SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન - એજ્ઞાન ૨૦૯ ૨૧૦ આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ) અંધારું ઘોર. પછી એના વિભાજન છે મોહ ને એ બધું તો. આત્મજ્ઞાન થાય ત્યારથી મોહના અંશો ઓછા થાય છે પણ આત્મજ્ઞાનના કંઈ અંશો હોતા નથી. આત્મજ્ઞાન સવાશ છે. મોહ ઓછો થાય તો એના અંશ હોય છે. જ્ઞાતતો છે અંત, તહિ અજ્ઞાતતો ! પ્રશ્નકર્તા: જ્ઞાનનો કોઈ અંત ખરો કે ઉત્તરોત્તર તેનો વિસ્તાર વધતો જ જતો હોય છે ? દાદાશ્રી : એવું છેને, અજ્ઞાનનો અંત નથી. આ અંત શાનો નથી ? અજ્ઞાનનો અંત આવતો જ નથી. એનો છેડો જ નથી. જ્ઞાન તો અંતવાળું જ હોય. ફાઈનલ થવું જ જોઈએ. નહીં તો ફાઈનલ થયા પછી તો હું આ કંઈ બોલું છું કે ફાઈનલની મારી પરીક્ષા અપાઈ ગઈ, તે ફાઈનલમાં નાપાસ થયો છું. પણ પરીક્ષા તો અપાઈ ગઈ છેને ફાઈનલની ? એટલે ફાઈનલ લિમિટ ખરી. લાભ ના ઉઠાવ્યો તો આ લો લેવલમાં શું લાભ ઉઠાવવાના ? એક ફેરો રાજાના દિવાન થાય અને બીજે વખતે આદિવાસી થાય એવું આ જગત. આ આદિવાસીમાં છે તે ત્યાં આગળ બેકાર સીઝનનાં ચોખા પાક્યા હોય ને ખુશ ખુશ અને દિવાનને તો ગમે એટલું સોનું આપીએ તોય ખુશ ના થાય. પણ એનો એ જ જીવ પાછો, ત્યાં ગયો તો એવા સંજોગો પ્રમાણે થઈ જાય છે. અજ્ઞાતના આધારે અટક્યો મોક્ષ ! પ્રશ્નકર્તા : હવે પાછો દેહ એ અનંત કાળ સુધી રહેવાનો ? દાદાશ્રી : પોતાના સ્વરૂપનું અજ્ઞાન તેનાથી આ ઊભું રહ્યું છે. અજ્ઞાન જશે એટલે આ વ્યવહારેય છૂટી જશે ને દેહેય છૂટી જશે. પ્રશ્નકર્તા : એટલે ‘હું' અજ્ઞાનતાથી ઊભો થયો છે ખરેખર ? દાદાશ્રી : બધું અજ્ઞાનતાથી જ છે. આ બધું અજ્ઞાનતાનું જ પરિણામ છે. અંધારાને લઈને જ લોકો દુ:ખ ભોગવે છે, નહીં તો દુ:ખ તો હોતું હશે ? જ્યાં અજવાળું હોય, પ્રકાશ હોય, ત્યાં દુઃખ ના હોય. અંધારું હોય ત્યાં જ દુ:ખ હોય. તેથી આ પ્રકાશની જ વાતો કરીએ છીએ. આપણે આખો દહાડો શેની વાતો કરીએ છીએ ? પ્રકાશ કેમ ઉત્પન્ન થાય એની જ વાતો ચાલ્યા કરે છે. પ્રશ્નકર્તા : એટલે અજ્ઞાનતા ય અનાદિકાળથી છે ? દાદાશ્રી : અનાદિકાળથી બધું જયારથી છે ત્યારથી જ, અજ્ઞાન બધું અનાદિકાળથી જ ચાલ્યું આવ્યું છે. પણ આ જ્ઞાન મળે છે ત્યારે એનો અંત આવે છે. જગત પાસે છે બુદ્ધિજન્યજ્ઞાત ! લોકોમાં જ્ઞાન શબ્દ હોય જ નહીં ને ! અક્ષરે ય જ્ઞાન હોય નહીં. આખા જગતમાં નથી જ્ઞાન. જ્ઞાન શબ્દ ક્યાંથી લાવે ? એટલે મોઢે બોલે કે મને જ્ઞાન છે, મને જ્ઞાન છે. પણ એ સમજતો નથી કે, જ્ઞાન કોને ઉત્તરોત્તર એનો વિસ્તાર વધતો જતો હોય તો તો પછી એ જ્ઞાન જ ના કહેવાય. અજ્ઞાન જ કહેવાય. આ વ્યવહારમાં ચાલું રહ્યું છેને, એ અજ્ઞાન, કલ્પિતરૂપે જ્ઞાન છે. છે અજ્ઞાન પણ ક્યા રૂપે જ્ઞાન છે ? કલ્પિત. કેટલાંક કલ્ચર્ડ હીરાકંઠી હોયને, આમ કલ્ચર્ડ મોતીની માળા હોય ને આપણે સાચી માનીએ એના જેવી વસ્તુ. જ્ઞાન તો અંતવાળું છે. એનો વિસ્તાર વધતો જતો નથી. પ્રશ્નકર્તા : તો પછી પૂર્ણતા એટલે શું ? દાદાશ્રી : પૂર્ણતા એટલે અંત આવે, એ પૂર્ણ જ્ઞાન કહેવાય. અને જેનો અંત જ ના આવે એ અજ્ઞાન કહેવાય. આપણે ચાલ ચાલ કરીએ પણ ગામ ના આવે, ત્યારે કયો રસ્તો કહેવાય ? રસ્તો ખોટો છેને ? તે આ અનંત અવતારથી આ જાણ્યું છે, આથી પણ હાઈ લેવલનાં જ્ઞાન જાણ્યા'તા. આ તો અત્યારે લો લેવલમાં આવ્યા ઉલ્ટાં, હાઈ લેવલમાં તમે
SR No.008839
Book TitleAptavani 13 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size71 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy