________________
અંતરાયકર્મ
૧૯૧
૧૯૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
પુરુષ કાઢી આપે, અંતરાયે જ્ઞાની પુરુષ કાઢી આપે. પણ અમુક અંતરાય ના તૂટે. જે જ્ઞાનીનાં ય ગજા બહારનાં અંતરાય. જેમાં વિનય ધર્મ ખંડિત થતો હોય છે. વિનય ધર્મ તો મોક્ષમાર્ગમાં મુખ્ય વસ્તુ છે. પરમ વિનય ! જ્ઞાની પુરુષ માટે એક અવળો વિચાર, એક કલ્પના અવળી ના આવવી જોઈએ. એક અવળી કલ્પના શું કરી નાખે ? પોતાની મા માટે કલ્પના નથી આવતી, તો જ્ઞાની પુરુષને માટે તો ? એનાં કરતાં ઓછું ટચમાં રહેવું સારું. ટચમાં ના રહે તો વિચાર જ ના આવે ને ?
આપણે શું ? અને ભૂખ લાગે છે કે આપણને ? એટલે અંતરાય ના આવે તો જ એ પ્રાપ્તિ થાય.
ત તોડાય મૂર્તિ કે ફોટા ! આ આપણું પુસ્તક ફ્રી ઑફ કોસ્ટ લે અને પછી તે વેચી ખાય અગર કોઈ એવો ક્રોધી હોય તે બૈરીને કહેશે, શાના પુસ્તકો છે આ દાદાના ! તને ના કહ્યું છે ને ! લઈને સળગાવી મેલે, બને એવું. એ જ્ઞાનાંતરાય એટલો બધો મોટો પડ્યો કે હજારો અવતાર થશે તોય ઠેકાણું નહીં પડે. અને જ્ઞાન અંતરાય પડે તે ભેગું દર્શન અંતરાય પડ્યા વગર રહે જ નહીં. એટલે આ બેઉ જોડે જ હોય. જ્ઞાન અંતરાય સાથે, બધાં આઠેય પડે છે.
પ્રશ્નકર્તા : જ્ઞાન અંતરાયની સાથે ?
વર્તતતા અંતરાય ! પ્રશ્નકર્તા ઃ દર્શનમાં ઘણું આવી જાય છે, પણ વર્તનમાં નથી આવતું.
દાદાશ્રી : દર્શનમાં આવી જાય. કેટલાંકને દર્શનમાં વધારે આવી જાય પણ વર્તનમાં આવવાના અંતરાય ભારે છે. બાકી દર્શન બહુ ઊંચું છે. સમજવામાં બાકી નહીં રાખ્યું.
પ્રશ્નકર્તા: તો એ મનોબળની કચાશ છે કે ખાલી અંતરાય જ છે ? દાદાશ્રી : એ અંતરાય ભારે પાડ્યા છે. દર્શનથી ગૂંચ ઉકલી ગઈ
અંતરાય તૂટે તો પ્રાપ્તિ જ્ઞાનતી ! પ્રશ્નકર્તા: પણ દાદા, જ્ઞાનની પ્રતીતિ માટે અંતરાયો ઘણી વાર બહુ જરૂરી હોય છે. અંતરાય હોય તો જ આપણી પરીક્ષા થઈ શકે.
દાદાશ્રી : હા, અંતરાયકર્મ એક જ પડે છે અને જ્ઞાન અંતરાયની સાથે બધાં પડે છે. એટલે પુસ્તક વેચી દે, બાળી મેલે, ક્રોધે ભરાઈને શું થાય, એને સમજણ નહીં બિચારાને ! એને ખબર નહીં ને ! કોઈનો ફોટો બળાય નહીં. ફોટો બાળવો એ માણસને માર્યા બરોબર છે. હં, કેટલાક માણસો ગુસ્સે ભરાઈ અને ફોટા સળગાવે છે. ના સળગાવાય, એ સ્થાપના છે.
સ્થાપના નામ સહિત હોય. ભલેને જીવતું નથી, એમાં દ્રવ્ય-ભાવ નથી, પણ નામ સ્થાપના તો છે ને ! ભગવાનની મૂર્તિનેય કંઈ ના કરાય. તે લોક કહે, મુસલમાનોને કેમ કશું નહીં થતું ! એને ય ફળ તો મલ્યા વગર રહે નહીં ને ! કોઈ દહાડો મૂર્તિ કશું ના કરે, શાસન દેવો કરે, પણ લોકોનું મન દુખાવ્યું તે ફળ મલે. તમે મુસલમાનોની મસ્જિદ બાળી મૂકો, એમાં કેટલા મુસલમાનોનું મન દુખાય, તેનું ફળ તમને અવશ્ય મળે. કોઈને દુઃખ આપીને તમે સુખી ક્યારેય પણ નહીં થાવ. માટે બને એટલું સુખ આપો. ના બને તો દુઃખ તો અપાય જ નહીં અને દુ:ખ અણસમજણથી અપાય છે. લોકો મનમાં શું જાણે છે કે હું આપતો નથી, બધાંય મને એવું કહે છે. આપણે એવું ખોટું કરવું નહીં, કશું કોઈને દુઃખ નહીં આપવું. મેં કહ્યું, અલ્યા, શું સમજુ પણ તું? મૂઆ, આખો દહાડો દુઃખ જ આપ્યા કરું
દાદાશ્રી : હા, આપણી પરીક્ષા થાયને બધી કે આપણો શો હિસાબ છે, આપણે ક્યાં ક્યાં ગોદો માર્યો છે. આ ગોદા માર્યાનું ફળ છે ને ! અંતરાયો પાડ્યા, તેનું ફળ આવ્યું છે ! જ્ઞાનપ્રાપ્તિના અંતરાય પડે, એટલે જ્ઞાન મલે નહીં ને !
બાકી ઉપકારક તો શી રીતે થાય ?! જ્ઞાન મેળવવાની જરૂર છે, આપણે જમવું હોય, એ જમવાની જરૂર છે, તો જમવામાં આંતરા પાડીને