આલંબનોમાં આનંદ ક્યાં છે ? એ પાછું છૂટી જાયને, નિરાલંબનો મોક્ષ થાય.
પ્રશ્નકર્તા : પણ માણસને અવલંબન વગર ચાલે જ નહીં ને? દાદાશ્રી : ચાલે નહીં.
પ્રશ્નકર્તા : એ એમ કહે છે કે હું અવલંબન વગર જીવી શકું નહીં. એક નહીં તો બીજું અવલંબન જોઈએ જ.
દાદાશ્રી : જ્ઞાન ના હોય તો અવલંબન વગર કોઈ હોઈ શકે નહીં. આ તો રાત્રે ઘરમાં કોઈ ના હોયને, તો ય મનમાં ઉપાધિ થયા કરે.
પ્રશ્નકર્તા : એટલે પાછો બીજાં અવલંબન પાસે જાય છે. દાદાશ્રી : અવલંબન બદલે. પ્રશ્નકર્તા : બીજાં પેલા લોકો શું કહે ? આવો, હું કાંઈ કરી આપીશ.
પ્રશ્નકર્તા : પણ તમે જે સમજની વાત કરો છો એ નિરાવલંબી સમજ છે ને ?
દાદાશ્રી : એ તો વાત જુદી જ છે ! નિરાવલંબી છે. એ તો જગતે હજુ સાંભળેલું જ નહીં, બજારમાં ય સાંભળેલું નહીં. એ અમુકે અનુભવેલું જે, એ કહ્યા કર્યા વગર જતાં રહેલાં. એ છે કે મેં તો બજારમાં ખુલ્લું કર્યું.
પ્રશ્નકર્તા ઃ હવે આ જે નિરાવલંબનની સમજ છે, નિરાલંબી સમજ છે, તો ત્યાં વર્તન કેવું હોય ?
દાદાશ્રી : વર્તન લિમિટેડ થઈ જાય ને પછી ખલાસ થઈ જાય.