SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિના જ્ઞાતા-દ્રષ્ટા ! ૧૦૩ ૧૦૪ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) શેય-જ્ઞાતાનો સંબંધ છે એ ફિલ્મ ને હું જોનારો, બે જુદું થઈ ગયું. પ્રકૃતિના શેયો સૂક્ષ્મ, સૂક્ષ્મતર... પ્રશ્નકર્તા : એવું ખરું કે દાદા, પ્રકૃતિના બધા જોયો જોઈ લે પછી પેલાં દરઅસલ જોયો દેખાવા માંડે ? દાદાશ્રી : ત્યાર પછી તો બહુ જોયો જોવાના રહે. પછી તો બધાં વચલા હોય છે. બધા વચલા ગાળાના તે બધાં બહુ જાતના જોયો છે. પહેલાં પ્રકૃતિના સ્થળ શેયો છે. પ્રશ્નકર્તા : વચલા ગાળાના એટલે કેવા ? દાદાશ્રી : તમારા ઊઠ્યા પછી પ્રકૃતિ શું કરશે જાણું તું ? ત્યાં તારી પ્રકૃતિ શું કરતી હતી તે તું જાણું ? બધું પ્રકૃતિ શું કરશે, હવે પછી શું કરશે, હવે પછી શું કરશે, તે બધું જાણે મહીં. અરે, મારી પ્રકૃતિ નહીં, તમારી પ્રકૃતિ શું કરશે તે ય હું જાણું. પ્રકૃતિને હું જાણું. તમારા ઊઠ્યા પછી ટાઈમ ટુ ટાઈમ કરે. ટાઈમ તો લક્ષમાં જ રાખવા જેવો નથી. શું થાય એ જોયા કરવાનું. પ્રકૃતિમાં તન્મયાકાર તહીં તે સંયમી ! હવે ક્રોધ-માન-માયા-લોભ થાય નહીં, કારણ કે તે આત્માના ગુણ જ નથી. એટલે આપણા મહાત્મા બધા સંયમી કહેવાય. સંયમી એટલે શું કે આ પ્રકૃતિ શું કરી રહી છે. તેનાથી વિરુદ્ધનો પોતાનો અભિપ્રાય ઊભો થઈ જાય, એ સંયમી છે. પ્રકૃતિ ગુસ્સે થાય તો પોતાને ગમે નહીં. એ અભિપ્રાય જદો થઈ જાય એ સંયમી, આમ ના હોવું જોઈએ. આડાઈ ના હોવી જોઈએ. પ્રકૃતિ તો એના પાઠ ભજવ્યા જ કરવાની. અસંયમી હોય તો પ્રકૃતિમાં એકાકાર થઈને પાઠ ભજવે અને સંયમી હોય તો એ પ્રકૃતિને જુદી રાખે, જુદી રાખ રાખ કરે. પ્રકૃતિમાં તન્મયાકાર થાય એ ય જુદું અને પ્રકૃતિ જે કરે, કર્યા કરતી હોય તેની ઉપર છે તે પોતે એ અભિપ્રાય જુદો પાડે એ સંયમી. એ ગમે તેવી પ્રકૃતિ હોય. પ્રકૃતિમાં તન્મયાકાર ના થાય એ સંયમી. દાદાશ્રી : સૂક્ષ્મ, સૂક્ષ્મતર એ બધાં પ્રકૃતિના, મિલ્ચર બધા. મિચેતન જેવા. પ્રશ્નકર્તા : તો આ ક્રોધ-માન-માયા-લોભ શેમાં જાય ? દાદાશ્રી : એ બધું સૂક્ષ્મ પ્રકૃતિ. પ્રશ્નકર્તા : એ જોયો પછી જોવાના ? એ તો જો કે દેખાય દાદા, અમુક આ ય દેખાય અને પેલું ય દેખાય. દાદાશ્રી : ના, ના દેખાય. એ દેખાતા હોય તો પછી એના મોઢા ઉપર પરિવર્તન ના થાય. એ તો બહુ જાડું હોય તે દેખાય. ઝીણા તો દેખાય નહીંને ! મોંઢા પર અસર થયા જ કરેને ! એ બધું જોતાં જોતાં તો આગળ, ત્યાર પછીના જોયો બધા દેખાય. આ પ્રકૃતિ દેખાશે, ત્યાર પછી આગળ બહુ સારું વધે. પ્રકૃતિ જ આંતરે છે બધું. તારી પ્રકૃતિ દેખાય તને ? પ્રશ્નકર્તા : પ્રકૃતિ જે હોય, એને માટે એનાથી વિરુદ્ધ અભિપ્રાય કરવાની જરૂર ખરી કે એના જ્ઞાતા-દ્રષ્ટા થવાની જરૂર ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા થવાની જરૂર ખરી. જ્ઞાતા-દ્રષ્ટા એટલે એ તો છેલ્લામાં છેલ્લું કહેવાય. હાઈ લેવલ કહેવાય, એટલું હાઈ લેવલ આવતાં વાર લાગે. અને પ્રકૃતિથી જુદો અભિપ્રાય એટલે શું? આમ ના હોવું જોઈએ. અણગમો ઊભો થયા કરે. પ્રશ્નકર્તા એટલે પેલી જ્ઞાતા-દ્રષ્ટાની દિશામાં આગળ વધે પછી. દાદાશ્રી : એ આગળ વધે, પછી એ સાઈડમાં જ્ઞાતા-દ્રષ્ટા ફુલ પ્રશ્નકર્તા : જાડું જાડું દેખાય. મોટું મોટું દેખાય. દાદાશ્રી : કશું ખોટું નથી દેખાતું ! કયું મોટું દેખાય છે ? પ્રશ્નકર્તા : ક્યાં ક્યાં અસર થાય, શું થાય તે ખબર પડે.
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy