________________
ચારિત્ર
૨૮૫
૨૮૬
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
ચારિત્રમાં માન-કીર્તિની વાસના ન હોય. અને બીજું, આપણે અપમાન કરીએ તો પણ સમાન રહે. ચીઢાઈ ના જાય અને ચીઢાય તો એ સાધુ જ નથી. સંસારીઓ ચીઢાઈ જાય, સાધુ ચીઢાય તો ડિફરન્સ ક્યાં રહ્યો ?! કંઈક વ્યાખ્યા તો હશેને કે વ્યાખ્યા વગર હશે આ ? સોનાની વ્યાખ્યા છે ને પીત્તળની વ્યાખ્યા નહીં ? નહીં તો પીત્તળ સોનાના ભાવે વેચાયને ?
આમ કરો, સારું કરો, ફલાણું કરો, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, એવું તોફાન અહીં હોય નહીં. અહીં કરવાનું કશું હોય નહીં. અહીં તો જાણવાનું હોય ને સમજવાનું હોય. સમજવાથી સમકિત થાય ને જાણવાથી જ્ઞાન થાય. અને જે જાણી ગયો ને સમજી ગયો, તેનાથી સમ્યક્ ચારિત્ર થાય.
મહાત્માઓનું ચારિત્ર ! શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે ને, ‘ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ
તે પહેલું છે તે પુસ્તકમાં વાંચે કે મનુષ્યનું માંસ ખાવું, એ ભયંકર રાક્ષસી વૃતિ કહેવાય. આમ છે તેમ છે, આપણા છોકરાઓને ખઈ જાય તો શું થાય ? એટલે પછી એને શ્રદ્ધા બેસે એ વાંચેલા ઉપર, એ દર્શન કહેવાય અને એ વાંચેલું, શ્રદ્ધામાં બેસેલું જ્યારે અનુભવમાં આવે ત્યારે જ્ઞાન કહેવાય અને વર્તનમાં આવે ત્યારે ચારિત્ર કહેવાય. એ વ્યવહાર જ્ઞાન, દર્શન, ચારિત્ર.
જ્ઞાન એટલે અનુભવ. દર્શન એટલે અનુભવ સિવાયનું જ્ઞાન, અડીસાઈડડ, વાંચ્યું કે તરત આપણને શ્રદ્ધા બેસે, વાત ખરી છે એવું લાગે આપણને. તે જ્યાં સુધી પોતાના આત્માની સમજણ નથી, ત્યાં સુધી અહિંસાની સમજણ હોવી જોઈએ. અહિંસાને ધર્મ કહ્યો ત્યાં સુધી, વ્યવહાર ધર્મને. જેટલો જેટલો અહિંસાનો ઉઘાડ એટલો એટલો ધર્મ ઊંચો. ધર્મ બધાય સાચા છે પણ સરખા નથી. જેટલા પ્રમાણમાં અહિંસા પાળે છે એટલા પ્રમાણમાં એનો ધર્મ છે. એ બધું વ્યવહારનું જ્ઞાન-દર્શન-ચારિત્ર. અને નિશ્ચયનું તો, આત્મા જાણ્યા પછી આત્મા ઉપર શ્રદ્ધા બેસે, જ્ઞાની પુરુષ પાસેથી સાચા આત્મા ઉપર શ્રધ્ધા બેસે ત્યારે સમ્યક્ દર્શન કહેવાય,
પ્રશ્નકર્તા : ત્યાર પછીનું પગથિયું સમ્યક્ જ્ઞાન ?
દાદાશ્રી : આપણા અનુભવમાં આવે ત્યારે સમ્યક જ્ઞાન થયું કહેવાય અને ચારિત્રમાં આવે પછી સમ્યક્ ચારિત્ર !
એટલે મોક્ષે જતાં બે પ્રકારનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ. એક વ્યવહાર જ્ઞાન, વ્યવહાર દર્શન, વ્યવહાર ચારિત્ર, વ્યવહાર તપ. વ્યવહાર એટલે શું કે બહારના લોકોને એક્સેપ્ટ થાય એવું જ્ઞાન. બાહ્યજ્ઞાન પણ મોક્ષે જવાના રસ્તાનું જ્ઞાન. બાહ્યદર્શન, દર્શન એટલે શ્રદ્ધા. અને ચારિત્ર એટલે મોક્ષે જતાં અશુભ છોડે અને શુભ ચારિત્ર થાય. ત્યાર પછી શુદ્ધ ચારિત્ર થાય. પહેલું શુભ ચારિત્ર થાય. હવે શુભ ચારિત્રવાળા સાધુ કહેવાય. શુભ ચારિત્રની વ્યાખ્યા શું ? ત્યારે કહે, જ્યાં ક્રોધ આવતો હોય
ત્યાં ક્રોધ ના કરે તે શુભ ચારિત્ર કહેવાય. શુભ ચારિત્રથી સંસાર માર્ગ સુધરે, સંસાર શુભ થાય. જ્યારે મોક્ષ તો શુદ્ધ ચારિત્રથી જ થાય ! શુભ
વાસ.”
જગતે ચારિત્ર જોયું નથી, સાંભળ્યું નથી. આપણા લોકો લૌકિકને ચારિત્ર કહે છે. કપડાં બદલે તેને ચારિત્ર કહે છે. શાસ્ત્ર મુખપાઠ હોય, એને ય ચારિત્ર કહે છે. શું આપણા લોકો ઝવેરીઓ આવ્યા છે (!)
પ્રશ્નકર્તા : આ ઉદય થાય ચારિત્રનો, એટલે કયું ચારિત્ર ?
દાદાશ્રી : મૂળ ચારિત્ર, આત્મચારિત્ર. એ જે ક્રમિક માર્ગમાં લખે છે, એ સમ્યક્ ચારિત્ર લખે છે અને આ તો મૂળ ચારિત્રમાં. જ્ઞાયક સ્વભાવ એટલે મૂળ ચારિત્ર. ચારિત્ર એટલે આત્મચારિત્ર તરફ જતા ચારિત્રો બધા, એટલે સ્ટેપ બાય સ્ટેપ ચારિત્રો. સંસારમાંથી પાછાં વળી અને આત્મા તરફના ચારિત્રો ઊભા થાય, ત્યાંથી એ ચારિત્ર ગણાય છે.
પ્રશ્નકર્તા : રિવર્સ ગતિ.
દાદાશ્રી : હા, રિવર્સ અને ત્યાંથી એ ચારિત્ર કહેવાય છે. પણ ક્યાં સુધી ચારિત્ર કહેવાય છે લૌકિક ચારિત્ર ? ત્યારે કહે, જ્યાં સુધી પોતે