________________
ઘાતી-અઘાતી કર્મ
ગાયકવાડ સરકાર છું.' કંઈ એ નવી જ જાતનું બોલે. એટલે તે ઘડીએ અમલ પેલા દારૂનો હોય. એવું અહીં અમલ અજ્ઞાનનો થાય છે.
પ્રશ્નકર્તા : કારણ કે આ ચારેય જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય એ અજ્ઞાનતાના કારણો છે.
૨૬૧
દાદાશ્રી : નહીં, એ જ સ્વરૂપનાં અજ્ઞાનને લઈને એ આવરણ આવ્યું છે અને સ્વરૂપનાં ભાનને લઈને આવરણ તૂટી જાય છે.
મહાવીર ભગવાનને ય ડિસ્ચાર્જ કર્મ હતાં. એમને આ ચાર ઘાતીકર્મ નાશ થઈ ગયા ત્યારે કેવળજ્ઞાન થયું. અમુક અંશે નાશ થાય એટલે આત્મજ્ઞાન થાય. સંપૂર્ણ નાશ થાય એટલે કેવળજ્ઞાન થાય, છતાં પેલાં ચાર અઘાતી હોય.
ને ?
કંઈ ?
મૂળમાં મોહતીય !
પ્રશ્નકર્તા : રોંગ બિલિફ અને આ ચાર ઘાતી કર્મોને સંબંધ ખરો
દાદાશ્રી : દર્શનાવરણકર્મ, એનું નામ રોંગ બિલિફ.
પ્રશ્નકર્તા : રોંગ બિલિફ એટલે દર્શનાવરણ, તો જ્ઞાનાવરણ માટે
દાદાશ્રી : દર્શનાવરણથી જ્ઞાનાવરણ ઊભું થાય.
પ્રશ્નકર્તા ઃ દર્શનાવરણ એમાં એકચ્યુલી શું હોય છે ? એટલે મૂળ વસ્તુનું દર્શન આવરાયેલું છે ?
દાદાશ્રી : દર્શન આવરાયું એટલે પછી રોંગ બિલિફ બેઠી. રાઈટ બિલિફ હતી તેને બદલે રોંગ બિલિફ બેઠી.
પ્રશ્નકર્તા : અને રોંગ બિલિફથી પાછું દર્શન આવરતું જાય, એવું પણ ખરું ને ?
૨૬૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : પછી આવરણ વધતું જાય.
પ્રશ્નકર્તા : આ ચારેય કર્યો છે. આ દર્શનાવરણકર્મ, જ્ઞાનાવરણકર્મ, મોહનીય અને અંતરાય, એની કંઈ લીંક હોય છે આમ ? અનુસંધાન હોય છે એકબીજાનું ?
દાદાશ્રી : અનુસંધાનથી જ છે. બધું એક જ છે. પણ આ તો જુદું આપ્યું લોકોને સમજણ પાડવા માટે.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે આમ ? એનું અનુસંધાન કેવી રીતે છે ? દાદાશ્રી : બધું મોહનીયમાં જ છે આ. આઠેય કર્મો મોહનીયને લીધે થાય છે. બધું મોહનીયમાં, એક શબ્દ જ હોય તો ચાલે.
પ્રશ્નકર્તા : આનું અનુસંધાન આમ શું હોય છે ?
દાદાશ્રી : સૌથી પહેલું મોહનીય આવે. મોહનીયમાં બધું સમાઈ જાય. મોહનીય જ બધું ઊભું થયું. મોહનીય એટલે સોનાને સોનારૂપે નહીં જોતાં, બીજી રીતે જુએ તે. એટલે મૂળ આત્માને આત્મારૂપે નહીં જોતાં, એટલે જેવું છે તેના બદલે અવળું જ દેખાય છે.
પ્રશ્નકર્તા : આ જ્ઞાનાવરણ-દર્શનાવરણ અને પેલાં ચાર કષાયો, એનું અનુસંધાન છે ને આમ ?
દાદાશ્રી : આ જ કષાયો એ તો. વધુ ફોડ પાડવા માટે સમજાવવા માટે નામ પાડે. બીજું શું ? ક્રોધ-માન બધાં મોહનાં છોકરાં ! તેથી અમે દર્શનમોહ કાપી નાખીએ, ચારિત્રમોહ રહી ગયું, બસ.
પ્રશ્નકર્તા ઃ પેલું દર્શનાવરણ-જ્ઞાનાવરણથી આ દર્શન ગુણ આવરાયો. જ્ઞાનગુણ આવરાયો અને અવ્યાબાધ સુખ આવરાયું. ગુણ આવરાઈ જવાં અને આવરણો એ કેવી રીતે હોય છે બધું ?
દાદાશ્રી : આ આઠેય કર્મ મોહનીયરૂપે છે. મોહનીય ગયું તો બધું ય ગયું.